કચ્છમાં સપ્ટેમ્બરમાં લેવાનારી સંસ્કૃત અને હિન્દીની વિવિધ પરીક્ષામાં ૫૫૧ જેટલા બાળકો જોડાશે
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ૧૯૫૨થી હિન્દીની પરીક્ષાઓ અને ૬૦ વર્ષથી લેવાતી સંસ્કૃતની વિવિધ પરીક્ષામાં કચ્છ - ભુજ કેન્દ્ર મારફતે ૫૫૧ જેટલા હિન્દુ, મુસ્લિમ બાળકો સંસ્કૃતની પ્રબોધ (મૌખિક), પ્રારંભથી પ્રાજ્ઞ પરીક્ષામાં કચ્છના ગામડાના બાળકો આ પરીક્ષા આપશે. જ્યારે હિન્દીની બાળપોથીથી તીસરી પરીક્ષામાં પણ ૫૫૧થી વધારે બાળકો પરીક્ષા આપશે તેવું કચ્છના પ્રચારક વિભાકરભાઈ અંતાણીએ જણાવ્યું હતું. આ પરીક્ષા સપ્ટેમ્બર ૨૦૨૬માં લેવાશે. આ માટે ડો. સત્યપ્રસાદ દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ જયશ્રીબેન હાથી, આશિષ વૈદ્ય, મમતાબેન રાવલ, ડો.ખુશ્બૂબેન સરવૈયા, કેશાબેન છાયા, પંકજબેન રામાણી, ઠાકરબેન, રોહિતભાઈ પાઠક વગેરે વર્ગનું સંચાલન કરશે. અત્રે નોંધવું જરૂરી છે કે કચ્છમાં ૧૯૫૨થી આજ દિવસ સુધી આ બંને પરીક્ષાઓ માળાના મણકાની જેમ લેવાઇ રહી છે અને સંસ્કૃત પ્રેમીઓ દ્વારા સુંદર સહકાર મળી રહ્યો છે.
-----

Comments