રાજકોટ અગ્નિકાંડ; ભુજમાં સમીતીની રચના - મોલ-હોસ્પિટલો પર તવાઈ : ગાંધીધામમાં તો તપાસ કરવાની પ્રથા જ નથી : મોટી દુર્ઘટનાની ઈંતેજારી
રાજય સરકારના આદેશના પણ ગાંધીધામ સંકુલમાં લીરેલીરા..!ઃ તપાસના નામે તદન મીંડુ
રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ રાજય સરકાર એકશનમાં છે, ઠેર ઠેર તપાસના આદેશો અપાઈ ગયા છે, કચ્છમાં પણ ભુજમાં હોસ્પિટલ, હોટેલો, સુપર માર્કેટ, મોલમાં ગઈકાલે સમીતીએ કરી ચકાસણીઓ : ફાયર એનઓસી વિનાના મોલને કરાયા બંધ, પરંતુ ગાંધીધામમાં બધું જ ચાલી રહ્યુ છે ભગવાન ભરોસે : જાણે કે, અહી કોઈ મોટી દુર્ઘટના ઘટે તે બાદ જ તપાસ કરવાનો સિરસ્તો રહેલો છે અને તેની જ ઈંતેજારી અહીના તંત્રને લાગી રહી છે
મામલતદાર, પોલીસ, ફાયર સેફટી, નગરપાલિકા, સહિતનાઓની ઉદાશીન નીતી-વલણ સામે શહેરીજનોમાંથી ઉઠતો ફટકાર : કયા મોલમાં ફાયર સેફટીની મંજુરી છે કે નહી? એનઓસી લીધુ છે કે કેમ? એનઓસી છે તો તે એકસપાયર ડેટ વાળી નથી ને?
ગાંધીધામના મોલ્સમાં ફાયર સેફટીની કેમ ન થાય તપાસ? બેંકીંગ સર્કલ જેવા ભરચક વિસ્તારમાં આવેલા વી માર્ટમાં તો ફાયર ઈન્સટીગયુશર જ અંદર કયાંય લાગેલા નથી? બહાર ફાયર સિસ્ટમ માત્ર મુકી દીધી છે, વી માર્ટ મોલ અંદરથી પણ ખુબજ સાંકળો છે, અન્ય મોલના પ્રમાણમં ઓછી જગ્યામાં ઘણી વસ્તુઓ મોલમાં પાથરીદીધી હોવાથી લોકોનીભીડ થાય અને જો અંદર આગનુ છમકલુ પણ થશે તો ખાના ખરાબી મોટી થવા પામી શકે તેવી ભીતી જાણકારો દર્શાવી રહ્યા છે
ગાંધીધામ : રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર એકશનમં છે, જિલ્લાવાર આદેશો આપી અને તમામ ભીડભાડવાળા ક્ષેત્રોમાં ઝીણવટભરી તપાસ કરી ફાયર સેફટી, ફાયર એનઓસી, ફાયરના સાધનો ઉપરાંતના વિષયોનેલઈને તપાસના આદેશ આપી દીધા છે. અને જયા ઢીલાશ હોય તેને વિના વિલંબે ત્વિરત સીલ જ કરી દેવાની સુચના આપી છે તેમ છતા પણ ગાંધીધામ સંકુલમાં રાજય સરકારના આદેશનો પણ ભંગ કરી રહી હોય તેમ આવી કોઈ જ સમીતી બનાવાઈ ન હોવાનુ સામેઆવવા પામી રહ્યું છે. કચ્છ કલેકટરશ્રીની સુચના બાદ ભુજમાં મુખ્યકારોબારી અધિકારીના અધ્યક્ષસ્થાને ફાયર સેફટી ચકાસણીની સમીતીનીરચના કરવામાં આવી ગઈ છે. આ સમીતીમા ભુજ નપાના મુખ્ય કારોબારી અધિકારી, ફાયર ઓફીસર, મ્યુનીસીપલ ઈજનેર, વીજકચેરીના અધિકારી, મહેસુલી અધિકારી, સિટીના પોલીસ અધિકારી, સ્ટ્રકચરલ મીકેનીકલ ઈજનેર, ભુજ વિકાસ વિસ્તાર સત્તામંડળના પ્રતિનિધીનો સમાવેશ કરવામા આવ્યો છે.
એટલુ માત્ર જ નહીપરંતુ આ સમીતીનું ગઠન થવાની સાથે જ ભુજમાં આ તપાસ સમીતીએ રીલાયન્સ મોલ, જલેબી હોટેલ, ઉમીયા ડાઈનીગ હોલ સહિતનાઓને બંધ જ કરાવી દીધા છે. આ સમીતીએ ભુજમાં ઠેર ઠેર હોસ્પિટલો, હોટેલો, મોલસ સહીતમાં ઉંડાણપૂર્વકની ચકાસણીઓ કરી છે. આવા સમયે પૂર્વ કચ્છની પ્રબુદ્ધપ્રજા પણ પુછીરહી છે કે, શું ગાંધીધામ સંકુલની પ્રજાની જાન-માલની સુરક્ષા તદન ભગવાન ભરોસે જ રહેવા પામી ગઈ છે? શું ગાધીધામ-કંડલા સંકુલની પ્રજા ટેક્ષ નથી ભરતી? કેમ ભુજની જેમ ગાંધીધામમાં પણ આવી કોઈ જ સમીતી બનાવવામાં ન આવી? ગાંધીધામમાં પણ હોસ્પિટલો, હોટલો, મોલ્સ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે અને અહી પણ ફાયર સેફટીને લઈને ઓડીટ કરવુ કેમ જરૂરી માનવામા અવ્યુ નથી. બીજીતરફ આખાબોલો વર્ગ કહી રહ્યો છે કે, ગાંધીધામ સંકુલમાં તો જાણે કે, આવી કોઈ જમોટી ઘટનાઓ અન્યત્ર બને તો અહી તાબડતોડ અગમચેતીના ભાગરૂપેના પગલા ભરવા, સમીતીઓનીરચનાઓ કરવી, તપાસ થવી, મેમાઓ ફટકારવા, નોટીસો આપવી, જરૂરી પ્રજાની સુરક્ષાને ધ્યાને રાખીને કોઈ એકશન લેવા, અવી કોઈ જ પ્રથા અહી કાર્યરત જ ન હોય તેમ ગાંધીધામમાં ગઈકાલે સાંજ સુધી તમામ મોલ્સ બેફામ રીતે ધમધમતા જ જોવાયા હતા. ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારોમાં મોલની સામે પણ સમયાંતરે ફરીયાદો તો આવતી જ રહેતી હોય છે. રીયાલન્સ સ્માર્ટમોલ્સ ગુરૂકુળ વિસ્તાર કે જે રહેણાંક વિસ્તાર છે ત્યા હોવાથી પ્રજાજનોને ઘણી બધી અગવડો થવા પામી રહી છે, તો વડી અન્ય મોલ્સમાં એકસપાયરી ચીજવસ્તુઓ પેણાવી દેવાતી હોવાની ફરીયાદો પણ આવતી જ રહેતીહોય છે. હાલમાં જયારે રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાઓબની છે ત્યારે અહી ફાયર એનઓસી, મંજુરીઓ, ફાયરના સાધનો, સહિતના મામલે તપાસ કરવી ખુબજ જરૂરી બની રહી છે. આ ઉપરાંત આ મોલ્સના ઈન-આઉટ ગેટસ, બે છે પરંતુ બન્ને કાર્યરત છે કે પછીએક જ ખુલ્લો રખાયો છે, અને બીજાને તાળા જ મારેલા છે? તે મામલે પણ કેમ સમીતીઓ બનાવી અને તપાસ કરવામા આવતી નથી? શું ગાંધીધામના તંત્રને અહી કેાઈ મોટી દુર્ઘટના બનવાની ઈંતેજારીરહેલી છે. હકીકતમાં ભારે ભીડ એકઠી થતી હોય તેવા તમામ મિલ્કતો, બિલ્ડીંગ, મોલસ સહિતનાઓના ઓડીટ કરવા જ જોઈએ. નોધનીય છે કે, હોસ્પિટલોમાં પણ ફાયર સેફટીના સાધનોને લઈને તપાસણો કરવી અનિવાર્ય બની રહી છે. માની શકાયકે દર્દીઓ કદાચ સારવાર લઈ રહ્યા હોય તો તેમને ધ્યાને રાખીને સીલ ન કરવામા આવે પરંતુ સમય અવધિ આપી અને તે જ મર્યાદામાં સુવિધાઓ ઉભીકરી લેવાની કડક નોટીસો ફટકારવી જોઈએ. એ જ રીતે થીયેટર-સિનેમા, હોટેલો સહિતમાં પણ છાનબીન કરવી જોઈએ. મોટાભાગમાં લાલીયાવાડી ઝડપાય તેમ છે. પરંતુ ગાંધીધામના સરકારી તંત્રને જાણે કે, સાપ જ સુગી ગયો હોય તેમ આવી રાજકોટ અગ્નિકાંડની ગંભીર ઘટના બન્યા બાદ પણ કોઈ પણ પ્રકારની તકેદારીની તપાસ કરતા હોય તેવુ જોવાતુ ન હોવાથી પ્રબુદ્ધવર્ગમાં ભારે કચવાટ ફલાઈ જવા પામ્યો છે.
..........
ભુજમાં જે થયુ તે અંજાર-ગાંધીધામમાં કેમ નહી?
ગાંધીધામ સંકુલ-અંજારમાં ૬૦ ટકાથી વધુ હોસ્પિટલો-મોલ-શોપીંગ કોમ્પલેક્ષ-ટયુશન કલાસીસ-એકેડમીઓ ફાયર એનઓસી વિના જ ચાલી રહ્યા છે : દુર્ઘટનાઓ બનશે ત્યારે કોણ રહેશે જવાબદાર?
ગાંધીધામ : રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડની ઘટના બાદ રીજનલ ફાયર ઓફીસર દ્વારા રાજયભરમાં નગરપાલિકા વિસ્તારોમાં આવતા વિવીધ સ્થળોના નામો જોગ આદેશ કરી અને તે તમામની તપાસ ફાયર એનઓસી મામલે સમીતીની રચના કરી અને વેળાસર જ રીપોર્ટ રજુ કરવાનો આદેશ અપાયો છે. જેની અમલવારી ભુજમાં સચોટ થવા પામી ગઈ છે. પરંતુ ગાંધીધામ અને અંજારમાં માત્ર અને માત્ર સર્વેના જ નાટકો અને વાતો આગળ કરવામા આવી રહી છે. અજાર ગાંધીધામમાં ૬૦ ટકાથી વધુ હોસ્પિટલો, રેસ્ટોરેન્ટ, મોલ, શોપીંગ કોમ્પલેક્ષ, ટયુશન કલાસીસ, એકેડમીઓ ફાયર સેફટીના એનઓસી અને મંજુરી વિના જ ધમધમી રહ્યા હોવાની ફરીયાદ સપાટી પર આવી રહી છે. આવી રીતે ચાલી રહેલા પ્રતિષ્ઠાનોમા જયારે કોઈ મોટી ઘટના બનશે તો જવાબદારી કોની નકકી કરાશે? કોણ રહેશે જવાબદાર? અંજાર ગાંધીધામના અધિકારીઓને કોઈની શેરશરમ નડી રહી છે કે પછી ગાંધીછાપ નોટો તેઓને કાર્યવાહી કરવાથી રોકી રહી છે? અંજાર ગાંધીધામમાં ફકત ગઈકાલથી સર્વે ચાલે છે તેની જ વાતો કરવામા આવી રહી છે પરંતુ ભુજમાં જે રીતે સર્વેની સાથે જ હોટેલ-હોસ્પિટલ-લેબોરેટરી તથા મોલ્સને સીલ કરી દેવામા આવ્યા છે તેવી ધાક બસાડતી કાર્યવાહી કેમ ન થઈ શકી?
Comments