નહીં તો વાગડમાં સુરબાવાંઢવાળી બનતા વાર નહીં થાય?
પોલીસ તંત્ર કાયદાનો કડક ધોક્કો જ પછાડે : ગેરકાયદેસર પાળાને ઉખેડી ફેંકો
વાગડમાં ગેંગવોર-ગુંડાગીરી- ખૂનખરાબાઓ પર બ્રેક લાવવો હોય તો મીઠ્ઠાનાપટ્ટામાં વેળાસર જ ગેરકાયદેસર અડીંગો જમાવેલાઓને તંત્રએ સંયુકત રીતે લાલઆંખ કરી અને દુર કરવા જોઈએ : કારણ કે, મીઠ્ઠાનો સાચો-નીયમો અનુસારનો ધંધો કરનાર ફાયરીંગ-મારકુટ-ખુનખરાબા પર કયારે ન ઉતરી પડ?
ઝડપાયેલાઓના ગુનાહિત ઈતિહાસ ચકાસો, અગાઉ પણ ખાખીના અમુક ભ્રષ્ટ તત્વોના ખભ્ભાનો ઉપયોગ કરી અને ચોરરસ્તાથી ઓવરલોડ પરિવહનના ધંધાઓ ખુલ્લેઆમ ચલાવી, માસીક પાંચથી સાત કરોડનો દલ્લો રડતા રહ્યા હતા, આરટીઓ સહિતનાઓ પણ તે વખતે ભ્રષ્ટ આંખો મીચીને જ બેઠા હતા, પોલીસતંત્ર જો કાનમેર કાંડ પછી પણ લાલઆંખ નહી કરે તો ખુદ પોલીસકર્મીઓની સલામતી પણ જોખમાય તો નવી નવાઈ નહી કહેવાય..ઃ જાણકારોની લાલબત્તી
વર્ષ ર૦૧૮માં જે સર્વે કરી અને ફાઈનલ કરાયા છે તે આંક કઢાવી અને ગેરકાયદેસરના પાળા હોય તેને તોડી જ નાખો
ગાંધીધામ : વાગડ સૌથી આગળ. અહીનાકાનમેર અને જોધપર વાંઢની વચ્ચે અભ્યારણ્ય વિસ્તારમાં જમીનનો ગેરકાયદેસર કબ્જો જમાવવાની આડમાં જુથઅથડામણની ઘટના અને તેમાં એક વ્યકિતની હત્યા થઈ જવાનો બનાવ ખુબજ ચિંતાજનક છે. આ તબક્કે ખરેખર તેના મુડમાં પોલીસે ઉતરવુ જોઈએ અને આ ઘટના કેમ બની, મરનાર અને મારનારાઓ આ સ્થળે શા માટે પહોચ્યા? તેઓ કોના દોરીસંચારથી આ ઘટના સ્થળ પર હતા? જમીનનો ગેરકાયદેસર કબ્જો જો કારણભુત હતુ તો તે કોણ-કોણ કરવા માંગતુ હતુ? તે સહિતની ઘનિષ્ઠ તપાસ પોલીસે આ તબક્કે કરવી જોઈએ અને આવા ગેરકાયદસર પાળાને પણ વિના વિલંબે તોડી પાડવો જોઈએ, કાયદાનો ધોક્કો કડક રીતે પછાડી દેખાડવો જોઈએ નહી તો વાગડમાં બીજુ સુરબાવાંઢ જેવી ઘટના બનતા વાર નહી થાય તેવી લાલબત્તી જાણકારો ધરી રહ્યા છે.
આ બાબતે પ્રબુદ્વવર્ગ દ્વારા ધરવામા આવતી લાલબત્તીની જો વાત કરીએ તો વાગડમાં કાનમેરથી જોધપર વાંઢ વચ્ચે અભ્યારણ્ય વિસ્તારમાં ફાયરીંગ અને તે બાદ હત્યાની ઘટના બની જવા પામી છે તેમાં મીઠાની જમીનો પર ગેરકાયદેસર કબ્જાનો વિષય પ્રાથમીક તપાસમાં ચર્ચામાં આવ્યો છે. પ્રબુદ્વલોકો કહી રહયા છે , જે સાચો વેપારી હોય, જે મીઠ્ઠાનો ધંધો-વ્યાપાર નીતી-નિયમોથી સાચી રીતે જ કરતો હોય, તે કયારે પણ ગુંડાગારી કરવી કે દબાણ કરવા યા તો પછી ખુનખરાબાઓ કરવા-કરાવવાની પડોજણમાં કયારે પણ ન પડે તે વાત તો એકને એક બે જેટલી સાચી જ છે અને તે સૌ કાઈ સારી રીતે સમજી શકીએ તેમ છે. પરંતુ વાગડ પટ્ટામાં આવેલા મીઠ્ઠાથી આચ્છાદીત અલભ્ય પટ્ટામાં કયારેક એક વિસ્તાર તો કયારેક એકને મુકીને બીજા પટ્ટામાં ગેરકાયદેસર અડીંગો જમાવવા માટે માથાકુટ, મારકુટ, જેવી ગંભીર ઘટનાઓ બનતી જ રહેતી હોય છે. હાલમાં તો જુથઅથડામણમાં ફાયરીંગ કરાયુ અને તેમાં એક વ્યકિતનુ મોત પણ નિપજી જવા પામ્યુ છે. આ ઘટનાની ગંભીરતા પોલીસ બરાબર સમજી જ ચુકી છે અને પ્રાથમીક ધોરણે કાર્યવાહી પણ ધડાધડ કડક કરવામા આવી રહી છે. પરંતુ જાણકારો કહે છે કે, હકીકતમાં આવા ખુનખરાબા અને મીઠ્ઠાના પટ્ટાઓ-અભ્યારણ્ય વિસ્તારમાં ગેગવોરને અટકાવી જ હોય તો પોલીસે અહી જે સાચા વેપારીઓ હોય તેમને છોડી અને ગેરકાયદેસર અડીંગો માજવી પાળા બનાવયા હોય, આતંક મચાવતા હોય તેવાઓને શોધી શેધીને તેમના પાળા અહીથી તોડી જ પાડવા જોઈએ.જો આવા વિસ્તારોમાં ગેરકાયદેસ બનેલા મીઠાના પાળાને તોડવાની ધાક બેસાડતી કાર્યવાહી પોલીસતંત્ર વનવિભાગ અને અભ્યારણ્યને સાથે રાખીને કરશે તો અહીથી ગુંડાગીરીનો-ગેંગવોરનો આપોઆપ જ ખાત્મો થવા પામી જશે.આપણે સૌ જાણીએ જ છીએ કે સાચા વેપારીઓ ખુનખરાબા સુધીની હરકતો સુધી ન પહાચે પરંતુ ખુલ્લેઆમ ધારીયા-હથિયારો-ફાયરીંગ અને હત્યા નિપજાવાઈ જાય, ગુંડાગીરી પર જ ઉતરી આવે તે બાબતના મુળનો તો પોલીસે નિકાલ કરવો જ ઘટે. આ ઉપરાંત ઝડપાયેલા શખ્સોના ગુનાહિત ઈતિહાસ પણ ચકાસવા જોઈએ. કારણ કે, ઝડપાયેલા પૈકીનાઓ અગાઉ પણ આ જ રીતે અમુક બની બેઠેલા ભ્રષ્ટ ખાખીધારીઓના ખભ્ભા પર બંદુેક મુકીને કરોડોના બેનામી ધંધાઓ ધમધમાવી જ ચૂકયા હોવાનુ ચર્ચાય છે. અમુક તત્વો ઓવરલોડના પરિવહનને સરકારની આંખમાં ધુંળ નાંખી અને આ પેકીના જ અમુક શખ્સો ભ્રષ્ટ ખાખીધારીઓને સાથે રાખી ચોરરસ્તાઓ બનાવી અને લાંબા સમય સુધી ધમધમાવતા રહ્યા હતા. જેમા આરટીઓના પણ પલળેલા તત્વો સાથે રહેલા હતા. હવે જયારે ઘટના ખુલીને સામે જ આવી ગઈ છે, અને તેમા આવા માથાભારે શખ્સોની સંડોવણીઓ પણ ખુલી જ રહી છે ત્યારે પોલીસે કાયદાનો ધોક્કો પછાડી દેખાડવો જોઈએ. જો હવે પોલીસ આ ઘટનાના મુળ સુધી ન પહોચે, શિરજોરોને સીધાદોર નહી કરે તો ભવિષ્યમાં પોલીસ પણ અહી સલામત
નહી રહે.
.........
ભુકંપ પહેલા સાયકલ પણ ન હોતી, ઝભ્ભાલેંગોનું
પદ મળ્યુને કરોડોની આલીશાન મોટરો આવી કયાથી?
ખડીર પટ્ટાથી લઈ અને અબડાસાના છેવાડાના વિસ્તારો સુધી તપાસ કરવાની જરૂર છે કે, ઝભ્ભાલેંગાળાઓએ કેટલાય જમીનોની કરી છે માંગણી? કોઈ પણ પદ આવે એટલે જમીનો માટેની અરજીઓના ખડકલાઓ કરી દે છે આવા અમુક બની બેઠેલા ઝભ્ભાલેંગાવાળાઃ ખરેખર તો આવા અમુક બની બેઠેલા ઝભ્ભાલેંગાવાળાઓની ઈડીએ જ કરવી જોઈએ તપાસ, એવી તો કઈ રાતોરાત તેમની લોટરીઓ લાગી જાય છે કે, આટલા કુબેરપતિ બની જાય છે?
ગાંધીધામ : કાનમેર હત્યા-જુથ અથડામણ પ્રકરણમાં તપાસ ચાલી રહી છે ત્યારે બીજીતરફ જાણકારવર્ગમાં પણ તરેહ તરેહની ચર્ચા થાય છે. જાણકારો કહે છે કે, આ પ્રકરણમાં રાજકીય આગેવાનોના નામો ચર્ચામા આવી ગયા છે. બેનામી ધધાઓમાથી ખોટી આવક મેળવી અને અમુક બની બઠેલાઓ કેટલા ફાટીને ફુલેકે ચડી રહ્યા છે તેનો પણ આ દાખલો બની રહ્યો છે. જાણકારો કહે છે કે, એવી તો કઈ લોટરી આ શખ્સોને લાગી જાય છે કે, ઝભ્ભો લેંગો પહેરે, કોઈ પદની લ્હાણી થઈ જાય કે થોડા જ સમયમા તેઓ કરોડોની મિલ્કતોના આસામી બની જતા હાયે છે. શું આવા અમુક બની બેઠેલાઓને હોદા જ લુંટફાંડ કરવા માટે અપાતા હાયે છે? હાલમાં પણ ખડીરથી લઈ અને અબડાસા સુધીના પટ્ટામાં ચકાસણી કરવામા આવશે તો કઈક ઝભ્ભાલેંગાવાળાઓએ જમીનોની માગણીઓ કર્યાની ફાઈલો-અરજીઓ જોવા મળી આવશે? આલીશાન કરોડોની મોંઘીદાટ મોટરકારા, બંગલા, ફાર્મ હાઉસ સહિતના માલીક બની ગયા છે?ભુકંપમાં જેને સાયકલના ફાંફા હતા તેની પાસે આજે આટલી બધી પ્રોપર્ટી આવી કયાથી?
.......
આ વલીમામદનો પોલીસ લે કડક ઉધડો :
એ તો પોતાને મોટો ડોન જ માનતો ફરે છે..!
ગાંધીધામ : કાનમેર હત્યાકાંડના કેસમાં તાજેતરમાં જ ભચાઉ ડીવાયએસપીશ્રીએ પ્રેસ યોજી અને વધુ વિગતો જાહેર કરી હતી જેમાં ૧૭ ઉપરાંત બીજા ચાર આરોપીઓના નામો ખુલ્યાની વાત કરી હતી. જાણકારો કહી રહ્યા છે કે, આ કેસમાં જે વલીમમદનુ નામ સામે આવ્યુ છે તેના તો પોલીસે બરાબરના કડક રીમાન્ડ લેવા જોઈએ. તો એ અગાઉ પણ કોઈને કોઈ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનુ બહાર આવશે જ. ૧૬ પૈકીના ૧૦ જેટલા તો ગુનાહિત ઈતિહાસ ધરાવી જ રહ્યા છે. આ વલીમામદ તો પોતાને ડોન જ માની રહ્યો હોવાનુ કહેવાય છે.
.......
જાણે કંઈ બન્યું જ નથી, તેવું વનવિભાગનું વર્તન
ગાંધીધામ : ભારતમાં એક માત્ર ઘુડખર અભયારણ્ય કચ્છના રણમાં આવેલું છે. સામાન્ય રીતે કોઈ પણ ગામમાં વન વિભાગની જમીન હોય અને લોક ઉપયોગી કામ માટે એનઓસી મેળવી હોય તો ચંપલ ઘસાઈ જાય છતા વન વિભાગ દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. પરંતુ વિશાળ રણમાં ગેરકાયદે રીતે મીઠાના કારખાના ધમધમી રહ્યા છે. આજે પણ ઘણા વિસ્તારોમાં મશીનરી જોવા મળે છે. તેમજ રણમાં મીઠાની જમીન બાબતે ફાયરીંગ થયું, મર્ડર થયું તેમ છતા વન વિભાગે હજુ સુધી કોઈ નક્કર પગલાં ભર્યા નથી. ઉલ્ટાનું રણમાં ઘુડખરની ગણતરી કરી જાણે કંઈ બન્યું જ નથી તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. વનવિભાગની બેદરકારીના કારણે રણમાં નમક માફિયાઓ બેફામ બન્યા અને મામલો હત્યા સુધી પહોંચી ગયો અને પોલીસને દોડવાનો વખત આવ્યો, પોલીસ તો પોતાની રીતે પગલાં ભરી લે છે, પરંતુ જવાબદાર એવા વનવિભાગના ભેદી મૌને અનેક સવાલો ઊભા કર્યા છે. જો રણમાં ઘુડખરની ગણતરી કરવા જાય છે તો ગેરકાયદે મીઠાના અગરો કેમ દેખા નથી ? તેમજ સરાજાહેર મર્ડર હોવા છતાં રણમાં ગેરકાયદે પ્રવેશ બાબતે માત્ર અજાણ્યા ઈસમો સામે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવી તે પણ એક સવાલ છે. અગાઉ અનેક વખત રણમાં ગેરકાયદે દબાણ હટાવવા રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. રેન્જ વિસ્તારમાં નિયમીત ચેકિંગ કરવામાં નહીં આવતો હોય તે સહિતના સવાલો વનવિભાગની કામગીરીને શંકાના દાયરામાં મુકી દીધી છે.
..........
SP બાગમાર - DYSP સાગરની ટીમની
સમયસુચકતા અભિનંદનને પાત્ર...!
આ કેસમાં પોલીસ અધિકારીઓએ જે પારદર્શિતા અને તટસ્થતા તથા હિંમત દેખાડી છે અને જેના નામો આ કેસમાં ખોલી નાખ્યા છે, તે ગજબની શકિતનો ઉપયોગ કરી દેખાડયો છે, કોઈ પણ પ્રકારના પરીણામની ચિંતા કર્યા વગર અથવા તો કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કડક પગલા લીધા છે, પોલીસને આ માટે અભિનંદન આપવા જ પડે..!
ગાંધીધામ : કાનમેર અને જોધપરવાંઢ વચ્ચેના વિસ્તારમાં જમીનના ગેરકાયદેસર કબ્જાન લઈને થયેલી જુથઅથડામણ -હત્યાની ઘટના કેટલી ગંભીર છે તે પૂર્વ કચ્છ એસપીશ્રી અને ભચાઉના ડીવાયએસપીશ્રી બરાબરના સમજી ગયા હોય તે રીતે જ ઘટના બનતાની સાથે જ તેઓએ કાયદાને લલકારાઓને ગિરફતમાં લીધા અને તેની સાથે રાજકીય કડીઓ જોડાઈ તેમને પણ ફરીયાદમાં ટાંકી એકાદની અટક કરી લીધી છે. ખરેખર આ માટે બન્ને અધિકારીઓ અને તેમની તાબાની કાર્યરત રહેલી ટીમને અભિનંદન આપવા ઘટે. જે રીતે આ કેસમાં ટીમ સાગર બાગમર અને સાગર સુંબડાએ સમયસુચકતા દાખવી છે તે સરાનીય જ કહી શકાય તવી છે.
..........
કોનમેરકાંડમાં હથિયારો કેમ શોધ્યા નથી મળતા ?
ફટાકડી-રીવોલ્વર કલ્ચર પણ છે જોખમી?
આડેધડ પરવાનાઓ આપે છે કોણ?
હથિયારો પોલીસે વેળાસર કબ્જે કરવા જોઈએ, આરોપીઓ પાસે આ હથિયારો આવ્યા કયાથી? કોણે આપ્યા? તેની પણ થવી જોઈએ ઉંડાણપૂર્વક તપાસ
લીકરની હેલ્થ પરમીટ ધરાવતા હોય તેમને રિવોલ્વરનો પરવાનો આપવાનો જ નથી હોતો..! તપાસ થવી જોઈએ કે, લીકર પરમીટાવાળા કેટલા પાસે રીવોલ્વરની પરવાનગી છે?
ગાંધીધામ : કચ્છમાં પાછલા અમુક સમયથી ફટાકડી રાખવી, રીવોલ્વર ભેંટમાં લટકાવી,ના પણ દેખાડા, પ્રદૃશન, ત્રાટાઓ ખુબ જ વધી રહ્યા છે. આ ફટાકડીઓના પરવાના-લાયસન્સ આડેધડ આટલા બધા આપે છે કોણ? કાનમેરની ઘટનામાં પણ ફાયરીંગ થયુ છે તેમાં એક વ્યકિતનુ મોત નિપજી ગયુ છે, હજુ સુતી આ કામે વપરાયેલા હથિયારો કબ્જે નથી કરાયા, વેળાસર જ તે હથિયાર કબ્જે કરી અને કયાથી આવ્યુ? કોને આપ્યુ? કેટલા સમયથી રખાયુ હતુ? કેવા ઈરાદાઓથી આ હથિયાર રખાયુ હતુ? તે સહિતના મામલે ઉંડી તપાસ પોલીસે વિના વિલંબે જ કરવી જોઈએ.
.......
સીટની રચના કરવી જોઈએ : સરકાર બને સતર્ક
પડદાપાછળના મોટામાથાઓને ઉઘાડા પાડવા જ ઘટે..!
વધુમાં વધુ કડક પગલા લઈને વાગડમાં શાંતિ થઈ જાય તેવી ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ
ગાંધીધામ : કાનમેર હત્યા કાંડ હાઈપ્રોફાબાઈલ બની રહ્યું છે. તેમાં જુથઅથડામણ થવી, એક વ્યકિતનું મોત નિપજી જવુ, હત્યામાં ઘટના બદલાવવી અને હવે તેમાં રાજકીય કડીઓ પણ બહાર આવવા પામી રહી છે. ખરેખર તો આ કેસમા રાજય સરકારે ગંભીરતા વધારવી જોઈએ અને ભવિષ્યમાં પણ અહી કોઈ મોટી દુર્ઘટના બનતી અટકાવી હોય તો આ પ્રકરણ માટે એસઆઈટી(સીટ)નું ગઠન કરવુ જોઈએ અને તેની સર્વગ્રાહી જીણવટપૂર્વકની તપાસ કરવી ઘટે. જે રીતે જુથ અથડામણ વખતથી જ મોટામાથઓ, રાજકારણીઓના નામો ચર્ચામા આવતા હતા તે અનુસાર જ હવે નામો ખુલી રહ્યા છે. આ તપાસ જો સીટ મારફતે કરવામા આવશે તો હજુય વધુ મોટા ખુલાસાઓ ચોકકસથી આ કેસમા થશે અને તપાસ પણ વધુ મજબુતાઈ અને પારદર્શિતા સાથે થવા પામશે.
.........
Comments