ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી નાળાના કામમાં લોટ-પાણીને લાકડા : ઠેકેદારની લાલીયાવાડી સામે તંત્ર ઘુંટણીયે..?
ચાવલા ચોક પાસેની ઘટના : ગત રોજ વરસાદમાં લોકો ખાડામાં ખાબકયાં!
વરસાદી નાળા બનાવવાની ચાલતી કામગીરી સામે થોડા સમય પહેલા પણ ભમુકયો હતો આંતરીક રોષ : આડેધડ બજારને ખોદી નાખી છે, કામ મંદ ગતિએ અથવા તો અઠવાડીયા સુધી બંધ અવસ્થામાં જ રાખી દેનાર ઠેકેદારના કોઈ કાન કેમ આમળતુ જ નથી?
ગઈકાલે કમાસમી વરસાદમાં ચાવલા ચોકમાં ખોદાયેલા ખાડામાં ચારથી પાંચ વ્યકિતઓ અજાણતાથી પડયા, સદભાગ્યે વધુ નુકસાની ન થઈ, પરંતુ બેરીકેટ રાખવા સહિતની કામગીરી ઠેકેદાર દ્વારા કેમ ન કરવામાં આવી? કોના પિતાજીની બલિહારી? : નગરપાલિકા તંત્રને કેમ આ લોકોની હાલાકી જરા સહેજ પણ દેખાતી નથી? કમોસમી માવઠામાં જો આમ પ્રજાજનોની આવી હાલત થતી હોય તો ચોમાસામાં આવા ઠેકાણા વગરના કામો કરનાર ઠેકેદારો થકી ગાંધીધામ સંકુલની કેવી થશે અવદશા?
કામ સહેજ વિલંબીત થયુ છે, આ સંદર્ભે ઠેકેદારને કહી દેવાયુ છે, ગઈકાલે બેરીકેટીંગ પણ લગાડાવી દેવાયા છે, હવે ઝડપથી કામ પૂર્ણ કરી દેવાશે : શ્રી રામાનુજ (મુખ્ય કાોરબારી અધિકારી, ગાંધીધામ નગરપાલીકા)
વેપારીઓની રજુઆત ખોટી છે તેમ મારે નથી કહેવુ, પણ ટેકનીકલ રીતે કામ બંધ રહ્યુ હતુ, તેમાં અમારા તરફથી કોઈ ક્ષતી નથી, ટેન્ડરની જોગવાઈ અને સુધરાઈની સુચનાઓ અનુસાર જ કામ કરાયુ છે, અન્ય વાતો ખોટી છે : કિશોરભાઈ(ઠેકેદાર)
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરની એ કેટેગરીની નગરપાલીકામાં વર્તમાન બોડી પ્રમાણિક અને કાર્યદક્ષ પદાધિકારીઓની હોવાની પ્રતિતિ સતત થતી રહી છે. અગાઉની બોડીએ જે રીતે લોલમલોલ ચલાવે રાખ્યુ હતુ તેના પ્રમાણમાં વર્તમાન બોડી શહેરીજનોના હિતાર્થે સતત ચિંતિત રહેલી હોવાનો પણ વર્તારો સામે આવતો હતો. પરંતુ ગઈકાલે વરસેલ કમોસમી વરસાદ અને તેમાં વરસાદી નાળાની કામગીરી કરનાર ઠેકેદારની બેદરકારી અને લાપરવાહી જે રીતે સામે આવવા પામી છે અને તેની પર નગરપાલીકા તંત્રની પણ નિષ્કાળજી છત્તી થવાની સાથે જ સંકુલમાં સુધરાઈ તંત્ર જાણે કે, કુંભકર્ણી નિંદ્રામાં જ ઘોરી રહ્યુ હોય તેવી સ્થિતી ઉભી થતી ન માત્ર જોવાઈ રહી છે બલ્કે કામમાં ઢીલાશ રાખનારાઓ પર પણ જાણે કે સુધરાઈના ચાર હાથ હોય તેવો જનાક્રોશ પણ ઉભો થવા પામી રહ્યો છે. વાત સહેજ વિગતે કરીએ તો ગઈકાલે રાતે વરસેલા વરસાદમાં ચાવલા ચોક પાસે ઠેકેદાર દ્વારા વરસાદી નાળાના કરવામા આવી રહેલા કામોમાં આડેધડ કરાયા હોવાની ચાડી ખાતી ઘટના બનવા પામી ગઈ હતી. અહી ખુલ્લા અને કોઈ પણ કારણોસર અડધા મુકી દીધેલા આવા ખાડાઓમાં વરસાદી માહોલમાં વિઝીબીલીટી ઓછી હોતા ચારથી પાંચ લોકો આ ખાડામાં પડયા હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી ગઈ હતી. આ પહેલા પણ આ ખાડાઓમાં ગાયમાતાઆો પડવાની ઘટનાઅ તો જાણે કે રૂટીન જ બની જવા પામી હતી. ઠેકેદાર દ્વારા આવા ખોદી દેવાયેલા ખાડાઓની આસપાસ આમપ્રજાજનોને માટે ઘાતક ન નીડે તે માટે કેમ બેરીકેટ સહિતનાઓની આડશ લગાડવામાં ન આવી? આ પ્રકારના કઈક સવાલો સ્થાનિકના લોકોમાંથી ઉઠવા પામી રહ્યા છે. ઠેકેદાર દ્વારા લોટ પાણીને લાકડાના તાલે કામ કરાવવામા આવ્યા હતા તો પછી નગરપાલિકા તંત્ર કેમ આવા ઠેકેદારોની સામે લાલઆંખ ભરી કાર્યવાહી નથી કરતુ? ભોગગ્રસ્તોનો રોષ ગઈકાલે બનેલી ઘટના બાદ બહાર આવવા પામ્યો હતો અને જાણકારો કહી રહ્યા છે કે ૧થી કરી અને ૧ર તારીખ સુધી શહેરની મુખ્ય બજાર ખોદી નાખી અને વેપારી આલમને બાનમાં લઈ લેવામા આવ્યુ છે. આવી લાપરવાહી ઠેકેદાર કયા કારણોસર કરી છે? કેમ કોઈ આ બાબતે પુછાણા નથી લેતા? કેટલાક તો એમ પણ કહી રહ્યા છે ક, આવી રીતે શહેરની પ્રજાને બાનમાં લઈને કામ કરનારા ઠેકેદારને બ્લેકલીસ્ટ કરવા જોઈએ? અહી જે કામો ચાલી રહ્યા છે તે નગરપાલીકાના કયા વિભાગ હેઠળ આવી રહ્યા છે? તેના ચેરમેન સહિતનાઓએ કેટલી વખત આ કામની મુાલકાત લીધી? શું સુચનો કર્યા? અથવા તો કામ સંતોષ કારક દેખાડયુ હોય તો શું આવા જ કામો નગરપાલિકા હસ્તક થવા પામશ? પાલિકામાં એન્જીનયર તરીકે કોઈ સેવા બજાવી રહ્યુ છે કે નહી? શુ તેઓને આવા કામના સુપરવિઝન કરવાના નથી હોતા? વેપારીઓ ત્રસ્ત બન્યા છે, ફરીયાદો પણ અગાઉ કરી દીધી છે તો પણ એન્જીયનર કે સબંધીત વિભાગના ચેરમેન આ કામોની મુલાકાત લેવા કેમ ગયા નથી? ભોગગ્રસ્તો દ્વારા અહી સવાલ કરવામા આવી રહ્યો છે કે, એક અચાનક નાનો સુનો વરસાદ પડયો અને પાણી ભરાઈ જતા. એક કલાક માં ૫ લોકો પડી ગાય પણ પાલિકા ને કાંઈ ફરક નથી પડતું , મેઈન માર્કેટ નું આખું વરસાદી નાલું ડેડ અવસ્થામાં પડ્યું છ.ે માત્ર ચાવલા ચોક નહિ , ગાંધી માર્કેટ , શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગ પોલીસ ચોકી થી ક્રોમા શોરોમ સુધી બને બાજુ. , ઝંડા ચોક , સી લાઈન ડી લાઈન બધા નાલા ડેડ પડ્યા હોવાનુ મનાય છે. પાલિકા કેમ મોનસુન કામગીરી પણ ધ્યાન નથી દેતી ? બીજીતરફ આ બાબતે ગાંધીધામ નગરપાલીકાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી રામાનુજને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, કામ સહેજ વિલંબીત થયુ હતુ, આ માટે કોનટ્રાકટરને બોલાવીને કહેવાઈ ગયુ છે, કામ હવે ઝડપથી નિયમોને અનુસરીને પર્ણ કરી દેવામા આવશે, ગઈકાલે વરસાદમાં ચાવલા ચોક પાસે બેરીકેટીંગ લગાવી દેવામા આવ્યું હોવાનુ શ્રિ રામાનુજએ જણાવ્યુ હતુ. જો કે, આ તો આગ લાગી ત્યારે કુવો ખોવાનો તાલ બની રહ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે. તો વળી નગરપાલીકાના પ્રમુખ તેજશભાઈ શેઠનો ટેલીફોનીક સંપર્ક સાધવાનો પ્રયાસ તેઓનો ફોન બંધ આવતા વિફળ નીવડયો હતો. તો વળી આ તરફ જેઓને કામ અપાયુ છે તેવા કોન્ટ્રાકટર કિશોરભાઈની સાથે ટેલીફોનિક ચર્ચા કરતા તેઓએ કહ્યુ હતુ કે, નાળાનું કામ નથી, સ્ટ્રેાર્મ વોટર સિસ્ટમનું કામ અમને મળેલુ છે. જે નિયમો અનુસાર જ અમારા તરફથી કરવામા આવ્યું છે. અચાનક એક સાથે આટલો બધો વરસાદ આવશે તે તો કોઈને કલ્પના પણ ન હોય. વાત રહી અમુક દીવસ કામ બંધ રહ્યાની તો તે ટેકનીકલ વિષય હતો અને અમારી જો તેમાં કોઈ ચુક હોય તો નગરપાલીકાએ શો કોઝ નોટીસ આપી હોય ને? અમને કોઈ જ કારણદર્શન નેાટીસ કામ બંધ રાખવા સબબ નગરપાલિકાએ આપી નથી. ટેન્ડરમા દર્શાવ્યા ઉપરાંતનું કામ કરાવવાનો વિષય તે વખતે આવતા નગરપાલિકા લેખિતમાં ટેન્ડર ઉપરાંતનુ વધુ કામ કરવાની સુચના આપે તો જ કરી શકાય તેવો અમે મત રજુ કર્યો હતો. અમને મળેલુ કામ નીતીનિયમો અનુસાર જ કરવામા અવી રહ્યું છે. નગરપાલિકાએ આપેલા કામો જો તે અટકાવી-અટકાવીને કરે તો તેમાં ઠેકેદારોને તો આર્થીક રીતે ભાર જ પડે ને..? તેઓએ કહ્યુ કે, વેપારી તબક્કેથી આવેલી ફરીયાદો ખોટી નહી હોય પરંતુ ટેકનીકલ કારણોસર કામ અટકે કે વિલંબીત થાય તો તેમા ઠેકેદારનો શું વાંક હોઈ શકે? તેઓએ કહ્યુ કે, અમે આ ટેન્ડરની જોગવાઈ અનુસાર જ કરી રહ્યા છીએ.
........
બ્લેકલીસ્ટેડ ઠેકેદારને ફરીથી કેમ કામ અપાયુ? :
સંકુલના પ્રબુદ્ધવર્ગનો સણસણતો સવાલ
નગરપાલિકાને અમને બ્લેકલીસ્ટ કરવાની સત્તા જ નથી, એટલે એ વાત પાયાવિહોણી છે, જે-તે વખતે સમારકામ પૂર્ણ ન થાય ત્યા સુધી નવો વર્ક ઓર્ડર ન આપવાનો ઠરાવ માત્ર જ કરાયો હતો, કામ અમે સંતોષકારક કરી આપ્યુ તો ફરીથી મને કામ મળી રહ્યુ છે : ડો. કિશોરભાઈ
ગાંધીધામ : નગરપાલીકા દ્વારા હાલમાં સ્ટોર્મ વોટર સિસ્ટમનુ કામ અપાયુ છે તે ઠેકેદાર બ્લેકલીસ્ટેડ હોવાનુ અમુક વર્ગ કહી રહ્યો છે. જયારે નગરપાલિકામાં તારાચંદ ચંદનાનીની ટીમ સેવારત હતી તે સમયે આ જ ઠેકેદારને અપાયેલા એકાદ-બે કામમાં ગુણવત્તા ન જળવાતા તેઓને કામ ન આપવાનો આદેશ થયો હોવાનુ કહેવાય છે. જો કે આ બાબતે ડો.કિશોરભાઈને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અમને બ્લેકલીસ્ટ કરવાની સત્તા નગરપાલીકાને નથી. આજથી ૧ર-૧પ વર્ષ પહેલા અમે રાડેનુ કામ કરેલુ અને તેના પર હેવી ટ્રેઈલર દાડેતા તે રોડ ક્ષતિગ્રસ્ત થયેલ, એટલે તે વખતે આ રોડનુ સમારકામ ન થાય ત્યા સુધી નવુ કામ ન આપવો તેવો ઠરાવ કરવામા આવ્યો હતો. અમે સમારકામ તે વખતે જ સંતોષકારક રીતે કરી દેતા ફરીથી નગરપાલિકા અમને કામ આપી રહી છે. બ્લેકલીસ્ટેડ હોવાની વાત તદન પાયાવિહોણી જ હોવાનુ શ્રી કિશોરભાઈએ જણાવ્યુ હતુ.
Comments