જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકારી બદલ સસ્પેન્ડ થાય તો વર્તમાન ર૩ લાખના ડ્રગ્સકેસના અધિકારી કેમ નહી ?
શું આવી રીતે બનશે કચ્છ-ગુજરાત ડ્રગ્સમુકત ?
ર૩ લાખના કોકેઈન(એમડી ડ્રગ્સ)સાથે ઝડપાયેલા શખ્સને થોડા સમય પહેલા જ નામદાર સેસન્સ કોર્ટ ગાંધીધામ દ્વારા જામીન મંજુર કરાતી વખતે હુકમમાં જણાવ્યુ કે, તપાસ કરનાર અધિકારીની ગંભીર બેદરકારીના કારણે ર૩,પ૦,૦૦૦ જેટલી માતબર જથ્થાના એમડી ડ્રગ્સ કેસના આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવાયેલ છે : તપાસ કરનાર અધિકારીએ ૬૦ દીવસમાં ચાર્જસીટ રજુ ન કરતા ડીફોલ્ટ જામીન માટે તહોમતદારે અરજી કરતા રખાઈ માન્ય
કંડલા પીઆઈશ્રી હિનાબેન હુંબલે ફોન ઉપાડીને રૌફ પૂર્વક કહ્યુ કે, આદેશ થયો છે, તેમા તમારે શું પ્રશ્ન છે બોલો ને..? તપાસકર્તા અધિકારીની બેદરકારીથી ડ્રગ્સકેસમાં આરોપીને જામીન મળી ગયાનો પ્રશ્ન જણાવતા જ જાણે કે જવાબ ન આપવાનું નકકી કરી લીધુ હોય તેમ શ્રીમતી હુંબલે તુરંત જ ફોન કટ કરી દેતા સવાલો વધુ ઘેરા બનવા લાગ્યા
પ્રોહીબીશનના એક કેસમાં તત્કાલીન રાપરના તપાસનીશ પોલીસ અધિકારીએ વિલંબીત ચાર્જશીટ રજુ કરતા તાબડતોડ તે વખતના એસપી પરીક્ષીતા રાઠોડે આઠ માસ માટે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા, લીકર કેસમાં જો આવી કાર્યવાહી કરાઈ હોય તો હાલમાં તો ર૩ લાખના કોકેઈન-ડ્રગ્સનો કેસ છે, તેમાં તો કડકાઈથી જ કાર્યવાહી કરવા પાત્ર થાય છે, કેમ સબંધિત લાપરવાહ તપાસનીશને નશ્યત ન કરે..?
નામદાર અદાલત દ્વારા અપાયેલા આદેશ બાબતે અવગત છીએ, આ સંદર્ભેની ઈન્કવાયરી શરૂ કરી દેવાઈ છે, ચોકકસથી નિયમઅનુસારના પગલા લેવાશે : શ્રી સાગર બાગમાર (પૂર્વ કચ્છ એસપી)
ખાટલે મોટી ખોટ : નામદાર અદાલતે તેમના હુકમમાં જણાવ્યુ કે, તપાસકર્તા અધિકારીની ગંભીર બેદરકારીથી ડ્રગ્સકેસના આરોપીને ડીફોલ્ટ જામીન મંજુર કરાયા છે, તો અહી સવાલ એ થાય છે કે, એવી તો કઈ ગોઠવણીઓ કામ કરી ગઈ અથવા તો એવા તો કયા સંજોગ-પરિસ્થિતી બની ગઈ હતી કે, તપાસ કર્તા અધિકારીએ ૬૦ દીવસમાં ચાર્જસીટ રજુ ન કરી? શું એનડીપીએસ એકટ તળે ૬૦ દીવસમાં ચાર્જસીટ રજુ કરવાની થાય છે તેની તપાસકર્તા અધિકારીને ખબર ન હતી? આવુ તો ન જ બની શકે? તો પછી કયા સંજોગોમાં આવા ગંભીર પ્રકારના ગુનાના તહોમતદારના કેસની ચાર્જસીટ કાયદાની મર્યાદામાં રજુ ન કરી શકાઈ?
ગાંધીધામ : ગાંધીધામમાં બે મહીલા અગાઉ રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન જતા સર્વિસરોડ પરથી એસઓજીએ બાતમીના આધારે એક શખ્સને પકડી પાડયો હતો. જેના બેગમાથી તે સમયે ર૩,પ૯૦ ગ્રામ કોકેઈન ડ્રગ્સ મળી આવ્યુ હતુ. અત્યંત મોંઘુ આ ડ્રગ્સની કિમંત ત્યારે ર૩ લાખથી વધુ આંકવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે ૧૪ દીવસના રીમાન્ડ પણ આપ્યા હતા. ત્યાર બાદ તપાસ ૬૦ દીવસમાં પૂર્ણ કરવાની હોય છે અને એનડીપીએસના ગુનામાં નિશ્ચિત સમયમર્યાદામાં ચાર્જસીટ ફાઈલ કરવાની હોય છે પરંતુ તે સમયાનુસાર ફાઈલ ન થવા પામતા કોર્ટમાં આરોપીઓ રજુ કરીને જામીન અરજી અનુસાર આરોપી પક્ષની દલીલોને ગ્રાહ રાખીને તેને જામીનમુકત કરી નાખવામાં આવ્યો હતો. નામદાર સેસન કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ જણાવાયુ છે કે, તપાસ કરનાર અધિકારીની ગંભીર બેદરકારીના કારણે સેસન કોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ તબક્કે સંકુલના પ્રબુદ્ધ અને જાણકારવર્ગ કહી રહ્યો છે કે, આવાને આવો જ એક કેસ રાપરમાં અંદાજીત વર્ષ ર૦૧૬-૧૭માં બનવા પામ્યો હતો અને પ્રોહીબીશનના કેસમાં તપાસનીશ તે વખતના અધિકારીએ પણ નિયમ અનુસાર સમયમર્યાદામાં ચાર્જસીટ રજુ ન હોતી કરી જે બદલ તે વખતના જિલ્લા પોલીસ વડાએ સબંધિત અધિકારીને તત્કાળ અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. જો તે વખતે પ્રોહીબીશનના કેસમાં એસપીશ્રીએ આટલી ગંભીરતા દાખવી અને લાપરવાહ રહેનારી સામે કડક રાહે કામ લીધુ હતુ, તો આ વખતે તો એનડીપીએસ એકટનો ગુનેગાર છે અને તે પણ ર૩ લાખથી વધુના કોકેઈન ડ્રગ્સ સાથે ઝડપાયેલો છે તેવા ગુનાહિત માનસવાળા તહોમતદારને જો કોઈ અધિકારીની બેદરકારી થકી જામીનનો લાભ મળી જતો હોય તો આવા અધિકારીની સામે પણ કેમ તત્કાળ લાલઆંખ ભરી કાર્યવાહી વર્તમાન એસપીશ્રી ન કરે? તેવા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. આ સંદર્ભે પૂર્વ કચ્છના વર્તમાન એસપીશ્રી સાગર બાગમારને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ પ્રકારનો આદેશ નામદાર અદાલત દ્વારા અપાયો છે તે અંગે અવગત છીએ અને સબંધિત ઘટના તથા લાપરવાહી અંગે પણ તપાસ ઈન્કવાયરી શરૂ કરી દીધી છે. તપાસના અંતે જે કંઈ પણ સામે આવશે તે અનુસાર ચોકકસથી નશ્યત કરતા પગલા વિના વિલંબે લેવામા આવશે તેવુ શ્રી બાગમારએ જણાવ્યુ હતુ. તો વળી આ બાબતે અને તપાસકર્તા અધિકારીની બેદરકારીના પગલે ડ્રગ્સ કેસના આરોપીને જામીન મંજુરીનો હુકમ કરાયો હોવાના આદેશ સંદર્ભે કંડલા પીઆઈ શ્રીમતી હીનાબેન હુંબલને પુછતા તેઓએ અત્યંત રૌફપૂર્વક આદેશ થયેલ છે, તમારો શું પ્રશ્ન છે તેમાં કહો ને? એવુ જણાવતા શ્રીમતી હુંબલને પ્રશ્ન કહેતા તેઓએ અગાઉથી જ જાણે કે કોઈ જ જવાબ ન આપવાનુ નકકી કરી લીધુ હોય તેમ પ્રશ્ન સાંભળતાની સાથે જ ક્ષણવારનો વિલંબ કર્યા વિના જ ફોન કટ કરી દેતા તેમના પક્ષની પ્રતિક્રીયાઓ આ બાબતે જાણી શકાઈ નથી.
.....
આવા લાપરવાહ તપાસકર્તા તો હર્ષ સંઘવીની
મહેનત પર પણ ફેરવી રહ્યા છે ઠંડુ પાણી
ગુજરાતમાં પોલીસતંત્ર ડ્રગ્સ પેડલરને માત્ર પકડતી નથી બલ્કે કાયદાતંત્રની સાથે રહી અને સજા પણ કરાવે છે, શ્રી સંઘવીએ હાલમાં જ મુંબઈથી સુરત આવી ડ્રગ્સ વેચનારા બે યુવકોને ર૦વર્ષની સજાના આદેશના સમાચાર ટવિટર પર કર્યા હતા વહેતા, જયારે કે, ગાંધીધામના ર૩ લાખના કોકેઈન કેસમાં તો ચિત્ર જ ઉંધુ વળી ગયુ છે, ડ્રગ્સ પેડલરને સજા તો દુરની વાત રહી પણ કાયદાની નિશ્ચિત સમય મર્યાદામાં ચાર્જસીટ રજુ ન કરીને જામીનનો માર્ગ મોકળો કરી અપાયો
ગાંધીધામ : એકતરફ ગુજરાત રાજયના ગૃહપ્રધાન હર્ષ સંઘવીજી રાત-દિવસ મહેનત કરી અને ડ્રગ્સ મુકત ગુજરાતને આગળ ધપાવી રહ્યા છે અને ગુજરાતમાં ડ્રગ્સ વેચનારને માત્ર પકડવામાં જ નથી આવતા પણ સજાએ કરવામાં આવી રહી છે તેવા દાવાઓ સાથે ટવિટર પર સમાચારોનાકટીંગ મુકી અને કામગીરીની પણ પ્રતિતિઓ કરાવતા રહે છે. તાજેતરમં જ તેઓએ એક કટીંગ મુકયુ હતુ જેમાં મુંબઈથી આવી અને સુરતમાં ડ્રગ્સ વેચતા પકડાયેલા બે યુવાનોને નામદાર અદાલતે ર૦ વર્ષની સજા ફટકારી હતી તેનુ હતુ અને બીજુ એક કરોડના ડ્રગ્સ કેસમાં પોલીસે ચાર મુખ્ય શખ્સોની ધરપકડ કરી તે કટીંગ મુકયુ હતુ. હર્ષ સંઘવીએ અહી દ્રઢતાપૂર્વક દર્શાવ્યુ અને લખ્યુ છે કે,પોલીસે એ ડ્રગ્સ પેડલરોને માત્ર પકડતી નથી પરંતુ કાયદા વિભાગ સાથે મળસી આવા પેડલરોને સજા અપાવાવનુ પણ કામ કરે છે. અને આ બન્ને કટીંગમાં એ જોવા પણ ચોકકસથી મળી આવી રહ્યું છે. પરંતુ બીજીતરફ આ બે કટીગની સાથે ગાંધીધામમાં નામદરા અદાલતે જે રીતે એનડીપીએસ એકટના ગુના હેઠળના આરોપીને જામીન આપવા પાછળ તપાસ કર્તા અધિકારીની બેદરકારીને કારણભુત જણાવી ડીફોલ્ટ બેલ મંજુર કરવાનો ઉલ્લેખ કર્યો છે તે જોતા તો આવા લાપરવાહ તપાસકર્તા અધિકારી તો ગૃહમંત્રી શ્રી સંઘવની ડ્રગ્સમુકત ગુજરાતની પહેલ પર પણ પાણી જ ફેરવી રહ્યા હોય તેવુ નથી લાગતુ.
.........
- તો આવા લાપરવાહને સસ્પેન્ડ જ કરવા જોઈએ
ડાયરેકટ ભરતી વાળા હોય એ તો ભવિષ્યમાં ડીઆઈજી બનવાની સંભાવનાઓ ધરાવતા હોય છે, પરંતુ આવા વ્યકિત જ જો ડ્રગ્સ કેસમાં તપાસમાં લાપરવાહી દાખવે તો સારા ઉચ્ચ
હોદા પર ગયા બાદ પણ કરશે શું? : જાણકારોનો સવાલ
ગાંધીધામ : એનડીપીએસ એકટના ગુનેગારને તપાસ કર્તા અધિકારીની બેદરકારી થકી જામીન મળી જાય તે ખુબજ ગંભીર વાત ગણી શકાય. નામદાર સેસન્સ કોર્ટ દ્વારા તો તે હુકમમાં ઉલ્લેખ કરી અને ગંભીરતા સાથે છત્તુ કરી જ દીધુ છે હવે જયારે આ કેસમાં તપાસકર્તા અધિકારીની ઈન્કવાયરી ચાલી રહી હોવાનુ કહેવાય છે તેવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, જો ડાયરેકટ ભરતીવાળા હોય અને તેઓએ આ ચુક કરી હોવાનુ ફલિત થતુ હોય તો તેમને તો સસ્પેન્ડ જ નિયમ અનુસાર કરી શકાય છે. ડાયરેકટ ભરતીવાળા હોય તો તેઓ ડીઆઈજી કક્ષાએ પહોચવા માટેની પણ સંભાવનાઓ ધરાવી જ રહ્યા છે પરંતુ ડ્રગ્સના કેસમાં હાલમા જે બેદરકારી દાખવી દેતા હોય તે ઉચાહોદા પર પહોચીને કરશે તો પણ શું?
Comments