રાજકોટ અગ્નિકાંડ : ગાંધીધામના ગેમ ઝોનમાં પણ સલામતીના નામે લાલીયાવાડી : પેટ્રોલપંપ બાજુમાં ગેમઝોનને મંજુરી અપાય જ કેમ...!
અંજાર પ્રાંત શ્રી આવા ગેમઝોનની કાયમી મંજુરી જ કેમ ન કરે રદ?
શહેર-સંકુલમાં ધમધમતા ગેમજોનમાં પણ ફાયર સેફટી એનઓસી, ફાયર સાધનો, અગ્નિસમન વ્યવસ્થાઓનો સદંતર છે અભાવ : ઘોડા છુટયા બાદ તબેલાને તાણા મારવાના તાલે ગાંધીધામનુ તંત્ર તપાસના કરી રહ્યુછે નાટક : હકીકતમાં ઓમ સિનેપ્લેકસની બાજુમાં આવેલા ગેમજોનનીતો કાયમીધોરણે જ મંજુરી રદ કરવી જોઈએ : આ પોઝ વિસ્તારમાં ફાયર સેફટી એનઓસી તો નથી જ, પરંતુ તેને પ૦ મીટરની લગોલગમાં આવેલ છે પેટ્રોલપંપ, જો કયારેક આગનુ છમકલુ પણ થયુ તો આસપાસના વિસ્તારમાં ખાનાખરાબીની કલ્પના કરવીપણ મોટો ધ્રુજારો આપી જાય તેમ છે..! : ગેમ જોન પતરાના શેડમાં બનાવાય છે, ટ્રેમ્પોલીન સહિતનીવસ્તુઓ પણ રબ્બરની હોય છે જે પેટ્રોલીમ પદાર્થોથી જ બનતી હોય છે, આગના છમકલામાં ભડકો થતા વાર ન કરે, બહાર નીકળવાના રસ્તાઓ પણ ખુબજ ઓછા એટલે કે નહિવત સમાન જ રખાય છે, આટલી બધી લાલીયાવાડી તંત્રનેકેમ દેખાતી જ નથી હેાતી?
ખાટલે મોટી ખોટ : પૂર્વ્ કચ્છમાં કાર્યરત મહાબંદર, વિશાળ કાય ઔદ્યોગીક એકમો તથા હેઝાડીયર્સ કેમીકલ-ઓઈલના સંગ્રહવાળા ટાંકાઓના લીધે સરકારે ઈઆરસી એટલે કે ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની કરી છે સ્થાપના, પરંતુ જયારે જયારે અહી મોટી દુૃઘટનાઓ બનવા પામી છે, ભયાવહ આગ લાગી છે ત્યારેત્યારે આ ઈઆરસી સેન્ટર પુરવાર થયુછે શોભાનું ગાંઠીયુ : કેાઈ દુર્ઘટના બને, લોકોના જીવ ભડથું થઈ ગયા હેાય તો પણ આ ઈમરજન્સી સેન્ટર ત્વિરત એકશનમાં આવાના બદલે ફલાણાની મંજુરી લાવો, પત્રો લાવો, આ બધીપ્રક્રીયાઓના હઠાગ્રહ રાખે છે એટલે ત્યા સુધી લોકો તો આગમાં સ્વાહ જ થઈ ગયા છે
સબંધિત અધીકારીઓ સાથે એક તત્કાલ મીટીંગ બોલાવી છે, સૌને ગેમજોન સહિતના મામલેની ફાયર સેફટી સબંધિત લીસ્ટ બનાવી, ચેકીંગ કરાવી અને ત્વિરત જરૂરી કાર્યવાહી કરવામા આવશે :
શ્રી સુનીલકુમાર (પ્રાંત અધિકારી અંજાર)
નગરપાલિકા પ્રાંતશ્રીના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી ચોકકસથી હાથ ધરશે, મંજુરી નગરપાલીકાએ આપવાની રહેતી નથી, બાંધકામ સબંધિત પરવાનગી જીડીએ આપતું હોય છે :
શ્રી રામાનુજ (મુખ્ય કારોબારી અધિકારી ગાંધીધામ)
ગેમ ઝોન સંચાલકો માથાભારે એકાદ રાજકારણીને સીધા કે પરોક્ષ રીતે સાથે રાખીને આવી લાલિયાવાડીઓ ચલાવતા હોય છે જેથી ઘટનાઓ બને તો તેમનો કોઈ વાળ પણ વાંકો કરી ન શકે
ભુજમાં પણ હિલગાર્ડનમાં ચાલતા ગેમ ઝોનને લઈને પણ સુરક્ષા સલામતી મુદ્દે ઉઠ્યા સવાલો : તંત્ર તવાઈ બોલાવી સમીક્ષા કરશે ખરું ?
ગાંધીધામ : સુરતના તજશિજ્ઞા આગ કાંડથીપણ મોટોઅને ગંભીર કરુણાંતીકા જ સર્જી જતો રાજકોટનોગેમીગ આગ કાંડની ઘટના બનવા પામી ગઈ છે. રાજકોટના ટીઆરપી મોલમાં બનેલી ઘટનાથી ૩૩ નીદ્યોર્ષ લોકોના મોત નિપજી જવાપામીગયા છે અને આ ઘટના બાદ કઈક કેટલાય પ્રકારના સવાલો આજે ઉભા થવા પામી રહ્યા છે જેની તપાસ તો ચાલી જ રહી છે પરંતુ બીજીતરફ પૂર્વ કચ્છના ઔદ્યોગીક ગાંધીધામ સંકુલમાં પણ આવા જ ધમધમી રહેલા ગેમઝોનને લઈને ભારે આતંરીક ઉહાપોહ સાથે કઈક મોટા સવાલો ઉભા થવા પામી રહ્યા છે.
જાણકારો કહી રહ્યા છે કે, રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાઈ ગયો છે અને તેમાં ૩૩ લોકોના મોત થવા પામી ગયા છે ત્યારે ગાંધીધામ સંકુલમાં પણ ધમધમતા ગેમીંગ ઝોન માત્ર અને માત્ર લુંટફાડટ કરવાના સાધનો જ બની ગયા હતા. આમપ્રજાજનો અને ત્યા આવી રહેલા લોકોની જાનમાલની કેાઈ જ સુરક્ષા વ્યવસ્થાઓ અહી પણ કરવામા આવેલી જ ન હતી. ગાંધીધામ સંકુલમાં ચારથી વધુ જેટલા ગેમજોન ધમધમી રહ્યા છે તેમાં કેટલી હદે લાપરવાહી છે અને તંત્ર કેટલુ વામળુ તેવા ગેમજોન સામે પુરવાર થયેલ છે તેની ચર્ચાઓ હવે ચાલ થવા પામી છે અને ખાસ કરીને ઓમસિનેપ્લેકસની બાજુમાં જે ગેમઝોન આવેલ છે તેને લઈને વધારે સવાલો ઉભા થયાછે.જાણકારો કહી રહ્યા છે કે, આ ગેમઝોનમાં ફાયર એનઓસી અને ફાયર સેફટીને લાગતી સુવિધાઓ તો હતી કેનહીતે પછીની વાત છે પરંતુ આ ગેમ ઝોનનેજેસ્થળ પર મંજુરીઅપાઈ છે ત્યા અપાય જ કેવી રીતે? કારણ કે, આ ગેમીંગ જોનની પ૦ મીટરની ત્રિજયામાં એક વિશાળપેટ્રોલપંપ ધમધમી રહ્યુ છે. હવે રાજકોટ જેવી ઘટના અથવા તો તેવુ મોટુ આગનુછમકલુ કદાચ આ ગેમીગ જોનમા થાય તો પણ આજુબાજુના પેટ્રોલપંપ સુધી એ આગ પહોચતા વિકરાળ અને ભયાવહ સ્થિતી સર્જી શકે તેમ છે. રાજકોટમાં બનેલી ઘટના બાદ તંત્ર જાણે કે ઘોડાછુટી ગયા બાદતબેલાને તાણા મારવા દોડતુ હોય તેવી રીતે તપાસના ત્રાગાઓ કરી રહ્યુ છે, નાટક માત્ર કરી રહ્યુ છે પરંતુ હકીકતમાં તો અંજારના પ્રાંત અને ડે.કલેકટરશ્રીએ આ ગેમીંગ ઝોનની સામે સૌ પ્રથમ તો કાયમીપરવાનગી જ રદ કરીદેખાડવી જોઈએ. આ ગેમીંગ ઝોનને પેટ્રોલપંપની બાજુમાં મંજુરી અપાય જ કેમ? સબંધીત તંત્રો કોણ કોણ છે? તેઓએ શુ સમજીવિચારને આ ગેમીંગ ઝોનને મંજુરી આપી છે? આ ઉપરાંત ઓમ સિનેપ્લેકસની બાજુમાં આવેલ ગેભીંગ ઝોન છેતે ભરચક વસ્તી અવરજવર વાળો પોશ વિસ્તાર છે. જો વભિષ્યમાં અહી પણ આવી કોઈ ઘટના
બનવા પામી તો અહી પણ ખાનાખરાબીનો આંક સરકારને ધ્રુજારો આપી જશે તેટલો મોટો જ હશે.હાલમાંજયારે રાજકોટ અગ્નિકાંડની
ઘટના બની છે ત્યારે તંત્ર બીજા નાના મોટા ગેમીંગ ઝોનમા તો જે તપાસ કરે તે પરંતુ ઓમ સિનેપ્લેકસની બાજુમાં આવેલા ગેમીંગ ઝોન કે જેની બાજુમા કે પાછળના ભાગે જ પેટ્રાુેલપંપ છે તેને કાયમી ધોરણે બંધ કરી દેવાની સ્ફુર્તી દેખાડે તે જ સમયનો તકાજો બની જવા પામી ગયો છે.
આ ગેમીંગ ઝોનની તપાસ કરવામા આવશે તો ખ્યાલ આવશે કે કયારે કોઈ મોટી દુર્ઘટના અહી બનવા પામી તો અહીથી બહાર નીકળવાનો રસ્તો પણ ખુબજ સાંકળો છે એટલે ખરેખર તંત્ર તાકીદે આવા ગેમીંગ ઝોનની સામે કડક રાહે કાર્યવાહી કરે તે જ સમયનો તકાજો બની જવા પામ્યો છે.
---------------------------
જીડીએ-ફાયર સેફટી ઓફીસર-નગરપાલીકાની આંખે
તો ભ્રષ્ટ પાટ્ટા જ લાગેલા છે : મોટી દુર્ઘટનાની છે ઈંતેજારી
ગાંધીધામમાં ગેરકાયદેસર મસમોટા નિયમ વિરૂદ્ધના હોર્ડિગ્સ પણ ઠેર ઠેર લટકી રહ્યા છે : વાવાજોડુ તોળાય છે, તેજ પવન ફુંકાવવાનીઆશંકાછે, ચોમાસુ પણ દસ્તક દઈ રહ્યુ છે, જવાબદારોની ભ્રષ્ટ રીતીનીતીથી આવા ધમધમતા હોર્ડિગ્સથીગાંધીધામમાં પણ મહારાષ્ટ્રવાળી હોર્ડિગ્સ દુર્ઘટના કે જેમાં ૧૧ લોકોના મોત નિપજી ગયા તે નહી બને તેની શું ખાત્રી?
ગાંધીધામ : રાજકોટના ગેમીગ ઝોનમાં બનેલી દુર્ઘટનાએ તમામ સુતેલા તંત્રોને ભરનિંદરમાંથી જગાડીદીધા હોવાની સ્થિતી ઉભીથવા પામી ગઈ છે.હવે જાણે કે આગ લાગી અને કુવો ખોદવા નીકળ્યા હોય તેમ ઠેર ઠેર તપાસ થવા પામી રહી છે. ગાંધીધામમાં પણ આવેલા ગેમીગ ઝોનનીલાલીયાવાડીઓ રાજકોટ બાદ જયારે ચકાસવામાંઆવી રહી છે તો અત્યાર સુધી જીડીએ-ફાયર સેફટી રીજીનલ ઓફીસર અને નગરપાલિકા સહિતનાઓ શું કરીરહ્યા હતા? મંજુરીઓ આપતી વખતે આ બધાયના આંખે તો જાણે કે ભ્રષ્ટ પાટ્ટાઓ જ બાંધી દેવાતા હોય તેમ મંજુરીઓ આપી દેતા હોય છે તેવુ લાગી રહ્યુ છે. યા તો પછી આ બધાયતત્રને ગાંધીધામમાં પણ કોઈ મોટ ી દુર્ઘટના બને તેની ઈંતજારી જ જોવા મળીઆવી રહી છે.
--------------------------
ગુજરાત-કચ્છમાં તંત્ર-માનવસર્જિત બેદરકારીઓની ઘટનાઓ
પર ઘટનાઓઃ તંત્રનું તપાસના નામે માત્ર નર્યુ નાટક જ નાટક.!
મોટી ઘટના બને, સ્થળ પર ધસી જવુ, દોષીતોને દંડવાના દાવાઓ કરવા, મૃતકોને સહાયના મલમનીજાહેરાત માત્ર કરવી, રાજયવવ્યાપી તપાસ કરવા સમીતીઓ રચવી, સીટના ગઠન કરવા, આબધા જત્રાગા ચાર દીન કીચાંદની ફરી અંધેરી રાતના તાલે રાત ગઈ વાત ગઈને અનુસરીતંત્ર કોઈ જ કડકાઈથી નીતી નિયમોની અમલવારી કરાવતી જ નથી , અને માતમ ફેરવી દેતી દુર્ઘટનાઓના થઈ રહ્યા છે પુનરાવર્તન
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના, સુરત તજક્ષીલા અગ્નિકાંડ, હરણી બોટ દુર્ઘટના, રીવરફ્રન્ટ અમદાવાદ રાઈડસ દુર્ઘટના, માંડવી બીચ વોટરએકટિવીટી જીવલેણ કાંડ, મહારાષ્ટ્ર ભારે ભરખભ હોર્ડિગ્સ ઘટના-૧૧ના મોત : આ બધીય ઘટનાઓ માનવસર્જિત ક્ષતિ જ છે, પરતુ કાયમી અને કડક કાર્યવાહીના નામે દેખાય છે તંત્ર વામણુ : રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સેફટી-એનઓસીનીજડબેલસલાક અમલવારી કરવામા આવશે ખરી?
ગાંધીધામ : ગુજરાતમાં પાછલા ટુંકા સમયમાં અતિગંભીર માનવસર્જિત હોનારત એક પછી એક બનવા પામી જ રહી છે પરંતુ તંત્રને અને સરકારને જાણે કે, આવી ઘટનાઓમાથી બોધપાઠ લઈ અને દોષીતોનેકડકમાં કડક રાહે સજા કરવાના બદલ માત્રે ગણતરીના કલાકો અથવા તો દિવસો સુધી તેને લઈને સમીક્ષાઓ અને ચર્ચા કર્યા બાદ ફરીથી આવા માનવસર્જિત ઘટનાઓ સર્જનારાઓને છુટોદાર જ આપી દેવામા આવતો હોય તેમ જોવાઈ રહ્યુ છે. ત્યારે રાજકોટના અગ્નીકાંડ બાદ પણ સરકાર અને તંત્ર હકીકતમાં રાજયભરમાં ચાલતી લોલમલોલ પ્રવૃતીઓને ડામશે કે પછી સમીતીઓ અનેસીટનીરચનાઓ કરી અને હાથ ઉંચા કરી લેશે તેવી ટકોર જાણકારો કરી રહ્યા છે. આ વુ એટલા માટે કહેવાય છે કે, મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બની તે બાદનીતપાસના નાટકો બધાયજોયા છે, બ્રીજ-પુલના રાજયભરના સર્વે કર્યાનો દાવો કરાયો, તેમ છતા પણ ઘટનાઓ બનતી જ જોવામા આવી હતી, વડોદરાની હરણી બોટ દુર્ઘટનાની ઘટના સર્જાઈ તે બાદ વોટર એકટિવીટીના સર્વે કરાશે, કડકાઈ થશેના દાવાઓ કરાયા પરંતુ કચ્છના માંડવીમાં જ હાલમાં એ જ વોટર એકટીવીટીએ એક વ્યકિતનો ભોગ લઈ લીધો,સુરતમાં પજક્ષીલા ટયુશનકલાસીસમાં આગની ઘટના બની અને નિદોર્ષ વિદ્યાર્થીઓના મોત થવા પામીગયા, પરંતુ કોઈ જ બોધપાય તે બાદ પણ ફાયરસેફટીને લઈને શીખાયા જ ન હોય તે રીતે હવે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાઈ જવા પામ્યો છે.
---------------------------------------
પેટ્રોલ પંપની તદ્ન બાજુમા જ ધમધમતા...
ગાંધીધામના ફન બ્લાસ્ટ ગેમ ઝોનની ઈન્સ્પેકશન કોણે કર્યું ? :
બીયુ રીપોર્ટ કોણે તૈયાર કર્યો ? સચિવશ્રી કેમ ન લે કડક પગલાં
જીડીએના નિયમોનુસાર જ મંજુરી આપી છે : પેટ્રોલપંપ બાજુમાં હોય તો મંજુરી ન આપવી તેવો કયાંય નિયમોમાં જણાવાયું નથી : ઈન્સ્પેકશન કરનાર જીડીએના મહિલા કર્મીનો બેજવાબદારી ભર્યો જવાબ, જો કે સેક્રેટરી કહેશે તો ચોક્કસથી આ ગેમઝોનની કાયમી મંજુરી ટર્મીનેટ કરવાનો વ્યકત કર્યો વિશ્વાસ
જીડીએના પ્રજાભિમુખ અને તટસ્થ સચિવશ્રી સુનીલકુમાર આવા બેદરકાર કર્મી સામે કેમ ન કરે લાલઆંખ ? કહેવાય છે કે, જીડીએમાં તો
હાલમાં આ મહિલા કર્મીનો જ ચાલે છે રાજ : ‘પૈસા ફેંક તમાસા દેખ’ની જ રીતિ-નીતિઓ જ ચાલતી હોવાની ઉઠી રહી છે બૂમરાડ
ગાંધીધામ : શહેરના ઓમ સીને પ્લેકસની બાજુમાં તાજેતરમાં જ બનેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોનની સુરક્ષા ફાયર સેફટીને લઈને પણ સવાલો ઉભા થયા છે. ત્યારે પેટ્રોલ પંપની તદ્ન બાજુમાં જ ધમધમતા આ ફન બ્લાસ્ટને જીડીએમાંથી મંજૂરી કેમ મળી ? આ ફન બ્લાસ્ટના પ્લોટનો સ્થળ પરનો પ્રાથમિક ઈન્સ્પેક્શન કોણે કર્યું ? શું આ ઈન્સ્પેક્શન કરનારને બાજુમાં પેટ્રોલ પંપ હતો તે નહોતો દેખાયો ? સ્થળ ઈન્સ્પેક્શન ઉપરાંત બીયુ પરમીશન જીડીએમાંથી કોણે આપી ? અને શું જોઈને આપી ? આ સંદર્ભે જીડીએમાંથી સ્થળ નિરીક્ષણ કરનાર મહિલા કર્મી ગાયત્રીબેનનો સંપર્ક સાધતા તેઓએ રાજકોટમાં બનેલી ઘટના પ્રત્યે સંવેદના દર્શાવી ગાંધીધામમાં પણ જીડીએ દ્વારા એક ફન બ્લાસ્ટ ગેમ ઝોનને મંજૂરી અપાઈ હોવાનું જણાવ્યું હતું. જો કે ઓપન પ્લોટની બાજુમાં પેટ્રોલ પંપ હોવા સંદર્ભે તેમને પુછતા આ સંદર્ભેની જીડીએની માર્ગદર્શિકામાં કોઈ જ નિયમાવલી ન હોવાનું કહી હાથ ઉંચા કરી દઈ કયાંકને કયાંક બેજવાબદારીભર્યો જવાબ આપ્યો હતો અને આ મંજુરીની પ્રક્રિયા તેમનાથી ઉપર બીયુ પરમીશન આપનાર પર ઢોળી દીધી હતી. જો કે ગાયત્રીબેને જીડીએના સેક્રેટરી શ્રી કહેશે તો રાજકોટની બનેલી ઘટના બાદ ચોક્કસથી ફન બ્લાસ્ટ ગેમ ઝોનની બાજુમાં પેટ્રોલ પંપ હોવાના નાતે તેની કાયમી મંજૂરી પણ રદ્ કરી શકાય તેવી ખાત્રી દર્શાવી હતી.
------
Comments