ગાંધીધામમાં ગૌરક્ષાના નામે ચરી ખાનાર આંખલો કોણ ? ટેન્ડર સાથે કાયદેસરની કામગીરીના રૂકાવટખોર પર ફિટકાર!
પોલીસ સજાગતા દાખવે, કયાંક આ બની બેઠેલા ડોન થકી સંકુલમાં કોમી તણાવ-વેરઝેરના બીજ તો નથી વવાઈ રહ્યા ને? : આંખલા છોડાવવા ગયેલા કોણ હતા? તેની તપાસ કરાય તો પણ આ બની બેઠલ ડોનના છાના ગતકડાઓ ખુલ્લા પડે..!
એકતરફ શહેરમાં રખડતા ઢોરના ત્રાસની ફરીયાદો વધે, ટ્રાફીક અને અકસ્માતો સહિતના વિષયો ઉઠાવાય, જે બાદ તંત્ર નિયમ અનુસારની કાર્યવાહી કરે તો અમુક બની બેઠેલા અને ગૌરક્ષાના નામે પોતાની દુકાન-ફિલમ ચલાવનારાઓ સરકારી કર્મીઓ પર નશાની હાલતમાં હુમલાઓ કરી દે, આવામાં તંત્ર-સરકારી બાબુઓ પ્રજાહિતની કામગીરી કરશે કેવી રીતે?
નગરપાલીકાના સત્તાધીશો, પદાધિકારીઓ તથા વહીવટીતંત્રએ પણ આવી ઘટનાઓની ઉચ્ચસ્તરે નોંધ લઈ અને સરકારી કામગીરીમાં ખુલ્લેઆમ વિક્ષેપ પાડનારાઓની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ : ગેરકાદેસર રીતે ઢોરોને લઈ જવાતા હોય કે કત્લખાને ઢોર જઈ રહ્યા હોય અને કોઈ આક્રમકતા દેખાડાય તો જુદી વાત છે, આ તો સરકારી અધિકારીઓની રાહબરી હેઠળ, વિધીવત ટેન્ડર બહાર પાડીને જ લોકહિતાર્થેની અને અબોલજીવોને માટે પણ સુચારૂ કહી શકાય તેવી કામગીરી થતી હતી તેમાં વિક્ષેપ પાડવો, તેમાં ચાવીઓ ઝુંટી લેવી અને એ પણ નશાની હાલતમાં સરકારીતંત્રને ધોળા દીવસે લલકારવો એ કયાંની ગૌસેવા કહેવાય..! : આવા અમુક બની બેઠેલા ગૌરક્ષકો થકી જ સાચા ગૌમાતાના સેવકને પણ કયારેક વેઠવાનો વારો આવી જતો હોય છે..!
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ-આદિપુર જોડીયાનગરમાં બિનવારસુ રખઢતા ઢોર અને આંખલાઓ થકી અકસ્માતો સર્જાવવા તથા ટ્રાફિકને અડચણરૂપ બનતા હોવાની સમસ્યાઓની ફરીયાદો વધ્યા બાદ તરત જ તંત્ર દ્વારા આ બાબતે આમપ્રજાજનો તથા બિનવારસુ રખઢતા ઢોર સહિતનાઓના મામલે સુચારૂ નિર્ણય લઈ અનેઆવા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. પરંતુ લોકહિતાર્થે થઈ રહેલી આ કાર્યવાહીમાં હવનના હાડકાઓ નાખવા સમાન કૃત્ય અમુક બની બેઠેલ ગૌરક્ષાના નામે ચરી ખાનારા તત્વોએ આદરી દીધી હોવાની ઘટના બનવા પામી ગઈ છે. પંચરંગી પ્રદેશમાં આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર અહી રખઢતા ઢોરને પકડી અને પાંજરે પુરવાની જે કામગીરી કરવામા આવતી હતી તેમાં સરકારી વાહનની ચાવી કાઢી લેઈ અને કામદારો પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્થળ પર જોનારાઓ કહી રહ્યા હતા કે, હુમલો કરનારાઓની નશાની હાલતમાં હતા. હવે અહી તંત્ર પ્રજાહિતની કામગીરી કરીરહ્યુ હોયતો તેને રોકનારા આવા અમુક તત્વો કોણ છે? તેમના પેટમાં કેમ તેલ રેડાવવા પામી ગયુ છે? સલામતીના કામમાં આવા તત્વોના રૂકાવટ કરવાનું કારણ શું છે? અહી સમજવાની વાત તો એ જ છે કે, કામ જે થઈ રહ્યુ હતુ તે નગરપાલિકા દ્વારા વીધીવત ટેન્ડર બહાર પાડી અને કરવામા આવી રહ્યુ હતુ. જેને ટેન્ડર અપાયુ હતુ તે ઠેકેદારના લોકો અહી આંખલાઓ પકડવાનુ કામ કરી રહ્યા હતા. વીધીવત રીતે જ જે કામગીરી કરવામાં આવતી હતી તેમાં ગૌરક્ષાન નામે ચરી ખાનારા આંખલો ગાંધીધામનો કોણ હતો? કેમ તેના પેટમાં તેલ રેડાવવા પામી ગયુ? તેની દુકાન કયાંક અહી બંધ થવા પામી જાય તેમ હતી? જાણકારો અહી માર્મિક આવા સવાલો સાથે જ કહી રહ્યા છે કે, ગૌરક્ષાના નામે સંકુલમાં ચરી ખાનારો આંખલો એક કુખ્યાત છે જે કયારેક ગૌરક્ષાની પ્રવૃતીઓના નામે વાહનો રોકાવી અને ગૌમાતાની રક્ષા કરવાના બદલે વાહનચાલકો પાસેથી તોડ કરતો ફરતો હોય છે તો વળી કયાંક સંકુલમાં ગૌરક્ષાના નામે જમીનો દબાવવાના બેનામી ધંધાઓ કરતો ફરતો હોય છે. કયાંક ને કયાંક આવા બની બેઠેલા આંખલાનો તો કોઈ દોરીસંચાર રહેલો નથી ને? આવા તત્વો જો પ્રજાહિતની કામગીરીમાં રૂકાવટ અને આડખીલી રૂપ બની રહ્યા હોય તો વિના વિલંબે તેની સામે પોલીસ ફરીયાદની કાર્યવાહી કરી દેખાડવી જોઈએ અને પોલીસે પણ સરકારી કર્મચારીઓ સાથે સરકારી કામમાં રૂકાવટ કરવા તથા માથાકુટ કરવી ઉપરાંત નશાની હાલતમાં સરકારી કામગીરીને પડકાર ફેકનારાઓને બરાબરના નશ્યત કરવા જોઈએ તેવી લોકમાંગ પણ આ સંકુલમાથી ઉઠવા પામી રહી છે.નોધનીય છે કે, ટ્રાફિકને નડતરૂપ તથા લોકોના જીવ લેતા રખડતા પશુઓને પાંજરે પુરવાની દીશામાં નામદાર હાઈકોર્ટ દ્વારા જ વિવિધ નગરપાલીકાઓ અને કાર્પોરેશનને આદેશ આપવામા આવ્યા હતા અને તે બાદ જ આ પ્રકારની કડક કાર્યવાહી કરવામા આવી રહી છે ત્યારે ગાંધીધામમાં ગૌરક્ષાના નામે ચરી ખાઈ અને સરકારી કામમા ન માત્ર રૂકાવટ બલ્કે નામદાર હાઈકોર્ટના આદેશનું પણ ઉલ્લઘન કરવા સમાન હરકત આદરી છે તેને તો કડક રીતે જ નશ્યત કરવાજોઈએ
.......
જાબાંઝ એસપી બાગમાર-પૂર્વ કચ્છ પોલીસતંત્ર ચેતે :
ગાંધીધામ સંકુલમાં એક નવો ડોન ઉભો થાય છે..!
અગાઉ ઘેટા-બકરાંના નામે અધમ મચાવતો હતો, હવે ગાય માતાના નામે ચરી ખાનાર આંખલાના આતંકને વેળાસર જ ડામવો જરૂરી : કાસેઝ-ગાંધીધામ સંકુલના મોટાભાગના બની બેઠેલા ડોનને પૂર્વ કચ્છ એસપીએ ભોંય ભેગા કરી દીધા છે, પરંતુ ગૌરક્ષાના નામે ઠેર-ઠેર ગુંડાગીરી પર ઉતરી પડતો, કયારે અબોલજીવો કતલખાતે જતા હોવાનુ કહી વાહનો રોકાવી તેનાથીમોટી તોડ કરે, તો કયારેક ગાયોને ગોડાઉનોમાં પડેલા અખાદ્ય ખોરાક ખાવાથી મોત નિપજયાના બહાને પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિઓથી લાખો પડાવી લેવાના ત્રાગા કરનાર બની બેઠેલ ગૌરક્ષક હજુ સુધી કેમ આબાદ ફરી રહ્યો છે..?
ગાયોનું નામ અને ખુદની દુકાન-ફિલમ ચલાવતા આ બની બેઠેલા ડોનને હવે પોલીસે કાયદાનું ભાન કરાવવુ જ ઘટે : ગૌરક્ષાના નામે આડેધડ કરોડોની જમીનો પર અડીંગો જમાવવાના પણ આ બની બેઠેલા ડોન દ્વારા અજમાવાઈ ચૂકયા છે હથકંડા : પોલીસ તંત્ર ગાફેલ રહેશે તો તેમના માટે પણ આ બની બેઠલ ડોન માથાનો દુખાવો બનશે : કોઈ પણ વિભાગ હોય, નવા અધિકારીઓ આવે એટલે આ બની બેઠલો ડોન તેમે લાગુ પડી જતો હોય છે, કેટલાક તો તેને સામેથી બોલાવતા ફરતા રહે છે, ગૌરક્ષાના નામે બની બેઠલ આ આંખલો છે શું? : આ શખ્સ છે જ શુ કે તેને નવા અવેલા અધિકારીઓ બોલાવે અને મળે?
ગાંધીધામ : પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારે કચ્છમાં કાર્યભાર સંભાળતાની સાથે જ કઈક મુંછે લીંબુ લટકારવનારાઓથી માંડી અને પોતાને ડોન ગણાવતા તત્વોને કાયદાનુ ભાન કરાવી અને ભોંય તળે જ પછાડી દીધા છે. કાયદો અને વ્યવસ્થા તેમના સમયકાળથી અહી વધુ સારી રીતે સ્થાપિત થવા પામી ગઈ છે. પોલીસ પ્રજાનો મિત્ર હોવાની ઉકિત પણ સાર્થક થતી જ જોવાઈ રહી છે તો પછી બીજીતરફ હવે સરકારી કર્મીઓની સાથે રખઢતા ઢોર પકડવાની કામગીરી દરમ્યાન ખુલ્લેઆમ માથાકુટ કરી અને તંત્રનેપડકાર ફેકનારા તત્વો કોના જોરે માથુ ઉચકી અને કાયદો વ્યવસ્થાને પણ અહી પડકાર ફેકી રહ્યા છે? સંકુલમાં જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધામ કોમ્પલેક્ષમાં ફરીથી વધુ એક શખ્સે ડોન બનવાના સ્વપ્નાઓ અને અભરખાંઓ જોઈ રહ્યો છે. પૂર્વ કચ્છ પોલીસતંત્રએ ચેતવાની અને જાગવાની જરૂર છે. પોલીસ આ ડોનને ઓળખે અને તેના કરતુતોનો કાચો ચીઠ્ઠો કઢાવે તે ખુબજ જરૂરી બની રહ્યો છે. માત્ર તેના કરતુતોને જોવામા આવશે, ઈતિહાસ ચકાસવામાં આવશે તો પણ આ શખ્સની માનસીકતા હકીકતમાં ડોન બનવાની જ છે તેનો આખેઆખો એકસ રે જ પોલીસને મળી જાય તેમ છે. જાણકારો કહે છે કે પોલીસ વેળાસર જ જો આ શખ્સને ડામવાની દીશામાં કાયદાનો ધાક્કેો નહી પછાડે તો પોલીસ માટે પણ કયાક ને કયાંક નજીકના ભવિષ્યમાં જ આ શખ્સ માથાનો દુખવો બની જાય તેવી લાલબત્તી પણ રજુ કરવામા આવી રહી છે.
Comments