Trending News
સ્થાનિક સમાચાર

સામખીયારીમાં એેચઆઈવી, ટીબી, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

31 August



ભચાઉ - કચ્છઉદય : સામખીયારીની પી.બી. છાડવા હાઇસ્કૂલ ખાતે રાષ્ટ્રીય એઈડ્‌સ અને એસટીડી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સઘન આઈઈસી અભિયાન-૩.૦ હેઠળ એચઆઈવી - એઈડ્‌સ ટીબી, હિપેટાઇટિસ, લેપ્રસી સહિતના ચેપી રોગો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર દેશમાં સઘન આઈઈસી અભિયાન-૩.૦ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ  એચઆઈવી - એઈડ્‌સ્ સહિત વિવિધ ચેપી રોગો અંગે જનજાગૃતિ વધારવા, રોગ અંગેની ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા તેમજ સમયસર તપાસ, નિદાન અને યોગ્ય સારવાર માટે લોકોને પ્રેરિત કરવાનો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી , જિલ્લા ટીબી - એચઆઈવી અધિકારી ડો. મનોજ દવે  તથા ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ અને સામખીયારી મેડિકલ ઓફિસર ડો. સીમા ચૌધરીના દિશાનિર્દેશનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પી.એચ.સી. સુપરવાઇઝર દીપકભાઈ દરજી, સામખીયારી-૩ના સીએચર્ઓં વંદનાબેન રાઠોડ તથા આરોગ્ય કાર્યકર રાહુલભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને  એચઆઈવી - એઈડ્‌સ, એસટીઆઈ, ટીબી, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિવિધ રોગોના કારણો, સંક્રમણના માર્ગો, મુખ્ય લક્ષણો, બચાવના ઉપાયો, સમયસર તપાસ અને યોગ્ય સારવાર અંગે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી.  એચઆઈવી - એઈડ્‌સ અંગે સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર એચઆઈવી ટેસ્ટિંગ, એઆરટી સારવાર તેમજ એચઆઈવી સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવ અને કલંક દૂર કરવા અંગે પણ સમજ આપવામાં આવી હતી. સાથે જ ટીબી અને લેપ્રસીના લક્ષણો, સમયસર તપાસ અને નિયમિત સારવારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પાણીજન્ય અને વાહકજન્ય રોગો તથા તેમના અટકાયતી પગલાં અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રોગો અને તેના નિવારણ અંગે પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના આરોગ્યકર્મીઓ દ્વારા સંતોષકારક અને વૈજ્ઞાનિક રીતે જવાબ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો સુધી એચઆઈવી, એસટીઆઈ, ટીબી, હિપેટાઇટિસ તથા રક્તદાન અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવા, ગેરમાન્યતાઓ દૂર કરવા, સમયસર તપાસ અને સારવાર માટે પ્રેરિત કરવા તથા સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પી.બી. છાડવા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ જ્યોતિબેન પરમાર તથા સમગ્ર શાળા સ્ટાફ દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો. 
----------------

Comments

COMMENT / REPLY FROM