ખારીરોહરમાં સસ્તા અનાજની દુકાન પર ગાંધીનગરની ટુકડી ત્રાટકી તો સ્થાનિક ના. પુરવઠા મામલતદાર ગાંધીધામ કેમ ઉંઘતા રહી ગયા?
જિલ્લા પુરવઠા અધિકારી ઉંડાણપૂર્વક કેમ ન કરાવે તપાસ.?
તપાસ ચાલી રહી છે, અલગ અલગ ટીમો કામે લાગેલી છે, જે સત્ય સામે આવશે તે બાદ ધોરણસરની કાર્યવાહી કરવામા આવશે : શ્રી હાશ્મી (પુરવઠા અધિકારી, ભુજ)
ડોર ટુ ડોર સર્વેની કામગીરી ચાલુમાં છે, અંતિમ અહેવાલ તૈયાર થાય બાદમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે : શ્રી પ્રફુલ્લભાઈ ગોર (ઓ.એસ. પુરવઠા વિભાગ-ભુજ)
ખારીરોહર સહિતમાં જે તપાસ ચાલી રહી છે અને જયા જયા ખોટુ રેશનીંગની દુકાનમાં ઝડપાય, તે દુકાનોમાં ગાંધીધામ નાયબ મામલતદાર પુરવઠા વિભાગ તરફથી તે વખતે કોણે કોણે કરી છે ગાલમેલ? તે વખતના નાયબ પુરવઠા મામલતદાર હતા કોણ? તેની સાથેના ઓપરેટર તથા હંગામી કર્મીઓ કોણ કોણ હતા? આ તમામ સિન્ડીકેટના પણચહેરાઓ બેનકબ કરવા જોઈએ અને તેમની સામે ધાક બેસાડતી કાર્યવાહી થવી ઘટે
કયા ભ્રષ્ટાચારી નિવૃત નાયબ મામલતદારની આવા મોટા કૌભાંડો-સરકારી અનાજ સગેવગે કરવા જેવી ગંભીર ગુનાહિત પ્રવૃતીઓ કરવામાં રહી છે ભુ્ડી ભૂમિકા? તંત્ર-ડીએસઓ તપાસે અને તથ્ય બહાર આવે તો આવા નિવૃતોના પેન્શન સહિતના લાભો અટકાવી દેવા ઘટે : કહેવાય છે કે, નિવૃત ભ્રષ્ટાચારની જ ટોળકીએ કારસ્તાનને પાર પાડયુ છે, અને હવે ફરીથી મામલતદાર કચેરીમં આ ટોળકી ગોઠવાઈ જવાના આંટાફેરા અને અધમપછાડા પણ ખુબ જ કરી રહી હોવાની છે ચર્ચા
સંચાલક સામે તો ભલે કાર્યવાહી થતી હોય તે થાય, પરંતુ ગાલમેલ કરનારા સંચાલકોને છાવરનાર સરકારી કર્મચારીઓ-અધિકારીઓની સામેજો ઘનિષ્ઠ તપાસ કરવામા આવશે તો બોગસ રાશનકાર્ડથી સરકારી અનાજ સગેવગે થવાનુ મોટુ ભોપાળુ ખુલી શકે છે : સરકારીતંત્રના પણ કઈક પલળેલા ભ્રષ્ટ તત્વો, હંગામી કર્મીઓ, સહિતનાઓની પણ ભુમીકા આવશે બહાર : સરકારી રાશનનો જથ્થો આધારકાર્ડ બોગસ-ડમી અંગુઠાઓ લગાવી અને સગેવગે જ કરવામાં આવતી હોવાની છે બૂ : રાશનકાર્ડ કોઈકનુ હોય અને આધારકાર્ડ કોઈ અન્યના જોડીને સરકારી રાશનનુ કરાડોનું કૌભાંડ તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે જ ધમધમાવાતી રહેતી હોવાની છે ચર્ચા : પુરવઠા કચેરીના કર્મીઓની સંપત્તીઓની ચકાસણીઓ કરો, અગાઉ ઝુપડામાં રહેનારાઓ આજે આલીશાન બંગલાઓ લઈ બેઠા છે, મોંઘીદાટ મોટરકારમાં ફરી રહ્યા છે? આ બધુ આવ્યું કયાંથી?
ખાટલે મોટી ખોટ : ગાંધીનગરથી પુરવઠાની ટુકડી ખારીરોહર-ભુજના ગામડાઓમાં ત્રાટકી જાય છે, તો સ્થાનિકે ગાંધીધામ મામલતદાર કચેરીમા પુરવઠા વિભાગના જવાબાદરો
શું કરી રહ્યા હતા? જિલ્લા ડીએસઓના સુપરવાઇજર હોય છે તે પણ શુ તપાસણીઓ કરી રહ્યા છે? સ્ટોક રજીસ્ટર્ડ કોણ જુએ છે? કેવી રીતે આ સ્ટોકના મેળવણ કરી શકાય છે? સરકારી અનાજ-જરુરીયાત મંદોના હકકનો કોળીયો છીનનારા છે કોણ? એટલે કે, આ સરકારી અનાજનો જથ્થો કોની દુકાને પહોચતો હતો? તે સહિતનાઓના મામલે પણ ડીએસઓ-કચ્છે આદરવી જોઈએ તપાસ
જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ તપાસ કરે કે આ નરેશ કોણ છે? કોના ઈશારે નરેશ નામનો શખ્સ રેશનીંગની કાળા બજારી કરી રહ્યો છે? ૪૦ કીલ્લોની જગ્યાએ ર૦ કીલ્લો અનાજ વિતરણ કરતો હોવાની છે ચર્ચા
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા કોઈ ભુખ્યો ન સુવે તેવા સુચારૂ ઉદેશ્ય સાથે કઈક સેવાઓ સક્રીય બનાવાયેલી છે અને તે પૈકીની એક એટલે સસ્તા અનાજની દુકાનો. રેશનીગની દુકાનોમાથી સરકાર દ્વારા ટોકનભાવે અનાજ સહિતની અનેકગણી ચીજવસ્તુઓ જરૂરીયાતમંદોને પહોચાડવા માટે આપવામાં આવતી હોય છે પરંતુ જરૂરીયાત મંદોના ભાગનું આ સરકારી અનાજ જાણે કે ભ્રષ્ટ ધનેડાંઓ ચરી જતા હોય તેવી ઘટનાઓ સમયાંતરે સામે આવતી જ રહેતી હોય છે. હાલમાં પણ કાર્ડધારકોને પૂરતો જથ્થો ન મળતો હોવાની ફરિયાદો, સરકારી અનાજની કાળાબજારીની ચકચાર સહિતના મામલે જિલ્લા વડામથક ભુજ સમીપે મિરજાપર અને તે બાદ ઔદ્યોગીક પાટનગર ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં આકસ્મકિક ચેકીંગ સાથે તવાઈ બોલાવામા આવતા પર્દાફાશ થવા પામ્યો છે.મિરજાપર બાદ ખારીરોહરમાં સસ્તા અનાજની દુકાનમાંથી ઘાલમેલ પકડાઈ હતી. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ભુજમાં ગુરૂવારે તાલુકાના મિરજાપર ગામે સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે હાથ ધરેલી તપાસ બાદ બીજા દિવસે ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામે આકસ્મિક ચેકિંગ કરતા એક દુકાનમાંથી ઘઉં, ચોખા અને ખાંડની ઘટ જોવા મળી હતી. જેથી, સંચાલક સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનુ તંત્રએ જણાવ્યુ છે. અહીથી ૭૦૨ કિલો ઘઉં, ૫૬૦ કિલો ચોખા અને ૬૩ કિલો ઓછી ખાંડ નીકળતા સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને પૂરતો અનાજ ન મળતો હોવાની અને આ અનાજનો જથ્થો કાળા બજાર થતો હોવાની ફરિયાદ ઉઠી હતી.દરમિયાન, ગાંધીધામતાલુકામાં પણ
પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ જેમાં ખારીરોહર ગામે ચામુંડા સ્વસહાય જૂથ સંચાલિત દુકાનમાંથી ઘઉં ૭૦૨ કિલો, ૫૬૦ કિલો ચોખા અને ૬૩ કિલો ખાંડની ઘટ જોવા મળી હતી. એક એક કાર્ડની તપાસ કરતા ભાંડો ફુટયો હતો. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી એ. એસ. હાશ્મિ તેમજ અન્ન નાગરિક પુરવઠા નિગમ, ગાંધીનગરના મદદનીશ નિયામક રોહિત ગોસ્વામીની આગેવાની હેઠળ ટીમો આકસ્મિક ચેકિંગમાં જોડાઈ હતી. આ તબક્કે અહી સવાલ એ થવા પામી રહ્યો છે કે, ગાંધીનગરની ટુકડીએ ખારીરોહર સુધી લાંબા થવા પડતુ હોય તો ગાંધીધામ મામતલદાર કચેરીમાં પુરવઠા વિભાગ, નાયબ મામલતદાર અને તેમનો સ્ટાફ શું કરી રહ્યો હતો? આવા ઘોટાળાઓ તેમના ધ્યાને કેમ આવવા ? જાણકારો કહી રહ્યા છે કે, હાલમાં તો એક કાર્ડની તપાસથી આટલી અનાજની ઘટ્ટ સામે આવવા પામી છે, જો ગાંધીધામ તાલુસકામાં સર્વવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવશે તો આ સરકારી અનાજની કાળા બજારીનો વેપલો કયા સુધી ચાલતો હશે તે સહિતની માહીતીઓ બહાર આવવા પામી શકે તેમ છે. આ સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ.એસ.હાશ્મીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, કાર્યવાહી એક દુકાનમાં કરાઈ છે, હવે આ વિસ્તારમાં વિવિધ રાશનકાર્ડનું ક્રોસ વેરીફીકેશન હાથ ધરવામા આવ્યુ છે જે તપાસના અંતે જ બધી માહીતીઓ આપી શકાય તેમ છે. પરંતુ આ રીતે સરકારી અનાજની કાળા બજારી કરનારાઓને છોડવામાં નહી આવે તેવુ શ્રી હાશ્મીએ જણાવ્યુ હતુ.તો વળી બીજીતરફ આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા જિલ્લાની અમુક સભ્યોની ટીમ બનાવી અને ખારીરોહરમાં ક્રોસ વેરીફીકેશન માટે ઉતારવામા આવી છે ત્યારે આ અંગે ડીએસઓ કચેરીના હેડ ઈન્સપેકટરશ્રી ગોરની સાથે વાતચીત કરવામા આવતાતેઓએ કહ્યુ હતુ કે, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની સુચના મળી છે, તે અનુસાર ખારીરોહરમાં જે દુકાનમાં રાશનનીઘટ્ટ પકડાઈ છે તેના રેશનીંગ કાર્ડના ઘરોઘર ક્રોસ વેરીફીકશેન ચાલી રહ્યા છે. અદાજીત પ૦ જેવા ક્રોસ કરાયા છે એક દીવસમાં અને તેમાં કોઈ અજુગતુ હજુ સુધી જેાવા નથી મળ્યુ. આખીય કામગીરી પૂર્ણ થયા તે બાદ અંતિમ અહેવાલ તૈયાર કરીને ડીએસઓ શ્રીને સોપીશુ બાદમાં જ ચિત્ર ખ્યાલ આવી શકે તેમ છે.
..........
ડીએસઓ શ્રી હાશ્મીની લાલઆંખથી અમુક ભ્રષ્ટ ધનેડાંઓમા ફફડાટ
ઘણા લાંબા સમય બાદ કાર્યદક્ષ અને પ્રજાજનોના હિતાર્થે કામ કરનાર જિલ્લા પુરવઠા અધિકારી કચ્છને મળ્યા છે, શ્રી હાશ્મીની કાર્યપદ્વતિથી અને સમય સતર્કતા છે સરાહનીય : રેશનીંગની વસ્તુઓ સગેવગે કરવી કહેવાય અતિ ગંભીર બાબત, હવે શ્રી હાશ્મી આ કૌભાંડ આચરનાર દુકાનદારો માત્ર નહી પરંતુ તાલુકા પુરવઠાના કર્મીઓ, અધિકારીઓ, કોન્ટ્રાકટ બેજવાળા લાપરવાહ રહેલા સહિતનાઓ સુધી આવી તપાસના રેલા લંબાવે તે જરૂરી
ગાંધીનગર અન જિલ્લાકક્ષાની ટીમ દ્વારા તપાસ કરાઈ છે, ભુજ-મિરઝાપર-ખારીરોહર સહિતમાં કાર્યવાહી ચાલુ છે, ભુજની બે દુકાનો, અંજારમાં દંડ કરાયો છે, ખારીરોહરમં ડમી કાર્ડ સૌથી વધુ ઉમેરાયાની હતી ફરીયાદ, જિલ્લાની ટીમો ઉતારીને ડોર ટુ ડોર તપાસ ચાલી રહી છે : શ્રી હાશ્મી
ગાંધીધામ : ગાંધીનગરથી પુરવઠાની ટુકડીઓ કચ્છમાં ત્રાટકી અને રેશીનંગની દુકાનોમાં ગાલમેલ કરનારાઓને અમુક કિસ્સાઓમાં ખુલ્લા પાડવામા અવ્યા છે ત્યારે બીજીતરફ ડીએસઓ શ્રી હાશ્મીએ પણ હવે પોતાની ટીમો ખારીરોહર જેવા વિસ્તારમાં ઉતારી અને ડોર ટુ ડોર ક્રોસ વેરીફીકશેનની કામગીરીનો ધમધમાટ આદરી દીધો છે અને ખરેખર રેશનકાર્ડ જે છે તે ઓરીજીનલ રાશનકાર્ડ ધારકો અને સભ્યો જે તે સ્થળ પર છે કે નહી? હવે જયારે સરકારે અનાજ તદન નિશુલ્ક કરી દીધુ છે ત્યારે લાભાર્થીઓને મફતમા રાશન મળે છે કે નહી? જે રીતે ઘોટાળા કાર્ડમાં પકડાયા છે તેવા બીજા કેટલામાં છે? આ બધીય જ બાબતે ક્રોસ વેરીફીકેશન શ્રી હાશ્મીની ટીમે હાથ ધરતા જ જિલ્લામાં આવા રેશનીંગની વસ્ઓને કાળા બજારી કરનારાઓમાં ફફડાટ જ વ્યાપી જવા પામ્યો હોવાનો વર્તારો છે.આ બાબતે શ્રી હાશ્મીએ કહ્યુ છે કે, સરકારી અનાજ સગેવગે કરવુ ખુબજ ગભીર પ્રકારનો ગુનો બની રહ્યો છે, એટલે રેશનીંગ દુકાનવાળાઓ, તાલુકા અને જિલ્લા કક્ષાના પુરવઠા વિભાગના કર્મચારીઓ સહીતનાઓની લાપરવાહી જરા સહેજ પણ ચલાવી લેાવમા આવશે નહી.
..........
સરકારી અનાજની કાળા બજારી કરનાર સામે પાસા તળે જ
થવી જોઈએ કડક કાર્યવાહી? માત્ર પરવાનો રદ ન કરો..!
માત્ર પરવાનો રદ કરશો તો અમુક ભ્રષ્ટ તત્વો પોતાના કુટુંબીજનોના નામે પરવાનો મેળવી અને આ જ ધંધો ફરીથી ધમધમાવી દેશે : અટલે હકીકતમાં તો સરકારી અનાજ સગેવગે કરનારની સામે તો પાસા જેવા જ પગલા લેવા જોઈએ
ગાંધીધામ : સરકારી રાશન કે જે ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે મોકલવામા આવે છે તેમાં એક યા બીજી રીતે ભ્રષ્ટ ગોઠવણીઓ કરી અને તેનુ બ્લેક માર્કેટીંગ કરી રહ્યા હોય અથવા તો તે બાબતે રીતસરના જે રેકર્ડ પર પકડાઈ રહ્યા છે તેવા કૌભાંડીઓના માત્ર પરવાના જ રદ કરી અને કામગીરી કરી લીધાનો સંતોષ માનવાના બદલે આવા તત્વોની સામે પાસા તળે જ કરવી જોઈએધાક બેસાડતી કામગીરી. માત્ર પરવાનો રદ કરવાથી તો આ પ્રકારની ભ્રષ્ટ સિન્ડીકેટ વિકસાવી ગયેલા અમુક તત્વો તો બીજાના નામે પરવાનાઓ મેળવી અને કાળા બજારી ધમધમાવતા જ રહેશે. આવાઓને તો વિના વિલંબે પાંચ જીલ્લાથી દુર જ ફગાવી દેવા જોઈએ.
Comments