ખારીરોહરના રેશનીંગની કાળાબજારી કરનાર પર તંત્ર ત્રાટકયુ પણ ભ્રષ્ટ સરકારી બાબુઓ કેમ આબાદ ?
ભ્રષ્ટ ધનેંડાઓને પુછો તો ખરા, ઘટ્ટ આવ્યુ તે સરકારી અનાજ વેંચ્યું કોને?
જિલ્લા પુરવઠા અધિકારી (ડીએસઓ) શ્રી હાસમીએ કરેલી લાલઆંખ આવકારદાયક
સરકારી અનાજની કાળાબજારી કરનારાઓની સામે કડકમાં કડક કાર્યવાહીની જોગવાઈઓ છતા બોગસ-ડમી કાર્ડ બનાવી રેશનીંગની કાળા બજારી કરનારને દોઢ લાખથી વધુનો દંડ અને કાયમી પરવાનો રદ કરી દેવાયો, તે કાર્યવાહી તો આવકારદાયક છે, પરંતુ અમુક ભ્રષ્ટ ધનેડાઓ પરીવારના સબંધીઓના નામે લાયસન્સ નવેસરથી મેળવી ફરીથી આવા બેનામી ધંધાઓ-કાળાબજારીમાં જોતરાઈ નહીં જાય તેની શું ખાત્રી?
ખાટલે મોટી ખોટ : ડીએસઆો શ્રી હાશ્મીની ઝડપી કાર્યવાહી, માતબર રકમનો દંડ સરાહનીય, પરંતુ હવે કચ્છ કલેકટરશ્રીએ આવા રેશનીંગવાળાને છાવરનાર તત્કાલીન પુરવઠાના સરકારીબાબુઓની પણ કેમ ન કરવામાં આવે ખાતાકીય તપાસ? જો નિવૃત થઈ ગયા હોય તો તેમના પેન્સન સહીતના લાભો અટકાવવા જેવી કરવી ઘટે કડક ત્વરિત કાર્યવાહી
હંગામી કર્મચારીઓની ભુમિકાઓ પણ
તપાસવી જોઈએ કે આ કારનામાઓ કરનારાોને કાઢી મુકયા ખરા? એટલુ માત્ર જ નહી પરંતુ આવા હંગામી કર્મીઓને રાખનારી જે-તે એજન્સી પર પણ પગલા લેવા જોઈે કે આવા
ભ્રષ્ટાચારીઓને નીમણુંક ન આપે
ગાંધીધામ : ગરીબોને મફત રાશન આપવાની યોજના લાંબા સમયથી ચાલી જ આવી રહી છે પરંતુ પાછલા કેટલાક સમયથી આ યોજનામાં એ જ સરકારના અમુક ભ્રષ્ટ ધનેડાઓ અન કેટલાક રેશનીંગની દુકાનવાળા તત્વોની સિન્ડીકેટ આ સસ્તા અનાજમાં મોંઘુ કૌભાંડ આચરી રહ્યા હોય તેવી ઘટનાઓ બહાર આવવા પામી રહી છે. અને તેવી જ એક ઘટના ગાંધીનગરથી આવેલી પુરવઠા વિભાગની ટીમે કરેલી કાર્યવાહી બાદ ગાંધીધામ તાલુકાના ખારીરોહર વિસ્તારમાં આવેલી રેશનીંગની દુકાનમાંથી આબાદ ઝડપાઈ જવા પામી હતી. અહી બોગસ અને ડમી રાશન કાર્ડ પકડાવા પામ્યા ઉપરાંત મોટા પ્રમાણમાં સરકારી અનાજની ઘટ્ટ જોવા મળી આવી હતી. આ પર્દાફાશ થયા બાદ જિલ્લાની ટીમ અને ડીએસઓશ્રી દ્વારા પણ તપાસ હાથ ધરવામા આવી હતી અને તેના અંતે તાજેતરમાં જ ખારીરોહરવાળી આ સંબધિત દુકાનનો પરવાનો કાયમી રદ કરવો અને તેને સવા લાખથી વધુની રકમનો માતબર દડ ફટકારાતો આદેશ કર્યો હતો. ડીએસઆોશ્રી હાસમી કક્ષાએથી જે કાર્યવાહી કરવામ આવી છે તે તો આવકારદાયક જ કહી શકાય તેવી છે પરંતુ જાણકારો દ્વારા આ કાર્યવાહી બાદ પણ કેટલાક સવાલો ઉભા થવા પામી રહ્યા છે અને તે તંત્ર તરફથી જાણે કે હજુય નિરૂત્તર અવસ્થમાં જ રહેલા હોય તેવો ઘાટ ઘડાયો છે.
વાત સહેજ ફોડ પાડીને કરીએ તો અહી ખારીરોહરવાળા સંચાલકનો જે પરવાનો રદ કરાયો છે તે કાર્યવાહી તેના માટે પુરતી કહેવાય ખરી? તંત્રએ આટલી કાર્યવાહી કરીને કયાંક ને કયાંક આવા સંચાલકને મોકળું મેદાન તો નથી આપી દીધુને? કારણ કે, તેના પાસેથી સરપ્રાઇજ ચેકીંગ દરમ્યાન જ જેટલા ટન સરકારી અનાજ ઓછુ મળયુ હતુ તે, તો પાસેરામાં પુણી સમાન જ હશે? આવા ધુપ્પલ તે કેટલા સમયથી ચલાવતો હતો? લાંબા સમયથી જો આ રીતે કાળાબજારી કરી હશે તો પછી ગરીબોના હકક હિતનુ અનાજ કેટલુ ચાઉ કરી ગયો હશે? તેની સામે માત્ર સવાલાખની રકમનો દંડ કેવી રીતે પુરતો કહેવાય? આ ઉપરાંત તેનુ પરવાનો રદ કરાયો છે એ તો સમજયા, પરંતુ આવા તત્વો પોતાના બીજા કુટુંબીજનોના નામે ફરીથી આવી દુકાનોના પરવાના નહી મેળવી લે તેની શુ ખાત્રી? અને આ બધાયથી ઉપરનો મોટો પ્રશ્ન એ થાય છે કે ,જે રેશનીંદ દુકાનમાથી બોગસ ડમી કાર્ડ મળયા, તેને સત્તાવાર દંડ અને પરવાનો રદ કરવાનો હુકમ પણ કરાયો છે, એ બધુય બરાબર પરંતુ શું આ રેશનીંગ સંચાલક એકલો જ આ રીતે આવા કૌભાંડોને અંજામ આપતો હશે? શું પુરવઠા વિભાગ કે રેવેન્યુ તાલુકા વિભાગની કોઈની તેમા કયાંય સંડોવણી જ નહી હોય! સીધી વાત છે કે, હોય જ. તેની મીલીભગત વિના આવી રીતે કૌભાંડ ધમધમી જ ન શકે? તો પછી સવાલ એ થાય છે કે, દુકાનદારને દંડાયો તો તેના મદદગારો એવા તે વખતના સરકારી ભ્રષ્ટ બાબુઓ પર કોરડો કેમ ન વિંજાયો? જયારે ડમી કાર્ડ બન્યા છે, જે સમયનો જથ્થો સગેવગે થયો છે, ત્યારે સ્થાનિકે કયા ભ્રષ્ટ સરકારી બાબુ સેવામાં હતા? તેનો કેમ તપેલો નથી ચડાવાતો? જો તેઓ કદાચ નિવૃત હોય તો એવા નિવૃત લાપરવાહોના પેન્સન સહિતના લાભો-હક્ક હિતો અટકાવી દેવાની ધાક બેસાડતી કાર્યવાહી પણ કેમ કરવામાં નથી આવતી? આવા સવાલો કાર્યવાહી થયા બાદ ઉભા થવા પામી રહ્યા છે.
............
માત્ર દંડ-પરવાનો રદ નહી પાસા જેવી થવી જોઈકે ધાક બેસાડતી કાર્યવાહી
પાસાની કાર્યવાહી થાય તો બીજી વખત પરવાનો મળે જ નહી
ગાંધીધામ : કોઈ પણ ભારતીય નાગરીક ભુખ્યો ન સુવે તે માટે સરકાર સસ્તા અનાજની થોકબંધ સેવાઓ રેશનીંગ દુકાનો મારફતે ઉપલબ્ધ કરાવે છે પરંતુ અમુક બની બેઠેલા ભ્રષ્ટ તત્વો દ્વરા આવા રેશનીંગની કાળાબજારીઓ કરાઈ રહી છે. ગાંધીધામ તાલુકામાં પણ હાલમાં ખારીરોહરમાં એક રેશનીંગ દુકાનદાર પાસેથી આવી ગેરરીતીઓ ઝડપાવવા પામી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, અહી માત્ર નાનો સુનો દંડ અને પરવાનો રદ કરવાની ઔપચારીકતા પૂૃર્વકની જ કામગીરી માત્ર કેમ કરાઈ?હકીકતમાં તો ગરીબોના હકકનુ સરકારી અનાજ ચાઉ કરી જનારાઓને તો પાસા જ કરવા જોઈએ. એક વખત પાસા જેવી ધાક બેસાડતી કાર્યવાહી કરવામા આવશે તો આવા તત્વાને બીજીવખત રેશનીંગની દુકાનનો પરવાનો જ નહી મળે. અને અન્યોને પણ તેનો કડક શબક મળી જવા પામશે.
..........
ખોરીરોહરમાં કેટલા બોગસ-ડમી રાશનકાર્ડ મળ્યા?
કેમ સત્તાવાર રીતે તેની કોઈ જ સ્પષ્ટતા નહી..?
ડોર ટુ ડોર સર્વે કરાશે, અને કરાયા પણ ખરા, તે બાદ જ કાર્યવાહી થઈ, તો પછી કેટલાક બેાગસ અને ડમી કાર્ડ મળી આવ્યા, તેનો ખુલાસો જિલ્લાકક્ષાએથી કરવામાં કોની શરમ નડી રહી છે?
ગાંધીધામ : ગાંધીનગરથી પુરવાઠ વિભાગની ટુકડી ત્રાટકી અને ભુજ-મિરજાપર, અંજાર અને ગાંધીધામમાં ખારીરોહરમા સસ્તા અનાજની દુકાનમાંથી રેશનીંગની કાળા બજારી પકડી પાડી હતી. જે બાદ જિલ્લા પુરવઠા વિભાગ પણ જાણે કે સફાળુ જ ઉંધમાથી જાગ્યુ હોય તેમ નાક કપાઈ ગયા બાદ દોડતુ થયુ હતુ અને એક બોગસ કાર્ડ ઝડપાયા બાદ ખારીરોહરમાં બીજા આવા કેટલા બોગસ ડમી કાર્ડ બની ગયા છે તેના ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાવી હતી. હવે જયારે સત્તાવાર રીતે જ આ દુકાનદારનુ કાયમી પરવાનો રદ કરાયો છે, સવા લાખનો દંડ ફટકાર્યો છે, ત્યારે અહી સવાલ એ થાય છે કે, જિલ્લા ડીએસઓ કક્ષાએથી કેમ ચોકકસ સ્પષ્ટતા કરવામાં નથી આવતી કે, ખારીરોહરવાળા પાસેથી બીજા કેટલા બોગસ ડમી કાર્ડ સર્વે દરમ્યાન હાથ લાગ્યા? તેમાં કોની કોની બેદરકારી અને નિષ્કાળજી રહેલી છે? તેવા તે વખતના સરકારી બાબુઓની સામે કેમ કોઈ જ કાર્યવાહી થવા નથી પામતી?
........
Comments