તો કચ્છમાં હવે વોટરપાર્ક પર તવાઈ કયારે? શું કોઇ મોટી ઘટનાની ઈંતેજારી ? ભુજ-અંજાર-ભચાઉમાં લાલઆંખ કેમ નહીં?
ભચાઉ પટ્ટાના રીસોર્ટમાં તો લાખોની વીજચોરી ઝડપાઈ ચૂકી છે?
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજયભરમાં ઠેર-ઠેર વોટરપાર્ક સીલ કરાયા છે તે વખતે સુચક ઈશારો
વોટરપાર્ક તથા આલીશાન હોટેલોના સ્વીમીંગપુલ અને વોટર રાઈડસમાં વપરાતુ પાણી આવે છે કયાંથી? પ્રજાજનો પાણી માટે ફાંફા મારી રહ્યા છે, તો આ વોટરપાર્કમાં અ..ધ.ધ.. પાણી મેળવે છે કેવી રીતે? કોણ તેના પર કરી રહ્યુ છે મોનીટરીંગ?
ફીટનેશ સર્ટીફીકેટ કચ્છમાં કાર્યરત કેટલા વોટર પાર્ક ધરાવી રહ્યા છે? સવાલ સવામણનો? : કયારે કોઈએ કરી છે તપાસ?
સાપેડા ફાટક નજીક, માધાપરના અંતરીયાળ વિસ્તારમાં, કુકમા પાસે, ગાંધીધામની હોટેલોમાં વોટરપાર્ક, વોટર રાઈડસ ધમધમે છે? તેનું ઓડીટ ફરી કોઈ ગંભીર ઘટના બનશે ત્યારે કરવામાં આવશે? ભરૂચવાળી અહી તો કયાંય નથી થતી ને..? : ભરૂચમાં સીધુ જ ગટરનું પાણી વોટરપાર્કમાં ભરાતુ હોવાનો થઈ ચૂકયો છે પર્દાફાશ : કચ્છમં પણ ધમધમતા વોટરપાર્કોની પણ સર્વગ્રાહી ઓડીટ ચકાસણીઓ થવી જોઈએ, જમીનો પર હકક, પાણીનો સ્ત્રોત, પાણીની ગુણવત્તા, લોકોના સ્વાસ્થય-સુરક્ષા માટેની વ્યવસ્થાઓ કેટકેટલી-શું છે? જયા સુધી આ બધી જ વ્યવસ્થાઓ સંતોષકારક ન બને ત્યા સુધી વોટરપાર્ક પણ કરવા જોઈએ સીલ
• અંજાર તાલુકા વિસ્તારના વોટરપાર્કમાં સ્ટ્રકચરલ સર્ટીફીકેટ આર એન્ડ બીના અપાયેલા છે, ફાયર સેફટી એનઓસી પણ ઉપબલ્ધ છે, સમીક્ષાઓ કરાઈ છે : શ્રી ખાંભલા(મામલતદારશ્રી અંજાર)
• ગેમઝોન સંદર્ભે કાર્યવાહી કરી દેવાઈ છે, વોટરપાર્ક, વોટર રાઈડીસ, હોટેલોમાં રહેલા વોટર રાઈડીસ સહિતના મામલે પણ ચોકકસથી ખરાઈ કરાવી લઈશુ : શ્રી મલેક (મામલતદારશ્રી ભુજ)
• અમારા વિસ્તારમા ખારઈમાં એક વોટર પાર્ક છે, તેની સ્થળ તપાસ કરાવી અને ફાયર સેફટી બાબતે વધુ સજજતા કેળવાની કડક સુચનાઓ આપી છે, સુચનોની અમલવારી બાબતે ફરીથી તપાસ કરાવીશું,
હાઈવે હોટલોમાં પણ ફાયર સેફટી એનઓસી અંગે ચોકકસથી તપાસણી થશે : શ્રી રાજપુત (મામલતદારશ્રી ભચાઉ)
ગાંધીધામ : રાજકોટમાં બનેલા અગ્નિકાંડની ઘટના બાદ પણ હજુય જાણે કે આમપ્રજાજનોની સલામતી અને સુરક્ષાને લાગતા વળગતા મનોરંજન આપતા અન્ય આયોજનોમાં કોઈ ફરીથી મોટી ઘટનાઓ બને તેની જ ઈંતેજારી રહેલી હોય તેેમ કચ્છમાં ભુજ-અંજરા-ભચાઉ-રાપર સહિતના પટ્ટાઓમાં આવેલા અમુક વોટર રીસોર્ટ આજે પણ બેફામ રીતે ધમધમી રહ્યા છે. પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, મોંધાદાટ રીસોર્ટમાં સલામતી સુવિધાઓ શું છ, અથવા તો કેવી હોય છે તેનો દાખલો તો ભરૂચવાળા વોટરપાર્કમાંથી બનેલી ઘટનાઓમાં જોવાઈ જ રહ્યુ છે.
પહેલા સહેજ વાત કરીએ અહી ભરૂચવાળી તો નથી થઈ રહી ને તેવુ એટલા માટે કહેવાય છે કે, તાજેતરમાં જ ભરૂચમાં રાજકોટ અગ્નિકાંડ બાદની તપાસમાં મોટા ભોપાળાઓ સામે આવવા પામી ગયા છે. ખેતરની જમીમા વાટેરપાર્ક ઉભુ કરી દેવામા આવ્યુ છે. પરંત આ વોટર પાર્કની મંજુરી કોની તેવા સવાલો વચ્ચે વોટરપાર્કમા વરસાદી કાસના પાણીનો ઉપયોગ કરાતો હોવાનુ સામે આવ્યુ છે. આ ઉપરાંત આ મામલે મળતી માહીતી અનુસાર ભરૂચમાં વોટરપાર્કમાં ગટરનું પાણી ભરવામા આવતુ હતુ તેનો ખુલાસો એક ઈલેકટ્રોનીક મીડીયા દ્વારા કરવામા આવી ગયો છે. તેની સાથે જ ગેરકાયદેસર વોટરપાર્કને લઈને પણ અનેક સવાલો ઉભા થવા પામી જ ચૂકયા છે. આ ઉપરાંત વરસાદી કાંસના પાણીનો અહી ઉપયોગ કરવામાં આવતો હોવાની કેફિયત પણ બહાર આવવા પામી ગઈ છે.કેનાલમાથી વરસાદી કાસમા પાણીની લાઈન આપી પ્લાસ્ટીકની પાઈપલાઈન વડે સીધુ પાણી વોટરપાકમાં પહોચતુ હોવાના પણ અહી તપાસ દરમ્યાન ખુલાસા થઈ ગયા છે. કેટલાક કિસ્સાઓમાં અહી લોકોને ચામડીના રોગ થયા હોવાની ફરીયાદો પણ સપાટી પર આવી હતી. આ ઉપરાંત અહી ફીટનેશ સર્ટીફીકેટ પણ ઉપલબ્ધ ન હતુ. આપણે સૌ જાણીએ છીએ કે, કચ્છમાં પણ પાછલા અમુક વરસોથી વોટરપાર્ક-રીસોર્ટના કલ્ચર વકરી ચૂકયા છે. ભુજ સમીપે માધાપર, કુકમા, સાપેડા ફાટક રતનાલથી આગળ, ભચાઉના અંતરીયાળી ગામો સુધી આ વોટર પાર્ક-રીસોર્ટવાળાઓ ધમધમી રહ્યા છે. પરંતુ સરકારી નીતીનિયમોની કેટલી અમલવારી આવા રીસોર્ટમાં થાય છે? તે જોવુ ચકાસવુ પણ ખુબજ જરૂરી બની રહ્યું છે. જે રીતે રાજકોટ અગ્નિકાંડમાં ઘટના બની છે તેવી જ રીતે અહી પણ કોઈ મોટી દુર્ઘટના બનશે તે બાદ જ તપાસના નામે તવાઈ આવશે કે કેમ? આપણે સૌ જાણીએ છીએ તે રીતે ભચાઉના ખારઈ પાસે આવેલા એક વોટરપાર્કમાં તો મોટા પ્રમાણમાં દાદાગીરી પૂર્વક જ લાખોની વીજચોરી પકડવામાં આવી હતી. અહી વીજચોરીકરવા માટે બધી જ મશીનરીઓ અને ટ્રાન્સફોર્મર જ અલગથી લાગેલા હોવાનાી ફરીયાદો સપાટી પર આવી હોવાનુ મનાય છે. હવે આ રીતે વીજચોરી જે કરતા હોય તેઓ રીસોર્ટમાં નફાખોરી રડવાને માટે બીજુ શુ નહી કરતા હોય..! કહવાય છે કે, અહી વીજકનેકશનોના જોડાણો, વાયરીંગ, જુની મશીનરી સહિતના મામલે તપાસ કરવી જોઈએ. ઉપરાંત આ રીસોર્ટની પાસે કયા સરકારી તંત્રની મંજુરી છે? સુરક્ષા સલામતીના સાધનો કયા છે? તેઓના પાણીના સ્ત્રોત શું છે? પાણી કેવી રીતે તેમને મળે છે? પાણીની ગુણવત્તા શુ છે?આ બાબતે અંજાર મામલતદારશ્રી ખાંભલાને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, રાજકોટની ઘટના બાદ જિલ્લા સમાહર્તાશ્રીએ આપેલી સુચના અનુસાર વિસ્તારમાં આવતા વોટરપાર્કને લઈને સમીક્ષાઓ કરવાનું કહેતા અમોએ તપાસ કરી છે, સાપેડા પાસેના વોટરપાર્કના ટેકનીકલ રીપોર્ટ આર એન્ડ બી વિભાગ પંચાયતની ટેકનીકલ શાખા દ્વારા મેળવાયા છે અને તે નિયમ અનુસારના જ હોવાનુ તેઓએ જણાવેલ છે, ફાયર સેફટી એનઓસી પણ ત્યાં અપડેટેજ રહેલી હોવાનુ શ્રી ખાંભલાએ આ તબક્કે જણાવ્યુ હતુ. તો વળી ભુજના મામલતદારશ્રી મલેકને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, ગેમીંગ ઝોનના વિષય બાબતે કાર્યવાહી તપાસ બાદ કરી દેવાઈ છે, પરંતુ વોટરપાર્કના મુદે પણ વેળાસર જ તપાસ કરાવીશુ, નીતીનિયમોની અમલવારી થાય છે કે નહી તે રીપોર્ટ આવ્યા બાદ ચોકકસથી ધોરણસરની કાર્યવાહી કરાવીશુ. જયારે કે ભચાઉના મામલતદારશ્રી રાજપુતને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ખારઈ વિસ્તારમાં એક વોટરપાર્ક આવેલ છે, તેમને ફાયર સેફટી બાબતે વધારે સજજતા કેળવવાની સુચનાઓ આપેલી છે અને તેની અમલવારી બાબતે પણ ફેર તપાસ ચોકકસથી કરાવીશુ, અમારા વિસ્તારના હાઈવેમાં આવેલી હોટલો-ગેસ્ટહાઉસમાં પણ ચોકકસથી ફાયર એનઓસી અંગે તપાસણી કરાવીશુ તેવુ શ્રી રાજપુતે જણાવ્યું હતુ.
.........
હોસ્પિટલો, જીમ-હોટેલો-રેસ્ટોરેન્ટસની પણ કેમ ન થાય જિલ્લાવ્યાપી તપાસ?
ફાયર સેફટી મામલે જે કોઈ લાપરવાહ હોય તેને તાળાબંધી જ કરી દેવી જોઈએ
ગાંધીધામ : રાજકોટમાં અગ્નિકાંડની જે ઘટના બનવા પામી છે અને જે રીતે નામદાર હાઈકોર્ટ પર સરકારની મશીનરીઓ પરથી ભરોસો જ ઉઠી ગઈ હોય તેવી કડક લાલઆંખ કરી રહ્યા છે અને આ ઘટનાએ આખાય ગુજરાતને ધમરોળી નાખ્યુ છે ત્યારે હવે આમપ્રજાજનોના જાન-માલની સુરક્ષાને લઈને તમામ મોરચે તપાસ કરવી જરૂરી બની રહી છે. ફાયર સેફટી અને તેને લગતી મંજુરીઓ તથા એનઓસીને લઈને સાર્વજનિક ઓડીટ થવા જોઈએે. ત્યારે હવે વોટરપાર્ક અને રીસોર્ટની સાથોસાથ જિલ્લામાં ધમધમતી હોસ્પિટલો, જીમ-હોટલો, રેસ્ટોરેન્ટસ ઉપરાંતની પણ ક્રોસ ચેકીંગ કરવી જોઈએ. ભુજ-ગાંધીધામ સહિતના વિસ્તારોમાં કઈક જીમ ધમધમી રહ્યા છે, તેને મંજુરી આપવાના નોમ્સ-નિયમો શું છે? કોણે તેમને મંજુરીઓ આપી છે? નિયમોની ચકાસણીઓ કોણ કરી રહ્યુ છે? તેવી જ રીતે હોસ્પિટલોનો પણ એક સર્વે કરવો જરૂરી બન્યો છે. હાલમાં તેની ચકાસણીઓ કરી અને જયાપણ અધુરાશો લાગે તેને બંધ જ કરી દેવા જોઈએ.
..........
ભચાઉ-રાપર સહિત્ના હાઈવે પરની હોટેલો-ગેસ્ટહાઉસમા
અગ્નીસમન સાધનો-ફાયરસેફટી છે ખરા?
ગાંધીધામ : આગ લાગે ત્યારે કુવા ખોદવાના તાલે કચ્છ-ગુજરાતમાં બનતી ઘટનાઓ સરકારી મશીનરી, અધિકારીઓ-કર્મીઓના લકવાગ્રસ્ત સ્થિતીનો ચિત્તાર આપવા પુરતા જ બની રહ્યા છે. હાલમાં રાજકોટ અગ્નિકાંડની ઘટનાએ આગ લાગે તેવી સ્થિતીમાં આમપ્રજાજનોના જાનમાલને લઈને કોઈ જ વ્યવસ્થાઓ ન હોવાની સ્થિતી ઉઘાડી પાડી દીધી છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં વાગડ-ભચાઉ સહિતના હાઈવે પટ્ટામાં પણ હોટેલો-ગેસ્ટહાઉસ આવેલા છે. અહી પણ ડ્રાયવરો સહિતના લોકોને રહેવા માટેની સગવડો કરાયેલી છે તો પછી ફાયર સેફટીના નિયમોની અહી અમલવારી થાય છે ખર? આગ લાગે તો અહી શું કરવાનુ? હાઈવે રોડ પર કચ્છમાં આવી અનેક હોટલો ખડકાયેલી છે. તઘડા ભાડાઓ વસુલી રહી છે પરંતુ પ્રજાની સુરક્ષાને નામે મીંડુ જ છે. કેટલીક હોટલો તો ર૪ કલાક ધમધમતી રહે છે. ખરેખર આવા લાયન્સ અને પરવાનાઓ તેમની પાસે છે ખરા?
...........
Comments