નાડાપામાં રાનીપશુનું મોત : ખાણખનિજ-વીજતંત્રની બલિહારી : ખનીજ માફીયાઓ પર કેમ નથી કસાતો મજબુત ગાળીયો?
જિલ્લા સમાહર્તા પ.કચ્છ ખનીજ-પીજીવીસીએલનો કેમ ન લે ઉધડો?
દુલર્ભ પશુનુ મોત થયુ તેમ છતા વનવિભાગના માટીપાગા બાબુઓનું પેટનું પાણી નથી હાલતુ? : સરકારી ચોપડે ફરીયાદના જ ચાલી રહ્યા છે ત્રાગા, ખનીજવિભાગ અને પીજીવીસીએલના બેદરકારોની સામે ધાક બેસાડતા પગલા લેવાય તેવી પ્રાથમિક કરવી જોઈએ કડક તપાસ
વન વિભાગની મંથર ગતિએ આગળ ધપતી કાર્યવાહીથી તંત્રની નિષ્ઠા પર ઘેરાયા શંકાના વાદળ : વીજપોલ નજીક મોટા પ્રમાણમાં ખનિજ ડમ્પ થતાં જમીન નજીક આવી ગયેલા હાઈ વોલ્ટેજ વીજ વાયરોના સંપર્કમાં આવી ગયેલા દીપડાનું નિપજ્યું
હતું મોત
ખાટલે માટી ખોટ : રાનીપશુનુ મોત થયુ તેના પાછળ સિલિકાના વેસ્ટ-ખનીજના કચરાઓના ઢગલા કારણભુત પ્રાથમિક રીતે જોવાય છે, તો ખાણખનિજ વિભાગ આવા ઢગલાઓ બાબતે કેમ અજાણ રહી ગયુ? આસપાસમાં કોની અને કેટલાની લીઝ છે,? વેસ્ટના નિકાલની શુ કોઈ ગાઈડલાઈન જ નથી? ગમે ત્યાં ખડકલો કરવાનો હોય છે? આ ઢગલા કોણે કર્યા હતા? ખનીજવિભાગને કેમ ન દેખાયુ? : ખાણખનિજ વિભાગ અને સ્થાનિક પંચાયતે દાખવી બેદરકારી : પ્રિમોન્સુન કામગરીમાં વ્યસ્ત વીજ તંત્રને પણ જોખમરૂપ વીજવાયરો કેમ ન
દેખાયા ? : સ્થાનિક લોકોમાં ઉઠ્યો સવાલ : જીપીસીબી તંત્ર કેમ હજુ સુધી નથી આવતુ હરકતમાં? પ્લાન્ટ પ્રોસેસીંગની મંજુરી આપી હોય તો વેસ્ટ નિકાલનું પણ તે વખતે ચોકકસથી જોવુ જ પડે? જીપીસીબીએ શુ જોયુ હતુ?
રક્ષિત વન્યપ્રાણીનો ભોગ લેવાયાના ૧૦ દિવસ બાદ નાડાપા નજીક વીજશોકથી દીપડાના મોત પ્રકરણની તપાસ ઠેરની ઠેર
રક્ષિત વન્યપ્રાણીનું મોત થતાં વન વિભાગ દ્વારા નિયમાનુસાર અદાલતમાં એફઆરઓ થઈ દાખલ : સંબંધિત તંત્રના રિપોર્ટ આવ્યા બાદ સંડોવાયેલા શખ્સો સામે થશે કાર્યવાહી : આરએફઓ શ્રી ભરવાડ
- અમને વનવિભાગે જાણ કરી હતી, અમારી ટીમો ગઈ છે, નિવેદનો લેવાઈ રહ્યા છે, પરંતુ અમારે પ્લાન્ટ અને પ્રોસેસીંગની મંજુરી આપવાની જ નથી હોતી,
અમે ઓવરબર્ડન અને ખનીજ સ્ટોકની જ મંજુરી આપતા હોઈએ છીએ : શ્રી દેવેન્દ્ર બારિયા (ભુસ્તરશાસ્ત્રી, પશ્ચીમ કચ્છ
ખાણખનિજ વિભાગ)
ગાંધીધામ : તાલુકાના નાડાપા નજીક વીજશોક લાગતા રક્ષિત વન્યપ્રાણી દીપડાના મોત પ્રકરણમાં મંથર ગતિએ આગળ ધપતી કાર્યવાહીથી તંત્રની નિષ્ઠા પર સંદેહના વાદળો ઘેરાયા છે. નાડાપા નજીક મોટા પ્રમાણમાં ડમ્પ થયેલા ખનિજના કારણે માત્ર એક ફુટના અંતરે આવી ગયેલા હાઈ વોલ્ટેજ વીજ રેષાના સંપર્કમાં આવી ગયેલ દીપડાનું મોત થતાં અરેરાટી ફેલાઈ હતી. આ મામલામાં સ્થાનિક લોકો અને જીવદયાપ્રેમીઓ દ્વારા વન વિભાગ, પીજીવીસીએલ, ખાણખનિજ વિભાગ ઉપરાંત સ્થાનિક પંચાયતની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. નિયમાનુસાર રક્ષિત વન્યપ્રાણીનું મોત થતાં ફોેરસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કોર્ટમાં એફઓઆર દાખલ કરવામાં આવી છે. જોકે, ઘટનાના દસ દિવસ બાદ હજુ સુધી આ મામલે કોઈપણ વિભાગની જવાબદારી ફિક્સ કરવામાં ન આવી હોવાથી દીપડાના મોતના પ્રકરણમાં ભીનુ સંકેલી લેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
પ્રાકૃતિક ખનિજ સંપદા અને દુર્લભ વન્યપ્રાણીઓ અને પક્ષીઓથી સમૃદ્ધ એવા કચ્છ જિલ્લાના નાડાપા સમીપે બનેલી ઘટનાને લોકો માનવસર્જિત દુર્ઘટના ગણાવી રહ્યા છે. રક્ષિત વન્યપ્રાણી દીપડાનો ભોગ વિવિધ તંત્રની બેદરકારીના કારણે લેવાયો હોવાનું કચ્છભરમાં ચર્ચાઈ રહ્યું છે. નાડાપા સમીપે હાઈવોલ્ટેજ વીજ થાંભલાની ફરતે ખૂબ મોટા પ્રમાણમાં ખનિજને ડમ્પ કરવામાં આવ્યું હતું. હાઈવોલ્ટેજ વીજતાર જમીનથી માત્ર ૧ ફુટના જ અંતરે દૂર રહ્યા હતા. આ સ્થળ પર ભૂતકાળમાં કૂતરાના મોત થયા હોવા છતાં નિંભર તંત્રની તંદ્રા તૂટી ન હતી. કોઈ મોટી દુર્ઘટનાને જાણે નોતરૂ અપાતું હોય તેમ વીજરેષાઓ જમીનથી લગોલગ છોડી દેવાયા હતા. તેવામાં કૂતરાના શિકાર માટે પહોેંચેલો દીપડો વીજતારને અડી જતા બન્ને પ્રાણીઓના મોત થયા હતા.
નાડાપા નજીક મોટા પ્રમાણમાં ખનિજને ડમ્પ કરવામાં આવી રહ્યું હોવા છતાં ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી ન હતી. આ ખનિજ કઈ સાઈટ પરથી ઉપાડવામાં આવ્યું હતું. નિયમાનુસાર ખનન થયું છે કે કેમ તેની કોઈ જ તપાસ કરવામાં આવી ન હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં અનેક રક્ષિત વન્યપ્રાણીઓ વસવાટ કરતા હોવા છતાં રેન્જ ફોરેસ્ટના અધિકારી કે કર્મચારીઓનુંં ધ્યાન આ બાબતે કેમ ન ગયું તેવો સવાલ સ્થાનિકેથી ઉઠી રહ્યો છે. આ ઉપરાંત પ્રિ-મોન્સુન કામગીરીમાં જોતરાયેલા વીજ તંત્રના કોઈ કર્મચારીને વીજવાયરો જમીનની તદ્દન નજીક આવી ગયા હોવા છતાં તે અંગે ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરવામાં આવી ન હતી. સ્થાનિક પંચાયતના જવાબદારોની લાપરવાહી પણ છતી થઈ છે.
આ અંગે કોટડા ચકાર રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી ભરવાડનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, રક્ષિત વન્યપ્રાણીનું મોત થતાં નિયમાનુસાર અદાલતમાં તે અંગે એફઓઆર દાખલ કરવામાં આવી છે. દીપડાના મોતની ઘટનામાં વીજ વિભાગ, ખાણ ખનિજ વિભાગ, ભુજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરી આ અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ સંબંધિત વિભાગ સાથે બેઠક કરી તપાસની દિશા નક્કી કરવામાં આવશે. તમામ સંબંધિત વિભાગના રિપોર્ટના આધારે આ મામલે સંડોવાયેલા લોકોને પકડવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ગત મહિના ર૩મી તારીખની રાત્રે દીપડાનું મોત થયું હતું. એક સપ્તાહથી વધુનો સમય વિતી ગયો હોવા છતાં તંત્રની તપાસ હજુની ઠેરની ઠેર જ રહી હોવાથી આ પ્રકરણમાં ભીનુ સંંકેલી લેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકેથી ઉઠી રહ્યો છે.તો વળી આ સંદર્ભે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી દેવેન્દ્ર બારીયાની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, અમને વનવિભાગે જાણ કરી હતી, અમે ટીમો મોકલાવી હતી અને આસપાસના યુનિટો સહિતના નિવેદનો લેવાઈ રહ્યા છે અને તપાસ કાર્યવાહી ચાલી રહી છે. રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરી શકાશે. જો કેશ્રી બારિયાએ ક્હયુ હતુ કે, અમારે તો ખનીજ સંદર્ભે ઓવરબર્ડન તથા નીકળતા ખનીજના સ્ટોકની મંજુરીઓ આપવાની થાય છે, વેસ્ટ નિકાલ સહિતની કામગીરી કે મંજુરીઓ અમારા કાર્યક્ષેત્રમાં આવતી નથી. અમે કોઈ પણ પ્લાન્ટને પ્રોસેસીગ પ્લાન્ટની મંજુરીઓ આપતા જ નથી. આ તબક્કે અહી સવાલ થાય છે કે, ખનીજના પ્રોસેસીંગ પ્લાન્ટની મંજુરીઓ કોણ આપે છે? પ્રદુષિત વેસ્ટ નિકાલ બાબતે જીપીસીબી કેમ હજુ સુધી આ પ્રકરણમાં કયાય આગળ નથી આવતુ? અથવા તો જીપીસીબીની કેમ કોઈ જવાબદારી અહી ફીટ કરવામાં આવતી નથી.
............
આ એ જ નાડાપા પટ્ટો છે, જયાં શ્રી ત્રિવેદીસાહેબના સમયમાં થયો હતો હાઈપ્રોફાઈલ કેસ..!
જો કે, બાદમાં કરોડોની ખનીજચોરીના કેસમાં ફાઈલો સચિવાલય સુધી પહોચી, ફાઈલ દીઠ સેકસન બંધાયા અને કરોડોની ચોરીમાં લાખોના દંડથી થઈ ગઈ હતી પતાવટ, તે ઘટનાક્રમ કચ્છથી લઈ અને ગાંધીનગર સુધી બહુ જ રહ્યો હતો ચર્ચામાં : આ વાત પરથી જ ખ્યાલ આવી શકે છે નાડાપા પટ્ટામાં અમુક બની બેઠેલા ખનીજમાફીયાઓ કેટલા ફાટીને ફુલેકે ગયા હશે?
ગાંધીધામ : કચ્છમાં ઠેર ઠેર વિવિધ વિસ્તારોમાં ખનીજચોરો છાકટા જબની ગયા છે અને તેઓને સરકારી તંત્ર અને અધીકારીઓોની જરા સહેજ પણ બીક-ભય ન રહ્યા હોય તેવી રીતે તમામ કાયદાઓને ધોળીને પછી જઈને અમુક વિસ્તારોમાં ખનીજચોરીઓ માથાભારે શિરજોર શખ્સો કરી રહ્યા છે. હાલમાં જયારે નાડાપા પટ્ટામાં પણ રાનીપશુનુ મોત થયુ છે ત્યારે જાણકારો યાદ અપાવી રહ્યા છે કે, આ એ જ નાડ્ડાપા વિસ્તાર છે કે જયો અગાઉ કચ્છમાં જયારે આઈજી પદે પ્રજાનિષ્ઠ અધિકારી શ્રી સુભાષ ત્રિવેદી સેવારત હતા તે વખતે તેમણે અહી ખનીજચોરો સામે લાલઆખ કરતી કાર્યવાહી કરી હતી અને મોટી કરોડોની ખનીજચોરી નીકળવાની સ્થિતી ઉભી થવા પામી ગઈ હતી પરંતુ અહીના અમુક બની બેઠેલા ખાણમાફીયાઓ તે વખતે પણ ફાઈલ દીઠ સેકસનની ગોઠવણીઓ કરી અને સચિવાલય લેવલે બધાયને સાચવી લઈ અને આ કરોડોની ખનીજચોરીને લાખોના દંડમાં ફેરવી તોડયો હતો. હવે જયારે અહી ઘટના બની જ છે ત્યારે ખાણખનિજ વિભાગે કોઈના પણ વશ થયા વિના, શેરશરમ રાખ્યા વિના આ પટ્ટામાં જે ખાડાઓ ખોદાયેલા હોય તે સંદર્ભેનું સંયુકત સર્વે કરાવવુ જોઈએ અને તેટલી રોયલ્ટી તંત્રને મળી છે ખરી? તે ક્રોસ વેરીફીકેશન કરવુ જોઈએ.
..........
Comments