ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડોના કૌભાંડ પર બ્રેક : શાબાશ છે પૂર્વ ચેરમેનને !
દેર સે આયે દુરસ્ત આયે : વિજિલન્સના આદેશ બાદ પોર્ટ પ્રશાસન એકશનમાં
મુંબઈની સર્વલ કાર્ગો ઈન્ડીયા પ્રા.લી.ને ટેન્ડરની શરતોને કફન ઓઢાડી સીએમઈ વિભાગ-ટ્રાફિક મેનેજર સહિતનાઓની મીલીભગતથી બારોબાર ટેન્ડર આપી દેવાયાની ફરીયાદનો પડઘોે :
સબંધિત પાર્ટી વાર્ષિક છ કરોડના ટર્ન ઓવર તથા અનુભવની યોગ્યતામાં ડીસ્કવોલીફાઈ થતી હોવા ઉપરાંત ટેન્ડર પધરાવી દેવાયાની કરાઈ હતી ફરીયાદ : અન્ય યોગ્ય પાર્ટીને ડીસ્કવોલીફાઈ કરીને અપાયેલા ટેન્ડરમાં રૌફ અને દાદાગીરી પૂર્વક કરોડોનો ગેરકાયદેસર દલ્લો મેળવનારાઅ પર અંતે વરસી ગાજ
સર્વલ ઈન્ડીયા કાર્ગો લી.ને અપાયેલા વે બ્રીજ સંચાલનમાં વિજિલન્સના આદેશ બાદ તપાસ આદરાઈ હતી અને પાર્ટી ફ્રોડ પુરવાર થતા ટેન્ડર રદ કરી દેવામા આવ્યુ છે તે વાત સાચી છે, પોર્ટને કોઈ જ નુકસાન આ કૌભાંડથી થવા પામ્યુ નથી, અલબત્ત પોર્ટ પાસે તો પાર્ટીના બે કરોડ રૂપીયા જમા છે, તમામ વે બ્રીજ હાલતુરંત હવે ડીપીએ-કંડલા પોતે જ ચલાવશે : ડીપીએ-કંડલા પ્રશાસન
ડીપીએ કંડલામાં ચાલુ નોકરીએ હૈદરાબાદ જઈ અને આખાય ટેન્ડરનું શેટીંગ કરાવનારા એન્જીનીયર તો આ કેસમાં સસ્પેન્ડ કરી જ દેવાયો છે, હવે આખેઆખું ટેન્ડર પણ થઈ ગયું ટર્મિનટ
સરકારની સાથે વિશ્વાસઘાત આચરનારાઓની સામે ફોજદારી-એફઆઈઆર કેમ ન થાય દાખલ..?
ચોટીના રવાડે ચડનારાઓ હજુ પણ ચેતી જાવ, જોઈ લ્યો આ કૌભાંડના ઘટનાક્રમનો અંજામ : આ આખાય પ્રકરણમાં મુંબઈની સર્વાઈવલ કાર્ગો ઈન્ડીયા લી. કંપની અને તેના સુત્રધારો તો મોહરા જ બનયા, ચોટીએ ખેલ ગોઠવ્યો અને હવે ભોગવવાનું મુંબઈના આ કંપનીના માલિકોને પણ આવી રહ્યું છે...!
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ-ડીપીએમાં વર્તમાન સમયે પ્રમાણિક, પ્રજાભિમુખ, કાર્યદક્ષ અને પોર્ટ યુજર્સ તથા સરકારની વચ્ચે સુચારૂરીતે કડીરૂપ બની રહેલા ચેરમેન શ્રી એસ કે મહેતાનો કાર્યકાળ પુર્ણ થવા પામ્યો છે. તેઓના સમયકાળમાં જ ડીપીએ-કંડલા પોર્ટમાં દસ જેટલા વે બ્રીજના જે કોન્ટ્રાટક અપાયા છે તેમાં અનેકવીધ ગેરીરીતીઓ આચરવામા આવી છે તેવી ફરીયાદ જાગૃત વર્ગ દ્વારા લેખિતમાં કરવામાં આવી હતી. ડીપીએ પ્રશાસન અને વિજિલન્સ વિભાગે આ કેસમાં ઉંડાણપૂર્વકની ઘનિષ્ઠ તપાસ કરી અને આયોજનબદ્ધ રીતે એક ભ્રષ્ટ ચોકકસ સિન્ડીકેટ દ્વારા આચરવામાં આવેલા આ કરોડોના કૌભાડ સમાન ટેન્ડરને અંતે ટર્મિનેટ એટલે કે રદ કરી દેવામા આવ્યુ હોવાના અહેવાલો ડીપીએ પ્રશાસનના સત્તાવાર સાધનો પાસેથી પ્રાપ્ત થવા પામી રહ્યા હોવાથી આ પૂર્વ ચેરમેન અને તપાસ કર્તા ટીમને ખરેખર આ બાબતે શાબાશી આપવી જ ઘટે.
આ બાબતે સામે આવેલી વિગતો અનુસાર ડીપીએ કંડલા દ્વારા ગત વરસે જાહેર કરેલ ૧૦ જેટલા નવા વે બ્રિજ બનાવવાનુ ટેન્ડર ઈન્વાઈટ કર્યુ હતુ અને તેમાં અમદાવાદની કવોલીફાઈ થતી પેઢીને બહાર કરી દીધી અને ડીસ્કવોલીફાઈ થતી લાગતી વળગતી મીલીભગત વાળી પેઢીને બારોબાર ઠેકો તાસકમાં જ ધરી આપી અને મોટુ કૌભાંડ લાખોનો ભ્રષ્ટાચાર આચરી દીધો હોવાની ફરીયાદ કરવામાં આવી હતી. આ ઘટના ડીપીએ કંડલા પોર્ટ સમક્ષ લેખિત ફરીયાદ સ્વરૂપે પણ પહોચાડી દેવાઈ હતી. જે સાથોસાથ જ જાગૃત વ્યકિતઓ દ્વારા આ ફરીયાદ અરજી ડીપીએ કંડલા સીએમઈ વિભાગ, ટ્રાફિક વિભાગ, સ્થાનીક તથા દિલ્હીના વિજિલન્સ વિભાગ સહિતાઓને પણ આપવામાં આવી હતી.
આયોજનબદ્ધ ષડયંત્ર અને કૌભાંડરૂપી આ ટેન્ડરને રદ કરી દેવામા આવ્યુ છે ત્યારે તેમાં કેવા કેવા પ્રકારની ફરીયાદમાં ઉલ્લેખ કરાયા હતા તેની જો વાત કરીએ તો આ મામલે ફરીયાદમાં જણાવ્યા મુજબની વિગતવાર વાત માંડીએ તો ડીપીએ દ્વારા ટેન્ડર ઈન્વાઈટ કરવામાં આવ્યુ હતુ. જે આધારે જુના છે તે નિષ્ક્રીય કરવા અને દસ નવા વે બ્રીજ લગાવવાના હતા.અને તે નવા વે બ્રિજ ફુલી ઓટોમેટીક જ ઓપરેટ થાય તેવી સુવિધાયુકત પણ હોવા જોઈએ. આ ટેન્ડર ચોટીએ મુંબઈની એક પાર્ટીને સાથે રાખીને ભર્યુ હતુ. આ ટેન્ડરમાં શરત હતી કે શીપીંગ કંપની હોવી જરૂરી છે. ચોટીએ તેની મળતાવળી મુંબઈની શીપીંગ કંપનીને આ ટેન્ડરમાં સાથે રાખી.મુંબઈની સર્વેલ કાર્ગો ઈન્ડીયા પ્રા.લી. નામની કેપનીને ચોટીએ તૈયાર કરી હતી. હવે ચોટી શીપીંગ કંપની તોશોધી લાવ્યો પણ ટેન્ડરમાં એવી શરત હતી કે, જે પાર્ટી ટેન્ડર ભરે તેનુ ત્રણ વર્ષનું સરેરાશ ટર્ન ઓવર છે તે છ કરોડ એટલે કે કુલ્લે ત્રણ વર્ષનુ ટર્ન ઓવર ૧૮ કરોડ થતું હોવુ જોઈએ. નિયમ ટેન્ડરનો આ હતો અને ચોટીવાળી શિપીંગ કંપનીનું ટર્ન ઓવર માત્ર ૧૧ કરોડ જ થવા પામતું હતુ.એટલે ચોટીએ પાર્ટીને કહ્યુ કે, ટેન્ડરની શરતો અનુસાર ટર્ન ઓવર થતુ નથી. પાર્ટીએ ઓડીટેડ એટલે કે સીએ પ્રમાણિત ૧૧ કરેાડના ટર્નઓવર વાળી બેલેન્સીટમાં જાતે જ ચેડા કરી અને ૧૧ના બદલે તેને ત્રણ વર્ષના ર૦ કરોડ દર્શાવીને રજુ કરી દીધા છે. આ બેલેન્સીટ પાર્ટીએ ખુદ સુધારેલી છે તે હકીકતમાં ટર્ન ઓવર ધરાવતી જ નથી.બાદમાં આ પેઢી વે બ્રીજનુ કામ કરશે તો તેનો અનુભવ પણ હોવો જોઈએ તેવુ શરતમાં ચોખ્ખુ દર્શાવેલ હતુ અને સર્વલ કાર્ગો ઈન્ડીયા તેમાં પણ ફીટ ન હોતી બેઠી. એટલે સર્વલ કાર્ગો ઈન્ડીયાએ તેમાં એન્ડેવર નામની પેઢી સાથે જોઈન્ટ વેન્ચર કર્યુ હતુ અને અનુભવના પ્રમાણપત્રો પણ એન્ડેવરની જાણ બહાર જ ખુદ ફેરફાર કરી અને ડીપીએ પોર્ટમાં બોગસ રજુ કર્યા હોવાનુ ફરીયાદમાં દર્શાવાયુ છે. અને આવી રીતે ખોટા બોગસ આધારો રજુ કરી ડીપીએના ટ્રાફિક અને સીએમઈ વિભાગના ભ્રષ્ટ તત્વો સાથે ગોઠવણીઓ કરી એન ખોટી રીતે આ ટેન્ડર પાસ કરાવી લીધુ હોવાનુ ફરીયાદમાં દર્શાવાયુ હતુ. એટલુ માત્ર જ નહી પરંતુ આ ટેન્ડર નવા વે બ્રિજ માટેનુ હતુ અને જુના છે તેને ચાલુ જ ન હોતા રાખવાના છતા એક બારાતુ મેડમ આ કેસમાં વચ્ચે પડયા અને આ બારાતુ મેડમના કહાગરા સીએમઈ વિભાગના એક કર્મચારી અને ટ્રાફિક વિભાગના જવાબદારોએ તેમા રસ લેતા આ મામલો બારોબાર ડીલ થઈ ગયો હોવાનુ પણ સામે આવ્યુ હતુ. હવે આ પ્રકરણમાં જાણે કે દેર સે આયે દુરસ્ત આયેના તાલે વિજિલન્સ વિભાગમાં થયેલી ફરીયાદ બાદ ડીપીએ કંડલા પોર્ટ પ્રશાસનને આ ઠેકો આપવામાં ગેરરીતી થઈ હોવાનુ સુચવી અને તપાસ કરી યોગ્ય પગલા લેવાનો આદેશ વછુટતાની સાથે જ ડીપીએ કંડલના પૂર્વ્ ચેરમેન શ્રી મહેતાએ તેની ઈન્કવાયરી વધારે ઝડપી રીતે શરૂ કરાવી દીધી હતી અને હવે તેના ભાગરૂપે જ આ ઠેકો રદ થવા પામી ગયો છે. કંડલા પોર્ટ પ્રશાસનના સત્તાવાર સાધનોને આ બાબતે પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, આ કામ રાખનારી પાર્ટી કાભાંડી નીકળી છે અને તે માટે તેનું ટેન્ડર ટર્મિનેટ કરી દેવામા આવ્યુ છે. હવે ડીપીએ કંડલા ખુદ જ હાલતુરંત તેનું સંચાલન કરશે. પોર્ટ વતીથી સત્તાવાર સાધનોએ કહ્યુ કે, આ કૌભાંડથી કોઈ જ રેવેન્યુ લોસ થવા નથી પામ્યો કારણ કે સબંધિત પાર્ટીએ કરેલા કામોના બીલો અટકાવી દેવાયા છે. ચુકવાયા જ નથી. એટલે પોર્ટને રેવેન્યુ લોસ થવા પામ્યો ન હોવાનુ જણાવાયું છે. અહી યાદ અપાવી શકાય કે, આ આખાય ટેન્ડરમાં વચેટીયાની ભુમિકામાં જેનુ નામ સામે અવ્યુ હતુ અને ેજેની સામે આધારો સાથે ફરીયાદ કરાઈ હતી તેવા ડીપીેએ કંડલાના એક કર્મચારીને તો સસ્પેન્ડ કરી જ દેવાયો છે અને તેની ઈન્કવારી તો ચાલી જ રહી છે પરંતુ હવે આખેઆખુ આ ટેન્ડર જ ટર્મિનેટ કરી દેવામા આવતા કૌભાંડી તત્વોમાં ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોવાનો વર્તારો જોવાોય છે.
...........
તો ટ્રાફિક મેનેજર-સીએમઈ વિભાગની કેમ ન થાય ઉંડી તપાસ ?
ગાંધીધામ : ડીપીએ કંડલાના વે બ્રીજના ટેન્ડરમાં જે ગોટાળા થયા તે બાદ આ ઠેકો રદ કરી દેવામા આવ્યો છે ત્યારે હવે અહીના ચીફ મેકેનીકલ ઈન્જીનીયર વિભાગ, સીએમઈ તથા ટ્રાફિક મેનેજરની ભ્રષ્ટ બેદરકારી સામે પણ મોટા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. ટેન્ડરની શરતો આજે પણ ઓનલાઈન મોજુદ છે. કોઈ પણ ચકાસી શકે તેમ છે. તેની ટર્ન ઓવર અને વે બ્રીજ સપ્લાય કરનારના અનુભવની શરતોમાં સર્વેલ કાર્ગો ફીટ બેસતી જ નથી તે સૌ કોઈને ખબર છે. ઉપરાંત પણ આ પાર્ટીનો કોન્ટ્રાકટ અહી ધમધભમતો જ રહ્યો હતો. . બધાયને જે વાતની ખબર હોય તે સીએમઈ તથા ટ્રાફિક મેનેજરને ખબર ન હોય તેવુ કેમ બને? કહેવાય છે કે, સર્વેલ કાર્ગો ઈન્ડીયા દ્વારા ૩૦ લાખનો દલ્લો આપી અને આ ગેરકાયદેસર ટેન્ડર મંજુર કરાવાયુ હતુ. અહી ઓવરલોડ ધમધમી રહ્યુ હોય અને ટ્રાફિક વિભાગ-કંડલાને તે ન દેખાય કે તેઓ તેને અટકાવવા માટે કાર્યવાહી ન કરે તો શું સમજવું? હાલમાં ટેન્ડરને ટર્મિનેટ કરી દેવાયુ છે ત્યારે આ ટેન્ડર બાબતે સીએમઈ વિભાગ તથા તત્કાલીન ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક મેનેજર સહિતનાઓની પણ ભુમિકાઓ જીવણવટભરી ચકાસવી જઘટે.
......
ચોટી તો ગયો, બારાતુ મેડમને પણ ડુબાડી દીધી..!
ઠેકામાં ગેરરીતી કરનાર ટોળકીનો તપેલો ચડી ગયો.!
મુંછેે લીંબુ લટકાવનારાના નામે કુદાકુદ કરતી બારાતુ મેડમની પણ હવા થઈ ગઈ ટાઈટ..! ટેન્ડર ટર્મિનેટ થવા પામતા દૈનિક ૧૦ લાખ અને માસીક ૩ કરોડનો ગેરકાયદે દલ્લો આ ગેંગના હાથમાંથી સરકી ગયો..!
ગાંધીધામ : ડીપીએ કંડલામાં ૧૦ વે બ્રીજનો કોન્ટ્રાકટ જે ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યો હતોે તેમાં એક મોટી રીંગ ગોઠવાઈ હોવાની ચર્ચા પણ તે વખતે સામે આવાવ પામી હતી. વે બ્રીજના ટેન્ડરમાં જે ચલકચલાણાઓ રચાયા તેમાં પડદા પાછળની મોટી ભુમિકામાં કચ્છમાં ચોટી તરીકે ચકચારી શખ્સની જ મલિન ભુમિકા હતી. ચોટી-બારાતુ મેડમ અને તેના આળતીયા-મળતીયાઓ મળીને આ ઠેકો બારોબાર લેવા ખોટુ કર્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. હવે જયારે આ ઠેકો રદ કરી દેવામા આવ્યો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, ચોટી તો ગયો, પરંતુ સાથોસાથ જ બારાતુ મેડમને પણ ડુબાડી દીધી. આ આખાય પ્રકરણમાં પાછળ તો બારાતુ મેડમ કે જે દાદાગીરીપૂર્વક અહી આતંક જ મચાવતી ફરતી હતી અને મુંછે લીુબુ લટકાવી ફરનારા અમુકના નામો આગળ કરી અને તેના નામે નિદોર્ષ લોકોને ધમધમાવતી ફરતી હતી. તેનો તો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે તેવો રૌફ પણ આ બારાતુ મેડમ દેખાડતી હતી. પરંતુ સાચને આંચ ન હોય તેમ હવે તેનો આખેઆખો ટેન્ડર જ રદ થઈ જવા પામ્યો છે અને તે પણ ફ્રોડલન્ટ એટલે કે કૌભાંડી પુરવાર થવાથી રદ કરવામા આવ્યો છે. આવામાં ચોટીની કરતુતો તો બધાય જાણતા જ હતા, પરંતુ હવે આ બારાતુ મેડમના કારનામાઓ પણ અહી ખુલ્લા પડી જવા પામ્યા છે. ચોટી અને બારાતુ મેડમ આણી ગેંગને આ ટેન્ડર રદ થવાથી દૈનિક અંદાજીત ૧૦ લાખ અને માસીક ત્રણેક કરોડની પરબારી રોકડી કરતા હતા તેનો મોટો ફટકો જ પડી જવા પામ્યો હોવાનુ જાણકારો કહી રહ્યા છે.
...........
Comments