માંડવી શહેરનું કોઈ ધણી ધોરી છે કે નહી? બીચ પર વોટર એકટિવીટીનો બેફામ આતંક : લાલઆંખના નામે તંત્ર મીંડુ..!
ફ..ટ.. છે.અમુક નપાણીયા નેતાઓ તથા માટીપગા સરકારીબાબુઓને..! શું?
માંડવીને ગોવા બીચ જેવો વિકસાવવાની ફાંકા ફોજદારી કરનારાઓ વાસ્તવિક રીતે દરીયાઈ-બીચ વિસ્તારમાં ઘાતક અને જીવલેણ સતત પુરવાર થતી વોટર એકટીવીટીના નિયમોની અમલવારી કરાવવા પર ધ્યાન આપે તે વધારે બનશે આવકારદાયક : ગોવા બીચ સમાન પ્રવાસનને વેગ આપવાના માત્ર ખોખારાઓ ખાનારાઓ પહેલા પેરાગ્લાઈડીંગથી નિદોર્ષ વ્યકિતના મોત મુદ્દે આગળ આવીને પ્રજાજનો-પ્રવાસીઓના હિતમાં લાપરવાહો-ગંભીર ગુનાહિત બેદરકારી આચરનાર વોટર પ્રવૃતીઓ કરાવનાર સંચાલકો તથા તેને છાવરનારા તંત્રના બેદરકારોનો ઉધડો કેમ લઈ નથી દેખાડતા? : હવે કોની લાજનો તેઓને નડી રહ્યો છે ધુમટો..!
માંડવીના રમણીય દરીયાને વિકસવવા માટે સવાયા કચ્છી વડાપ્રધાને કઈક ભગીરથ પ્રયાસો કર્યા, પ્રવાસનને વેગ પણ મળ્યો પરંતુ સ્થાનિકની તદન નબળી નેતાગીરી, વામળુ પુરવાર થતુ તંત્ર, પ્રવાસીઓની સુવીધાઓ વિકસાવાના બદલે પ્રવાસીઓ અહી મોતને ઘાટ ઉપરાછાપરી ઉતરી રહ્યા હોવા છતા પણ મુંગામંતર જ બેઠા છે, અથવા તો પછી રંધાઈ ગયા પછીનું ડહાપણ આચરતા હોય તેમ ઘટનાઓ બની ગયા બાદ પગલા લીધાના પોકળ ચિત્રો જ કરી રહ્યા છે ઉભા
માંડવી મુંદરા પ્રાંત અધિકારીએ તાબડતોડ મેરીટાઈમ કચેરી, આરટીઓ વિભાગ, પોલીસતંત્ર, નગરપાલિકા, પ્રવાસન વિભાગ સહિતનાઓકની ભ્રષ્ટ ગુનાહિત બેદરકારી બદલ લેવા જોઈએ ઉધડા
પ્રવાસન વિભાગે પણ કોસ્ટગાર્ડની સાથે સંકલન સાધી અને વોચ ટાવર ઉભુ કરવુ જોઈએ, અનુભવી સ્વીમર સહીતનાઓની અહી રહેવી જોઈએ તૈનાતી : ચોકકસ વિસ્તાર સુધી અવાજ પહોચાડી શકે તેવા માઈકની પણ વ્યવસ્થાઓ અહી થવી જોઈએ, પહેલા તો દુર્ઘટના બને જ નહી તેની તમામ તકેદારીઓ રાખવી જોઈએ પરંતુ કદાચ બને તો રાહત મેળવી શકાય તે રીતેના આયોજનો ઘડવા જોઈએ
ગાંધીધામ : એકતરફ વિશ્વના સર્વાધિક લોકપ્રિય જનસેવક અને સવાયા કચ્છી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છ પર સદાય આગવુ હેત વરસાવતા રહે છે અને કચ્છના પ્રવાસનને વિશ્વનુ તોરણ બનાવવા માટે ન માત્ર રાત દીવસ એક કર્યા છે પરંતુ અનેકવિધ આયોજનથી આજે કચ્છના પ્રવાસનને વિશ્વના આકર્ષણનુ કેન્દ્ર બનાવી દીધુ છે. અહી પ્રવાસીઓનો જોરદાર ધસારો મોદીજીની માર્કેટીંગ આવડત બાદ ચોકકસથી થવા પામી ગયો છે અને કચ્છના અર્થતંત્રને પણ તેનો અલયાદો ફાયદો થવા પામતો જોવાઈ રહ્યો છે પરંતુ જાણે કે, પીએમ નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકાર તથા સીએમ દ્વરા કચ્છના પ્રવાસનને નવી ગતિ આપવાની મહેનત પર સ્થાનીકના અમુક બની બેઠલા નપાણીયા નેતાઓ અને માટીપગા ભ્રષ્ટ સરકારી બાબુઓ પાણીઢોળ જ કરવાનુ મન બનાવી બેઠા હોય તેવી ઘટનાો બંદરીય શહેર માંડવીના રમણીય દરીયા કિનારા પર ઉપરાછાપરી બનવા પામી રહી છે.
આ અંગે સહેજ ફોડ પાડીને વાત કરીએ તો માંડવીના દરીયા કિનારે વધુ એક વખત કરૂણ અને ગમગીની સર્જતી ઘટના તાજેતરમાં જ બનવા પામી ગઈ છે. અહી એક પ્રવાસી પેરાગ્લાઈડીંગની ઉડાન ભરી પરંતુ તેઓની આ ઉડાન જીવન અંતિમ સફર પેરાગ્લાઈંડીંગના સંચાલકોની બેદરકારીથી બની જવા પામી ગઈ છે. પેરાગ્લાઈંગ કરતી વખતે તેની દોરી એટીવીટી બાઈકમાં ફસાઈ જવાના કારણે આ દૂર્ઘટના બની હોવાનુ પ્રાથમિક રીતે બહાર આવવા પામી રહ્યું છે. ખેર આ બાબતે તો પોલીસ તપાસ કરી રહી છે, એ અલગ વાત છે કે, આવી ગભીર ઘટના હોવા છતા હજુ સુધી કોઈ જ નિર્ણાયક તબક્કો આ ઘટનાની તપાસમાં દેખાયો નથી. પેરાગ્લાઈંડીંગ સંચાલક કેટલા નિર્ભર જ કહેવાય કે, ઘટના બન્યા બાદ તરત જ તેઓ સ્થળ પરથી નો દો ગ્યારાહ થઈ ગયા હતા. મોંધા અને તગડા ભાવો રાખી પ્રવાસીઓને લુંટનારાઓ આ સેવા અને સુરક્ષાના નામે તો તદન મીંડુ જ છે પરંતુ માવનતામાં પણ અંતિમ સ્તર સુધી પહોચતા વાર નથી કરતા. ઘટના બન્યા બાદ આ શખ્સો તરત જ ત્યાથી ભાગી ગયા હતા. મૃતકને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ પહોચાડવા સહિતની વ્યવસ્થાઓ સ્થળ પર અને આજુબામાં રહેલા લોકોએ કરી હોવાનુ સામે આવવા પામી રહંયું છે.
શહેરનો ભોગગ્રસ્ત અને જાણકાર વર્ગ ખુબજ ટીકા કરતા કહી રહ્યો છે કે, આ ઘટના બીચ પર પ્રથમ વખત નથી બની. આ પહેલા પણ માંડવી બીચ પર બોટ ઉંધી વળી ગઈ અને તેમાં ચાર જેટલા નિદોર્ષ લોકોના મોત નિપજી જવા પામ્યા હતા. તે વખત પણ થોડા દીવસ તપાસના ત્રાગાઓ કરાયા અને બાદમાં જેસે થેવાળી જ શરૂ કરી દેવાઈ હોય તેમ ફરીથી આ દુર્ઘટના સામે આવવા પામી રહી છે. અહી વારંવાર આવી ગંભીર પ્રકારની જીવલેણ દુર્ઘટનાઓ માનવક્ષતિ થકી જ ઉભી થવા પામી રહી છે એટલે ભોગગ્રસ્તો તથા સ્થાનિકના પ્રબુદ્ધવર્ગમાથી પણ રીતસરનો બળાપો અને રોષ ભભુકતા કહેવાઈ રહ્યુ છે કે, ફ..ટ છે..અહીની નબળી નેતાગીરીને અને માટીપગા સરકારી બાબુઓને. કારણ કે, તેઓને આ ઘટનાઓ બનતી હોય તેની ખબર ન હોય એવુ તો બને જ નહી? અને તેઓના ધ્યાને આવ્યા પછી પણ ફરી ફરીને આ ઘટનાઓ બની રહી છે એટલે ન તો ઝભ્ભાલેંગાવાળાઓને પ્રજાની સલામતી અને સુરક્ષાની કઈ પડી છે ન તો પછી સરકારી બાબુઓને. તેઓને માત્ર અને માત્ર સસ્તી પ્રસિદ્ધીઓ તથા મતો મળી ગયા, ચુંટાઈ ગયા બાદ પ્રજાજનો ગયા તેલ લેવા, પાંકે કુરોની જ નીતીઓ અપનાવવાનુ ગમતુ હોય તેમ દેખાય છે. કારણ કે, વોટર સ્પોર્ટસ એકટીવીટીની વાત કરીએ તો સૌ પ્રથમ મેરીટાઈમ બોર્ડ, નગરપાલીકા, આરટીઓ, પ્રાંત અધિકારી, પોલીસ, સહિતના વિભાગોની ઘણી બધી જવાદબારીઓ આવી રહી છે. પરંતુ આ બધાયની ભ્રષ્ટ બેદરકારી અને ચુપકીદી તેઓની કઈક અલગ જ તરફની નીતીઓના ઈશારા કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. અને એટલે જ સવાલ હવે થઈ રહ્યો છે કે માંડવી શહેરના કોઈ ધણી ધોરી છે કે નહી? જો હોય તો અહી તમામ વોટર સપોર્ટસ સહિતની એકટીવીટીઓનો સર્વે થવો જોઈએ, પ્રાંત અધિકારીએ આ બાબતે તમામ સરકારી વિભાગોના સંકલન કરાવવુ જોઈએ અને નિયમોન ચુસ્ત અલમવારી, અનુભવી પેરાગ્લાઈડીગ ઉપરાંતની સેવાઓ, તમામ એકટીવીટીના ભાવબાંધણાઓ, બોટ હોય તો તેમના પરવાનાઓ, રજીસ્ટ્રેશન નંબર સહિતનાઓ મામલે વ્યવસ્થાઓ કરવી ઘટે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.
............
માંડવી બીચ પર વોટર એકટીવીટીવાળાઓ કેટલા
ફાટીને ફુલેકે ગયા છે, કોર્ટના હુકમની અવગણના.!
ગાંધીધામ : વડોદરામાં થોડા સમય પહેલા જ હરણી બોટ દૂર્ઘટના સર્જાઈ હતી જેમા માસુમોના જીવ હણાઈ ગયા હતા અને તે બાદ સરકારે વોટર એકટીવીટી બાબતે કડકાઈ કરી હતી અને નામદાર અદાલતે પણ આ વોટર એકટીવીટી અંગે સર્વે-ચકાસણીઓ કરી યોગ્ય ન હોય તો તેને બંધ જ કરી દેવાના આદેશ આપ્યા હતા. માંડવી બીચ પર વોટર એકટીવીટીના જ ભાગરૂપે જે અમુક બોટેા દોડી રહી હતી તે પણ રજીસ્ટ્રેશન નંબર વિનાની તથા મંજુરી અને પરવાના વિનાની જ હોવાનુ ચિત્ર સામે આવવા પામી ગયુ હતુ. એટલે આ વોટર એકટીવીટી વાળા કેટલા ફાટીને ફુલેકે ગયા છે કે, તેઓ નામદાર અદાલતના ઓર્ડરને પણ ધોઈને પી જાય છે.
Comments