કચ્છના પ્રદીપ શર્મા, ગાંધીનગરના લાંગા બાદ હવે વલસાડના આયુષ ઓકએ પોત પ્રકાશ્યુ? : શું અધિકારીઓ-રાજકારણીઓની ઓથ-દોરીસંચાર વિના આવા કૌભાંડો કરે ખરા..?
એક કલેક્ટર ધારે તો કેવા કેવા ખેલ પાડી શકે ?
ઝભ્ભાલેંગાવાળાઓ ખુદના મતલબથી જ અધિકારીઓને સાચુ-ખોટું સિખવાડતા હોય છે, આંતરીક હુંસ્સાતુસ્સી અથવા તો પદાધિકારીઓના હોદાઓ પરથી ફેરબદલ થાય એટલે સહી કરનારો સનદી કે ઉચ્ચ અધિકારીનો તપેલો ચડી જાય છે? : કચ્છ કલેકટર પ્રદીપ શર્મા હકીકતમાં કચ્છના બેનમુન વિકાસના સાચા હિરો છે, તેઓની કોઠાસુઝ, ઝડપી નિર્ણય શકિત, ધાક બેસાડતી કાર્યવાહીઓના પગલે તો આજે કચ્છ ને વિશ્વના ટોપના શહેરોની સાથે ગણવામાં આવી રહ્યુ છે, પરંતુ પ્રદીશ શર્મા કેમ સસ્પેન્ડ થયા, કયા કારણોસર એકાએક જ તેમના કૌભાંડોના પ્રકરણો ખુલવા પામ્યા, તે ગુજરાતમાં કયાં કોઈથી છાનું રહ્યું હતું ખરુ..?
આઈએએસ અધિકારીઓ જ હજારો-કરોડોના કૌભાંડોને અંજામ આપતા રહેશે તો પછી બીજાની તો વિસાત અને વાત જ શું કરવી રહી? : ખરેખર આવા કૌભાંડીઓની સામે સરકારે કરવી જોઈએ ધાક બેસાડતી લાલાઆંખ : જો કે, મોટા જમીન કૌભાંડોમાં સંડોવાયેલાઓની સામે કાર્યવાહી થાય પણ કેવી રીતે? પાછળ તો ઝભ્ભાલેંગાવાળાઓનો જ હોય છે દોરીસંચાર..!
આ ત્રણ આઈએએસ અધિકારીઓ તો કૌભાંડોમાં ચકચારમાં આવી ચૂકયા છે, પરંતુ જે અધિકારીઓ તેમના લાંબા-ટુંકા કાર્યકાળમાં છાના કરોડોના ખેલ પાડી ગયા હશે તેમનુ શું?
કચ્છમાં પણ તાજા ભુતકાળમાં દીલીપ રાણા સેવારત રહ્યા હતા, ખુબજ ટુંકાગાળામાં તેઓનો કાર્યકાળ તપાસવાની જરૂર છે : અને તેમાંય જયારે તેઓની બદલી થઈ તે છેલ્લા સપ્તાહમાં તો દીવસે ન હોતી ધમધમતી એટલી તો રાત્રીના કલેકટર કચેરીમાં અવર-જવરો જોવા મળતી હતી? તે વખતે કોની અને કેટલી ફાઈલો કલીયર કરવામાં આવી? તેની તપાસની પણ જો કોઈ
આગેવાન કે આરટીઆઈ એકટીવીસ્ટ માહીતીઓ માંગશે તો પણ કઈક મહેસુલ પ્રકરણોના કચ્છમાં થયેલા કાળા ધોળાઓ બહાર આવવા પામી શકે.. ?
ગાંધીધામ : ગુજરાતમાં તોતિંગ કૌભાંડો અને તેમાં કલેક્ટર કક્ષાના અધિકારીઓની સંડોવણી એક કરતાં વધુ પ્રકરણોમાં સમયાંતરે બહાર આવી રહી હોય હવે લોકો એમ વિચારતાં થયા કે, વૃક્ષારોપણ અને રન ફોર નેશન જેવી દોડમાં લીલીઝંડી આપતા IAS અધિકારીઓ અસલમાં, કચેરીઓમાં બેસી શું શું કરી શકતા હોય છે, અને અહીં સવાલ એ પણ હોય છે કે, આવા કૌભાંડ સ્થાનિક નેતાઓની જાણ બહાર હોય શકે છે ખરા ?! એક કલેકટર અને આઈએએસ અધિકારી ધારે તો તે કેટલા મોટા ખેલ પાડી શકે છે તેનો ગુજરાતમાં વધુ એક દાખલો સામે આવવા પામ્ય છે. આપણે કચ્છના તત્કાલીન કલેકટર અને રાજયના સંભવત પ્રથમ સસ્પેન્ડેડ આઈએએસ એવા પ્રદીપ શર્માનો કિસ્સો આબેહુબ જોયો, નિહાળ્યો છે. તે બાદ ગાંધીનગરના તત્કાલીકન કલકેટર શ્રી લાંગાના કરોડોના કૌભાડો પછી હવે સુરતના આયુષનો પણ મોટો ભાંડો ફુટવા પામી ગયો છે. આ કેસમાં તો કાર્યવાહી થતી હશે તે રીતે થશે પરંતુ અમુક આઈએસઅ અધિકારીઓ કેટલા ફાટીને ફુલેકે ચડી ગયા છે તેના ચિત્તાર આપવા માટે આ કિસ્સાઓ પર્યાપ્ત જ કહી શકાય તેમ છે.
પહેલા વાત આયુષ ઓકની કરીએ તો સુરત ગુજરાતનું મુંબઈ બની ચૂક્યું છે. અહીં જમીન સોના કરતાં પણ અનેકગણી કિંમતી બની ગઈ છે. કચ્છ અને ગાંધીનગરના તત્કાલીન કલેકટરોને સંડોવતા કૌભાંડો પછી હવે સુરતના કૌભાંડે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. અહીંનું જાહેર થયેલું એક જમીન કૌભાંડ રૂ. ૫,૦૦૦ કરોડનું હોવાનું બહાર આવતાં સરકારે તત્કાલીન કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દીધાં છે અને નજરકેદ જેવી સ્થિતિમાં રાખ્યા છે.કહેવાય છે કે, આ તોતિંગ જમીન કૌભાંડનો લાભ ૨૨ લોકોને પ્રાપ્ત થયો છે. જે પૈકી ૩ સુરતના છે અને બાકીના લાભાર્થીઓ મુંબઈના છે. મુંબઈ તો આમ પણ માયાનગરી છે જ. અગાઉ સુરતના કલેક્ટર તરીકે રહેનાર આયુષ ઓક હાલ વલસાડ કલેક્ટર છે, જ્યાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને એમના પર એવો આરોપ છે કે, સરકારના એક રિપોર્ટમાં જે જમીનોને સરકારી જાહેર કરવામાં આવી હતી, તેવી જમીનો આ અધિકારીએ ૨૨ ખાનગી પાર્ટીઓના નામે સરકારી રેકર્ડ પર ચડાવી દીધી. સુરત અને ગાંધીનગરમાં એવું સૌ કોઈ માની રહ્યા છે કે, નેતાઓની મદદ વિના આ કૌભાંડ શક્ય ન બને. આટલી હિંમત એકલાં કલેક્ટર ન કરી શકે. આ મામલો છેક વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યો હતો. જયાંથી રાજ્ય સરકારને કહેવાયુંઃ તપાસ સમિતિની રચના કરો. આ મામલામાં કલેક્ટરે સહી કરેલાં આ કાગળો વેરીફિકેશન માટે FSL ન્માં પણ મોકલવામાં આવ્યા હતાં.FSL રિપોર્ટના આધારે સરકારે કલેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. ગત્ ફેબ્રુઆરીમાં કૌભાંડ ગાજતાં સરકારે આ અધિકારીની બદલી કરી હતી. બદલીના આગલા દિવસે જ તેણે આ કાગળો પર સહીઓ કરી હતી, એવું પણ બહાર આવ્યું છે. સુરતના ડુમસ એરપોર્ટ નજીક આવેલી ૫૨ એકર જમીન આ મામલા સાથે સંકળાયેલી છે. આ સરકારી જમીનો ૨૨ ખાનગી પાર્ટીઓના નામે ચડાવી દેવામાં આવી છે. આ તપાસસમિતિએ એક કરતાં વધુ વખત હિઅરિંગ કરેલું. ગત્ સપ્તાહે છેલ્લી સુનાવણીએ આ કલેક્ટરને દોષિત ઠેરવવામાં આવ્યા. આ આખોય ઘટનાક્રમ અને તેમા થયેલી કાર્યવાહી સારી જ છે પરંતુ અહી સવાલ એ થાય છે કે તે વખતના સુરતના હાલના વલસાડના સસ્પેન્ડેડ કલેકટર આયુષે આ આખાય કરોડોાના કૌભાંડને અંજામ આપ્યો હતો કોના કહેવાથી? તેના રર જેટલા લાભાર્થીઓમાં સુરતના ત્રણ અને મુંબઈના બાકીના લાભાર્થીઓમા કોણ કોણ છે? તે બધાયના નામ કેમ હજુ સુધી બહાર નથી આવ્યા? તપાસ માત્ર આઈએએસ સુધી સિમીત રાખવાના બદલે આખાય નેકસસને ઉઘાડો પાડવામા આવે તે ખુબજ જરૂરી બની રહ્યું છે. આયુષ ઓકનો જે કિસ્સો સામે આવ્યો છે તે કોઈ પહેલો વહેલો નથી
...........
કચ્છના વર્તમાન IAS સહિતના અધિકારીઓ
માટે લાલબત્તી સમાન કિસ્સો : ખોટું કરતા ચેતજો..!
મુંદરા-કંડલાના પેટ્રોલિયમ પદાર્થોની આયતની લીંપાપોત્તી પણ અટકાવો : હાલમાં એક યા બીજા કારણોસરની નિષ્કાળજી ગમે ત્યાં પદ પર હશો, ઘટના બનશે, લાપરવાહી ખુલશે તો જવાબદારી તો અધિકારીઓ-સરકારી બાબુઓની જ થશે ફીટ : અંજાર અને મુંદરા પ્રાંતશ્રી ગંભીરતા સમજે અને વેળાસર જ મામલતદાર સહિતનાઓની ટીમનુ ગઠન કરી અને વ્યાપક સર્વે કરાવે : સીએફએસવાળાઓને પણ પેસો નોટીફાઈડ પ્રમાણપત્રો રજુ કરે તે પહેલા એમએચઓ હેન્ડલીંગ બંધ જ કરી દેવાનો આદેશ આપે તે જરૂરી
ગાંધીધામ : વલસાડના વર્તમાન અને સુરતના તત્કાલીન કલેકટર આયુષને કરોડોના જમીન કૌભાંડમાં તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે અને નજરકેદ જેવી સ્થિતીમાં મુકી દેવાયા છે. ત્યારે કચ્છના પણ વર્તમાન વહીવટીતંત્ર અને આઈએસ અધિકારીઓને માટે પણ આ ઘટના લાલબત્તીરૂપ સમાન જ બની રહી છે. વિશેષ વાત કરીએ તો મુંદરા-અંજારમાં પણ પ્રાંત અધિકારીઓ આ ઘટનાની ગંભીરતાને જુએ અને આ બન્ને બંદરો પર જે રીતે દુબઈથી પેટ્રોલીમય પદાર્થોની બીનધાસ્ત પેસોની મંજુરી અથવા તો નિયમોના ઉલાળીયા કરીને કરવામાં આવી રહી છે તે કોઈ પણ મોટી ઘટના કે હોનારતને અંજામ આપી શકે તેમ છે અને જો એવુ થયુ તો જવાબદારી છે તે વર્તમાન અધિકારીઓની નિષ્કાળજી સબબની જ ફીટ થવા પામી જશે. અંજાર અને મુંદરામાં પ્રાંત અધિકારી તો કાર્યદક્ષ અને આગવી કોઠાસુઝ ધરાવી રહ્યા છે. હવે જરૂર છે કે, તેઓ પેટ્રોલિયમ પદાર્થની જે આડેધડ આયાત થઈ રહી છે તેમાં પેશોની અમલવારી થાય, આયાતમાં તથા સીએફએસ પણ પેશો નોટીફાઈડ છે કે નહી? તે મામલેનો વ્યાપક સર્વે કરવામા આવે ખુબજ જરૂરી બની રહ્યું છે. આ ઉપરાંતના પણ કચ્છમાં સેવારત અન્ય આઈએએસ સહિતના અધિકારીઓએ પણ વર્તમાના વલસાડ કલેકટર આયુષની સામે થયેલી કાર્યવાહી પરથી બોધપાઠ લેવો જોઈએ. કારણ કે તેઓ હાલમાં તો વલસાડમાં હતા પરંતુ જમીન કૌભાંડ તો સુરત-ડુમસનું જ તેઓને આજે નડી ગયુ છે. એટલે કદાચ હાલમાં કચ્છમાં એક યા બીજી રીતે કે પછી કોઈની શેહસરમમાં આવી અને સાચુ-ખોટુ કદાચ કરી જશુ તો પણ ભવિષ્યમાં ગમે ત્યારે આયુષવાળી થઈ શકે તેમ છે.
Comments