કચ્છનો જનાદેશ : વિનોદ ચાવડાની વિજયની હેટ્રીક
કચ્છના મતદારોનો ભાજપ પર ભરોસો અકબંધ : ભુજની સરકારી ઈજનેરી કોલેજ પર મત ગણતરી
ભુજ : કચ્છ લોકસભા બેઠક પર ભાજપનો કબ્જો યથાવત રહ્યો છે. આજે ૧૮મી લોકસભાની ચૂંટણીની મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સતત ત્રીજી જંગી જીત તરફ આગળ ધપી રહ્યા છે. આજે સવારે ભુજની સરકારી ઈજનેરી કોલેજ ખાતે કચ્છ લોકસભા બેઠકની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રારંભીક તબક્કે પોસ્ટલ બેલેટની મત ગણતરી બાદ કચ્છની ૬ વિધાનસભા અને મોરબી સહિત ૭ વિધાનસભા ક્ષેત્રમાં ગત તા. ૭મી મેના થયેલ મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ પોતાના નજીકના હરીફ કોંગ્રેસના નિતેશ લાલણ પર સરસાઈ મેળવી હતી.
કચ્છ બેઠક પર પ૬.૧૪ ટકા મતદાન થયું હતું. જિલ્લાની છ વિધાનસભા બેઠક વિસ્તારમાં પપ.૭ટ ટકા મત પડ્યા હતા. કચ્છની છ સહિત મોરબી વિધાનસભા બેઠકો પર ૧૦,૦૦,૭૪૩ પુરુષ, ૯,૪ર,૩૬૬ મહિલા, ર૭ અન્ય સહિત કુલ ૧૯,૪૩, ૧૩૬ મતદારો પૈકી પ,૯૯,૧૦પ પુરુષ, ૪,૯૧,૭૬પ મહિલા અને ૮ અન્ય સહિત કુલ ૧૦,૯૦,૮૭૮ મતદારોએ પોતાના બંધારણીય ફરજ અદા કરી મતદાન કર્યું હતું. જેનો ટોટલ મતદાન ટકાવારી પ૬.૧૪ રહી હતી. કચ્છ જિલ્લાની છ વિધાનસભા સહિત મોરબી વિધાનસભાના કુલ ૮,પર,રપ૮ એટલે કે ૪૩.૮૬ ટકા મતદારો મતદાનથી અડગા રહ્યા હતા. કચ્છ લોકસભા બેઠકના પ્રથમ રાઉન્ડની ગણતરીના અંતે ભાજપના વિનોદ ચાવડાને ર૧,પપપ, કોંગ્રેસના નિતેષ લાલણને ૧૮,૩૩૦ અને નોટાને ૮રર મત મળ્યા હતા.
બીજા રાઉન્ડમાં ભાજપને ર૩,૮૧૪ મત જયારે કોંગ્રેસને ૧૮૭૩૩ અને નોટાને ૧૭૩ મત મળ્યા હતા. ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને કુલ ૭૦,૦રર, કોંગ્રેસને કુલ પ૩,૪૩૦ અને નોટાને કુલ ર૬૭૦ મત મળ્યા હતા. ચોથા રાઉન્ડના અંતે ભાજપને ૮૯,૬૧૧, કોંગ્રેસને ૭૧,ર૦૦ અને નોટામાં ૩પ૧૬ મત મળ્યા હતા. પાંંચમા રાઉન્ડ સુધીની મત ગણતરીમાં ભાજપના વિનોદ ચાવડાને ૧,૧૩,૬૧૯ જયારે કોંગ્રેસના નીતેશ લાલણને ૯ર,૧૯૮ અને નોટાને ૪૪ર૧ મત મળ્યા હતા. છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપને કુલ ૧,૩૮,૬૬૯ અને કોંગ્રેસને ૧,૦૯,૯૭૬ અને નોટાને પ૧૯૩ મત મળ્યા હતા. સાતમા રાઉન્ડના અંતે ભાજપને ૧,૬૧,૭૦પ, કોંગ્રેસને ૧,ર૮,૬રર, આઠમા રાઉન્ડના અંતે ભાજપને ૧,૮૮,૯પ૩, કોંગ્રેસે ૧,૪૮,૭૦પ, નવમા રાઉન્ડના અંતે ભાજપને ર,૧૯,૦૧પ, કોંગ્રેસને ૧,૬૬,૦૧૬, દસમા રાઉન્ડના અંતે ભાજપને ર,પ૦,૭રપ અને કોંગ્રેસને ૧,૮૪,૧ર૪ને મત મળ્યા હતા. આમ ભાજપના વિનોદ ચાવડાને ૬૬,૬૦૧ની લીડ ૧૦ રાઉન્ડ અંંતે પ્રાપ્ત થઈ હતી.
૧૧મા રાઉન્ડના અંતે ભાજપને ર,૮૪,૭ર૪ અને કોંગ્રેસને ર,૦૧,પપ૯ અને નોટાને ૯,૬૦૮ મત મળ્યા હતા. ૧રમા રાઉન્ડમાં ભાજપને ૩,ર૦,૦૧૩ અને કોંગ્રેસને ર,૧૯,ર૭૮ કુલ મત મળ્યા હતા. ૧૩મા રાઉન્ડની ગણતરી બાદ વિનોદ ચાવડાને કુલ મત ૩,પ૦,૭૭૭ અને નીતેશ લાલણને ર,૪૦,ર૯૧ મત મળ્યા હતા. જયારે નોટાને ૧૧,૩૪૦ મત મળ્યા હતા. ૧૪ મા રાઉન્ડના અંતે ભાજપને ૩,૮પ,૩ર૯ અને કોંગ્રેસને ર,પ૭,પ૧૯ મત મળ્યા હતા.
૧પમા રાઉન્ડના અંતે ભાજપને ૪,૧પ,રર૬, કોંગ્રેસને ર,૮૦,૧૦૪, ૧૬ મા રાઉન્ડના અંતે ભાજપને ૪,પ૦,૬પ૧, કોંગ્રેસને ર,૯૬,૭ર૧, ૧૭ મા રાઉન્ડના અંતે ભાજપને ૪,૮૯, ૧૮૩ અને કોંગ્રેસને ૩,૧ર,૩૭૪ મત મળ્યા હતા. જ્યારે ૧૭ મા રાઉન્ડમાં હજુ સુધી નોટામાં પડેલા કુલ મતોની સંખ્યા ૧૪,૬ર૯ થઈ હતી. કચ્છ બેઠક પર મુખ્ય બે હરીફ ઉમેદવારો બાદ સૌથી વધુ મત નોટામાં પડ્યા હતા.
..........
કચ્છવાસીઓનો હૃદયપૂર્વક આભાર : વિનોદ ચાવડા
કચ્છ લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ પોતાની જીતને કચ્છવાસીઓના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેના વિશ્વાસની જીત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ મને નહીં, પરંતુ દરેક કચ્છવાસીને ટિકીટ ફાળવી હતી. તેમણે ભાજપની તરફેણમાં મતદાન કરનાર કચ્છ - મોરબી ક્ષેત્રના તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ચૂૂંટણી પ્રચારમાં દિવસ-રાત જોયા વગર તનતોડ મહેનત કરનાર ભાજપના તમામ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
વિતેલા ૧૦ વર્ષ દરમ્યાન કચ્છ લોકસભા ક્ષેત્રમાં થયેલા વિકાસની યાત્રાને વધુ વેગવાન બનાવી આગળ ધપાવવાની નેત વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત પાર્ટી હાઈકમાન્ડ ઉપરાંત કચ્છ - મોરબીની જનતાએ સતત ત્રીજી વખત તેમના પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાની ખાતરી આપી હતી. કચ્છના વિકાસમાં ખૂટતી કડીઓની પૂર્તતા કરવા તથા કચ્છવાસીઓની સુખાકારી માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ તકે તેમણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપા અને એનડીએને મળેલી અભૂતપૂર્વ જીત બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. દેશવાસીઓનો વડાપ્રધાન મોદીની ગેરંટી પરનો વિશ્વાસ તોડવામાં વિપક્ષી ગઠબંધન નાકામ રહ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
.........
કચ્છવાસીઓના ભાજપ પર વિશ્વાસની જીત : દેવજીભાઈ વરચંદ
ભુજ : કચ્છ પ્રત્યે અપાર સ્નેહ ધરાવતા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીની ગેરંટી પર કચ્છની જનતાએ મ્હોર લગાવી છે. વિપક્ષી દળોના ભારે અપ્રચાર છતાં કચ્છ સહિત દેશની જનતાનો વડાપ્રધાન મોદી પ્રત્યેનો વિશ્વાસ અખંડિત રહ્યો છે તેવું જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતુું.
ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓનું સૈન્ય છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં પૂર્વે જ પાર્ટી હાઈકમાન્ડ અને પ્રદેશ ભાજપના હોદ્દેદારોના માર્ગદર્શનમાં ભાજપે વ્યાપક જનસંપર્ક અભિયાન ચલાવ્યું હતું. વિતેલા દસ વર્ષમાં થયેલા વિકાસ કામોનું ભાથુ એ જ જનતાનો પ્લસ પોઈન્ટ રહ્યો છે. વડાપ્રધાન મોદીના વિઝનથી કચ્છ જિલ્લાનો ચાર સ્તંભ પર વિકાસ થયો છે. ઔદ્યોગિક, કૃષિ, ડેરી અને પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસ થકી કચ્છવાસીઓનું જીવનધોરણ ઉંચુ આવ્યું છે. તેમાંય કચ્છ માટે તો વડાપ્રધાન મોદીને વિશેષ લગાવ રહ્યો છે ત્યારે કચ્છની જનતાએ વડાપ્રધાન મોદીના હાથ મજૂબત કરવા અને દેશને વિકસીત રાષ્ટ્ર બનાવવાની નેમ સાથે ભાજપને ભરપૂર સમર્થન આપ્યું છે. કચ્છના સાંસદ તરીકે ગત બે ટર્મમાં વિનોદભાઈએ સતત જનસંપર્ક કેળવી કરેલા વિકાસ કામોથી અપાર લોકચાહના મેળવી છે. તેમની સતત ત્રીજી જીત જ તેનું પ્રમાણ પૂરૂં પાડે છે.
લોકસભા ચૂંટણીના ચૂંટણી પ્રચારથી માંડી મતદાન દિવસ સુધી પરસેવો વહેવડાવનાર પાર્ટીના તમામ હોદ્દેદારો, બૂથ અને પેજ સમિતિના સભ્યો, કાર્યકરોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
......
કચ્છવાસીઓના પ્રશ્નો માટેની લડત યથાવત રહેશે : નિતેષ લાલણ
ભુજ : લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિતેષભાઈ લાલણે કચ્છીજનોના જનાદેશને શિરોમાન્ય રાખી કચ્છ અને કચ્છીજનોના પ્રાણપ્રશ્નો માટે લડત સતત ચાલતી રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. લોકસભા ચૂંટણીમાં કચ્છી જનતાએ અપાર સ્નેહ દર્શાવ્યું છે. તેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરનાર કચ્છ - મોરબી ક્ષેત્રના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોઈપણ ચૂંટણીમાં હાર-જીત ગૌણ બાબત હોય છે. જાહેર જીવનમાં રહી પ્રજાની સમસ્યા દૂર કરવા પ્રયત્નો કરવા તે પ્રાથમિકતા હોય છે, જે માટે પદ કે સત્તા હોય કે ન હોય તેથી કોઈ ફરક પડતો નથી. કચ્છની જનતાના આદેશ સ્વીકારતા તેમણે જનતાના દરેક પ્રશ્ન માટે સરકાર સામે લડત ચલાવવામાં કોંગ્રેસ પાર્ટી કોઈ કચાશ રાખશે નહીં તેવી ખાતરી આપી
હતી.લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની તક આપવા બદલ તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ, પ્રદેશ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમ્યાન દિવસ-રાત જોયા વગર ચૂંટણી પ્રચાર કરનાર પક્ષના તમામ કાર્યકરોનો પણ આભાર માન્યો હતો. ચૂંટણીમાં મળેલા પરાજયથી નાસીપાસ થવાના બદલે વધુ જોમ સાથે કચ્છની જનતાની સેવા કરવાની તેમણે ખાતરી આપી હતી.
..........
કચ્છની જનતાનો જનાદેશ શિરોમાન્ય : યજુવેન્દ્રસિંહ જાડેજા
ભુજ : ચૂંટણીમાં હાર-જીત એ ગૌણ બાબત છે. જનતા જનાદર્નનો આદેશ સદૈવ શિરોમાન્ય રહે છે. કોંગ્રેસના કાર્યકરો હારથી હતાશ થવાના બદલે જોશ સાથે જનતાના પ્રશ્નો માટે લડતમાં લાગી જશે. ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરી ક્યાં કચાશ રહી તેનો અભ્યાસ કરશું. કચ્છમાં કોંગ્રેસ ફરી કમ બેક કરશે તેવો વિશ્વાસ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના ઉમેદવાર નિતેષભાઈ લાલણની તરફેણમાં મતદાન કરનાર કચ્છ - મોરબીના તમામ મતદારોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. પાર્ટીની ક્યાં કચાશ રહી તેનું વિશ્લેષણ કરવામાં આવશે. કચ્છ જિલ્લા કોંગ્રેસ કચ્છના પ્રાણપ્રશ્નો માટેની લડત અવિરત ચાલુ રાખશે તેવું શ્રી જાડેજાએ જણાવ્યું હતું. કચ્છ - મોરબીની જનતાએ આપેલો ચૂૂકાદો શિરોમાન્ય છે. ચૂંટણીમાં હાર-જીત થતી રહેતી હોય છે, પરંતુ કોંગ્રેસ હંમેશા બંધારણ અને લોકશાહીને મજબૂત કરવા કાર્ય કરે છે. ગરીબ, વંચિતો, દિવ્યાંગો, કિસાનો, મહિલાઓ અને બેરોજગાર યુવાનોનો અવાજ કોંગ્રેસ બની રહેશે તેવી ખાતરી આપી હતી. આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કમ બેક કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
....
Comments