K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું 

14 February



વિદેશ સ્થિત દાતા દ્વારા માનવજ્યોતને ૧૦ લાખનું અનુદાન અપાયું

ભુજ : માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ છેલ્લા ૨૦ વર્ષથી ચાલુ છે. સંસ્થાનાં વાહનો જુના થઇ ગયા હોઇ દાતા પાસે રજુઆત કરતાં અક્ષરનિવાસી વાલજીભાઇ વિશ્રામ હીરાણીનાં આત્મશ્રેયાર્થે ધર્મપત્ની વેલબાઇ વાલજી હીરાણી સુખપર (મદનપુર) પરિવાર દ્વારા સંસ્થાને નવું ઇકો વાહન અર્પણ કરાયું હતું.વાહન અર્પણવિધિ કાર્યક્રમ રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે યોજાયો હતો. આ અવસરે વેલબાઇબેન, હંસાબેન કેરાઇ, મયુરભાઇ જોષી તથા વિદેશ સ્થિત દાતા રમેશભાઇ મગનલાલ દેઢીયા, માયાબેન રમેશભાઇ દેઢીયા, જય જયંત દેઢીયા, સંતોષભાઇ કુંભાર, કિરણભાઇ ગોસ્વામીએ અતિથિવિશેષ પદ શોભાવ્યું હતું. વાહનનાં દાતા વેલબાઇ હીરાણી, હંસાબેન કેરાઇ, મયુરભાઇ જોષીનું માનવજ્યોત સંસ્થા દ્વારા બહુમાન કરી તેઓની અંતરની ભાવનાંઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વિદેશ સ્થિત દાતા માયાબેન રમેશભાઇ દેઢીયા પરિવાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને રૂપિયા દશ લાખનાં અનુદાનની જાહેરાત કરાતાં સૌએ હર્ષભેર વધાવી હતી. માયાબેન તથા રમેશભાઇ દેઢીયાનું પણ બહુમાન કરવામાં આવ્યુું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન પૃથ્વીરાજસિંહ જાડેજાએ કર્યું હતું. વ્યવસ્થા સુરેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, રીતુબેન વર્મા, રફીક બાવા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, ભુપેન્દ્ર બાબરીયા, નિતિન ઠક્કર, પંકજ કુરુવાએ સંભાળી હતી. બંને દાતા પરિવારોએ સેવાશ્રમની મુલાકાત લઇ અનહદ આનંદ વ્યક્ત કરી માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓ અને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM